અમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધી 6 કિ.મી.નો રૂટ
અમદાવાદ મેટ્રો ફેઝ-2Aને કેન્દ્રીય કેબિનેટની મંજૂરી, કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધી 6 કિ.મી.નો રૂટ
Published on: 10th June, 2026

અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટના ફેઝ 2Aને કેન્દ્રીય કેબિનેટ દ્વારા મંજૂરી મળી ગઈ છે. આ મંજૂરી સાથે, અમદાવાદ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ સીધું મેટ્રો કનેક્ટિવિટી સાથે જોડાઈ જશે, જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને મોટી સુવિધા મળશે. આ 6 કિલોમીટરના રૂટ પર કોટેશ્વરથી ઍરપૉર્ટ સુધી પાંચ નવા સ્ટેશન બનશે, જેમાં 4 એલિવેટેડ અને ઍરપૉર્ટ પર 1 અન્ડરગ્રાઉન્ડ સ્ટેશનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટ આગામી 4 વર્ષમાં પૂર્ણ થશે, જે અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેના મેટ્રો નેટવર્કને 77.63 કિ.મી. સુધી વિસ્તૃત કરશે.