ઘરમાં જૂતા-ચપ્પલ રાખવાની ખોટી રીત વાસ્તુદોષનું કારણ બની શકે છે
ઘરમાં જૂતા-ચપ્પલ રાખવાની ખોટી રીત વાસ્તુદોષનું કારણ બની શકે છે
Published on: 31st August, 2026

વાસ્તુશાસ્ત્ર અનુસાર, ઘરમાં જૂતા-ચપ્પલ રાખવાની યોગ્ય જગ્યા ન હોવાથી ગંભીર વાસ્તુ દોષ સર્જાઈ શકે છે. આના કારણે ઘરમાં નકારાત્મક ઊર્જા (નેગેટિવ એનર્જી) વધે છે, જે પરિવારમાં અંદરોઅંદર વાદ-વિવાદ અને સંબંધો પર ખરાબ અસર કરે છે. તૂટેલા કે પહેરવા લાયક ન હોય તેવા જૂતા-ચપ્પલ તરત જ ઘરમાંથી કાઢી નાખવા જોઈએ. શૂ રેક હંમેશા દક્ષિણ-પશ્ચિમ (નૈઋત્ય) અથવા પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. મુખ્ય દરવાજા પર જૂતા-ચપ્પલનો ઢગલો કરવો અથવા ચપ્પલ ઉંધા રાખવા અત્યંત અશુભ છે, જેનાથી બીમારી અને દુઃખ આવી શકે છે.