
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખની કામગીરી કરાઈ છે, અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા છે અને અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે, DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે અને પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે અને અન્ય મૃતકોના DNA મેચ કરવાની કામગીરી યથાવત છે. મૃતકોના મૃતદેહને ઘરે મોકલવા માટે સરકારે એમબ્યુલન્સની વ્યવસ્થા પણ કરી છે. પીએમ રિપોર્ટ-ડેથ સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરાશે અને સાથે મૃતદેહો લઇ જવા એર ઇન્ડિયા પણ મદદ કરશે. અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણો તપાસવા કેન્દ્રનાં ગૃહ સચિવનાં વડા હેઠળ ઉચ્ચ કક્ષાની બહુ પક્ષીય સમિતિ રચવામાં આવી છે જે ઘટનાનાં મૂળ કારણો શોધીને ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સમિતિ દ્વારા વ્યાપક ગાઈડલાઈન્સ રજૂ કરાશે અને મહત્ત્વનાં સૂચનો કરાશે.
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા
