જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉર્જા મંત્રી અને સાંસદે પ્રાકૃતિક કૃષિ સ્ટોલ નિહાળ્યા
જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે ઉર્જા મંત્રી અને સાંસદે પ્રાકૃતિક કૃષિ સ્ટોલ નિહાળ્યા
Published on: 20th June, 2026

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે વડાપ્રધાનના સુશાસનના 12 વર્ષની ઉજવણી નિમિત્તે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ અને પ્રદર્શન યોજાયું, જેનું ઉદ્ઘાટન રાજ્યના ઉર્જા મંત્રી કૌશિકભાઇ વેકરીયાએ કર્યું. તેમણે જણાવ્યું કે દેશ-વિદેશમાં પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોની માંગ વધી રહી છે, જેનાથી ખેડૂતોને લાભ થશે. રાજ્ય સરકાર પ્રાકૃતિક કૃષિ ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ પૂરું પાડવા કટિબદ્ધ છે. કાર્યક્રમમાં પ્રતીકાત્મક ટ્રેક્ટર ટ્રેલર સહાય યોજના અને શાકભાજી પ્રોત્સાહન યોજનાના લાભાર્થીઓને હુકમપત્ર અપાયા. ઉલેખનીય છે કે, કાર્યક્રમ બાદ માત્ર ઉર્જા મંત્રી અને સાંસદે જ પ્રાકૃતિક કૃષિ સ્ટોલ નિહાળ્યા, જ્યારે ધારાસભ્ય, શહેર-જિલ્લા પ્રમુખ સહિતના અન્ય ભાજપના હોદ્દેદારો કાર્યક્રમ પૂર્ણ થતાં જ ચાલતી પકડતાં આ બાબત ચર્ચાનો વિષય બની હતી.