Menu
કેરીની સીઝન નિષ્ફળતાનો ભોગ એક વેપારી: નવસારીમાં 1.20 કરોડની વાડી ભાડેથી રાખનારને 50% નુકસાન
કેરીની સીઝન નિષ્ફળતાનો ભોગ એક વેપારી: નવસારીમાં 1.20 કરોડની વાડી ભાડેથી રાખનારને 50% નુકસાન
Published on: 14th May, 2025

નવસારી જીલ્લામાં આ વર્ષે કેરીની સિઝન માવઠા અને વાતાવરણના અચાનક બદલાવથી વેપારીઓ માટે નુકસાનીભર્યું સાબિત થયુ છે. ઉત્તર પ્રદેશથી આવેલા મો. રહેમાન 1.20 કરોડ રૂપિયામાં આંબાવાડી ભાડેથી રાખી 20,000 મણ કેરી ઉત્પાદનની અપેક્ષા રાખતા હતા. જોકે ફળ નિષ્ફળ જતા અને કેરી નાની પડી જતા મોટું નુકસાન. 30 લાખ રૂપિયાનું દવાના ખર્ચ છતાં 6-7 હજાર મણ કેરી જ બચી, જેના કારણે તેમને લગભગ 50% નુકસાન થયું છે. દેવા ભરપાઈ માટે બેંક લોન લીધી અને ઘરેણાં ગીરવે મૂક્યાં છે. આ સ્થિતિને કારણે 2-3 વર્ષની નુકસાની છે.