હિંમતનગરના નવાઘરા ઉબરીયા ગામમાં શેઢો ખેડવા મુદ્દે ખેડૂતો વચ્ચે મારામારી
હિંમતનગરના નવાઘરા ઉબરીયા ગામમાં શેઢો ખેડવા મુદ્દે ખેડૂતો વચ્ચે મારામારી
Published on: 07th July, 2026

હિંમતનગર નજીક નવાઘરા ઉબરીયા ગામમાં ખેતરનો શેઢો ખેડી નાખવાના ઝઘડા બાદ થયેલી મારામારીમાં એક ખેડૂતને ઇજા થવાનો બનાવ બન્યો છે. ઇશ્વર નાથાજી પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ, કાન્તિભાઇ ભીમાજીએ તેમના ખેતરનો શેઢો ખેડી નાખ્યો હતો. જ્યારે આ બાબતે કહેવા જતાં કાન્તિભાઇએ અપશબ્દો બોલી લાકડીથી હુમલો કરી ઇજા પહોંચાડી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.