મોદી સરકારની 'ગોબરધન' યોજનાને મંજૂરી
મોદી સરકારની 'ગોબરધન' યોજનાને મંજૂરી
Published on: 06th August, 2026

કેન્દ્ર સરકારે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘ગોબરધન’ યોજનાને 23,731 કરોડ રૂપિયાના બજેટ સાથે મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ CBG ઉત્પાદનમાં 10 ગણો વધારો કરી ઊર્જા સુરક્ષા મજબૂત કરવાનો છે. 2018માં શરૂ થયેલી આ યોજના કૃષિ કચરા અને પશુઓના છાણને બાયોગેસ અને ખાતરમાં રૂપાંતરિત કરે છે. આગામી 10 વર્ષ સુધી લાગુ થનારી આ યોજના નવા બાયોગેસ પ્રોજેક્ટ્સ માટે કેપિટલ સબસિડી અને સારી ખરીદ કિંમત પૂરી પાડશે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાશે અને આવકમાં વધારો થશે.