Menu
ઉનાળુ અને બાગાયતી પાકને નુકશાન: અમરેલીમાં 27 ટીમોની ડિટેઇલ સર્વે શરુઆત
Published on: 15th May, 2025

અમરેલી જિલ્લામાં એક સપ્તાહ સુધી પડેલા કમોસમી વરસાદથી ઉનાળુ અને બાગાયતી પાકને વિશાળ નુકશાન પહોંચ્યું છે. ખેતીવાડી વિભાગ દ્વારા સાત હજાર હેકટરમાં પ્રાથમિક સર્વે પૂરું થયા બાદ 27 ટીમો ડિટેઇલ સર્વે માટે તૈનાત કરવામાં આવી છે. ખાસ કરીને સાવરકુંડલા તથા આસપાસના વિસ્તારોમાં મોટું નુકશાન નોંધાયુ છે. કેરી, કેળા જેવા પાકોને પણ ભારે નુકશાન થયું છે. ગુજરાત સરકાર અને સ્થાનિક નેતાઓની માંગ પર તાત્કાલિક સર્વે શરુઆત કરાઇ છે. હવામાન વિભાગે વધુ માવઠાની આગાહી કરી છે.