લીંબડીના જાખણ ગામે 77મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી.
લીંબડીના જાખણ ગામે 77મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ભવ્ય ઉજવણી.
Published on: 21st August, 2026

લીંબડી તાલુકાના જાખણ ગામે ત્રિમૂર્તિ મંદિર, રાજરાજેશ્વર ધામ ખાતે 77મા વન મહોત્સવની જિલ્લાકક્ષાની ઉજવણી થઈ. નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ વૃક્ષોના મહત્વ પર ભાર મૂક્યો. ગ્લોબલ વોર્મિંગ, અનિયમિત વરસાદ અને પ્રદૂષણ જેવા પર્યાવરણીય પડકારો સામે વૃક્ષારોપણ શ્રેષ્ઠ ઉપાય છે. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટસિંહ રાણા, કલેક્ટર જી.એચ. સોલંકી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. વૃક્ષારોપણ અને પર્યાવરણ જતનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારને સન્માનિત કરાયા.