ગુજરાત સરકાર દ્વારા બાજરી, મકાઈ, જુવારની ટેકા ભાવે ખરીદી મર્યાદામાં વધારો: ખેડૂતોને ફાયદો
ગુજરાત સરકાર દ્વારા બાજરી, મકાઈ, જુવારની ટેકા ભાવે ખરીદી મર્યાદામાં વધારો: ખેડૂતોને ફાયદો
Published on: 10th June, 2026

ગુજરાત સરકારે ખેડૂતોના હિતમાં મોટો નિર્ણય લીધો છે. બાજરી, મકાઈ અને જુવાર જેવા પાકોની ટેકા ભાવે ખરીદીની મર્યાદા વધારવામાં આવી છે. કિસાન સંઘના પ્રતિનિધિઓ સાથે યોજાયેલી બેઠક બાદ કૃષિ વિભાગે આ નિર્ણય જાહેર કર્યો. હવે બાજરીની ખરીદી મર્યાદા 3,500 કિલો, મકાઈની 2,500 કિલો અને જુવારની 1,700 કિલો પ્રતિ ખેડૂત રહેશે. આ વધારાને કારણે ખેડૂતો પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચી શકશે, જે તેમના આર્થિક ઉત્કર્ષમાં મદદરૂપ થશે.