રહાણેની કોચ ગૌતમ ગંભીરને સલાહ: ટેસ્ટ ટીમના સિનિયર ખેલાડીઓનું માન જાળવો
રહાણેની કોચ ગૌતમ ગંભીરને સલાહ: ટેસ્ટ ટીમના સિનિયર ખેલાડીઓનું માન જાળવો
Published on: 06th August, 2026

ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ હેડ-કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની ટીમ મેનેજમેન્ટને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પુનરુત્થાન માટે સિનિયર ખેલાડીઓને મહત્વ આપવાની અપીલ કરી છે. રહાણેના મતે, વાઇટ-બોલ ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરના ખરાબ પ્રદર્શન પાછળ સિનિયર ખેલાડીઓની ઓછી સંખ્યા અને અનુભવનો અભાવ મુખ્ય કારણ છે. ટીમે ઓછા અનુભવી ખેલાડીઓ પર નિર્ભર રહેવાને બદલે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ, જેથી સારા પરિણામો મળી શકે.