Menu
Vadodara: મગફળીનું વાવેતર વધારવા બોડેલી, પાવી જેતપુર ખેડૂતોને અનુરોધ કર્યો
Vadodara: મગફળીનું વાવેતર વધારવા બોડેલી, પાવી જેતપુર ખેડૂતોને અનુરોધ કર્યો
Published on: 15th June, 2025

ભારતીય કૃષિ અનુસંધાન પરિષદની ઘટક સંસ્થા, ભારતીય મગફ્ળી અનુસંધાન સંસ્થા, જૂનાગઢના નિર્દેશક ડૉ.એસ.કે. બેરાનીએ કૃષિ સંશોધન કેન્દ્ર જબુગામ તથા બોડેલી અને પાવી જેતપુરના મગફ્ળી વાવેતર ક્ષેત્રોમાં મુલાકાત કરી હતી. આ કાર્યક્રમમાં ડૉ. બેરાનીએ મગફ્ળીનું વાવેતર ઘટવાનું મુખ્ય કારણ સમજી આગળની કામગીરી માટે માર્ગદર્શક સૂચનો આપ્યા હતા. ડૉ.બેરાનીએ જબુગામ ખાતે આવેલ આણંદ કૃષિ યુનિ.ના કૃષિ સંશોધન કેન્દ્રની કામની સમીક્ષા કરીને અહીં ચાલતા સંશોધન કાર્યો અને બીજ ઉત્પાદન કાર્યક્રમોની પ્રશંસા કરી હતી. ત્યારબાદ બોડેલી ખાતેની એ.પી.એમ.સી. ખાતે પહોંચી તંત્ર, વેપારીઓ તથા ખેડૂતો સાથે મગફ્ળી વાવેતરમાં આવેલ ઘટાડાના મુદ્દે પાવી જેતપુર તાલુકાના સુસ્કાલ ગામે ખેડૂત વિનોદ રાઠવાના ઘરે મગફ્ળી વિશે ગોષ્ઠી કરી હતી.