Logo Logo
News About Us Contact Us
દિન વિશેષ
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • News Kida
  • fire-image Trending
  • દિન વિશેષ
  • News Sources
ચાલુ મહિનો આજે
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો. શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત થઈ, વકીલાતનો વ્યવસાય છોડીને આશ્રમમાં જોડાઈ ગયા. ત્યારબાદ તેમનું જીવન ગાંધીજી સાથે જ વહેતું રહ્યું. મહાદેવભાઈનું ભાષાપ્રભુત્વ અને સુંદર હસ્તાક્ષરો જોઈ ગાંધીજીએ કહી દીધું કે, ' મહાદેવ ! તમારે હવે બધા કામ મૂકી દઈને મારી જોડે જ રહેવાનું છે. ' તે આજ્ઞાને શિરોમાન્ય ગણી તેઓ બાપુમય બની ગયા.  તેમણે કવિવર ટાગોરના ૨૫ જેટલા સુંદર અનુવાદો આપ્યા છે તો સામે ગાંધીજીની આત્મકથાને અંગ્રેજીમાં રૂપાંતરિત કરી છે. 'મહાદેવની ડાયરી' ના સંપુટો તેમનું યાદગાર પ્રદાન છે. એ ડાયરીઓ પચીસેક ભાગમાં પ્રગટ થઈ છે. એમાં તેમણે આંખે દેખ્યા હેવાલની જેમ ગાંધીચરિત્ર અને હિન્દુસ્તાનના ઉત્થાનની કથા માટે અમૂલ્ય સામગ્રી મૂકી છે. તેમને સાહિત્ય અકાદમીનો ૧૯૫૫નો પુરસ્કાર અર્પણ થયો હતો. ૫૦ વર્ષની વયે મહાદેવભાઇ દેસાઈ ૧૫ ઑગસ્ટ, ૧૯૪૨ ના રોજ પુણેની આગાખાન પેલેસ જેલમાં હૃદય બંધ પડવાથી અનંતની યાત્રાએ ચાલી નીકળ્યા પણ, પોતાની અડધી જિંદગીમાં આખી જિંદગીનું કામ કરતા ગયા. બાપુના ખોળામાં જ ગયા અને બાપુના હાથે જ તેમને અગ્નિદાહ દેવાયો. બાપુએ તેમને અંજલિ આપતા કહ્યું હતું,' મહાદેવે મારામાં સંપૂર્ણપણે સમાઈ જવાનું પસંદ કર્યું હતું. '૯ ઓગસ્ટ,૧૯૮૩ ના રોજ ભારત સરકારના પોસ્ટ વિભાગ દ્વારા તેમના માનમાં એક ટપાલ ટીકીટ બહાર પાડવામાં આવી હતી.

01st January

Read more
મહાદેવભાઈ દેસાઈ જન્મજયંતી
01st January

મહાત્મા ગાંધીજી જેવી વિરાટ પ્રતિભાના જમણા હાથ સમા અંગત મંત્રી બની રહેવાનું જેમને સદભાગ્ય સાંપડયું હતું તેવા કર્તવ્યનિષ્ઠ મૂકસેવક, સ્વતંત્રતા સેનાની, પ્રખર રાષ્ટ્રવાદી તેમજ ચરિત્રલેખક, ડાયરીલેખક અને અનુવાદક મહાદેવભાઈ હરિભાઈ દેસાઈનો જન્મ ૧ જાન્યુઆરી,૧૮૯૨ ના રોજ સુરત જિલ્લાના સરસ ગામમાં થયો હતો. તેમનું મૂળ ગામ દિહેણ હતું. પ્રાથમિક શિક્ષણ જુદાં જુદાં ગામોમાં કર્યા બાદ માધ્યમિક શિક્ષણ સુરત અને ઉચ્ચશિક્ષણ મુંબઈની ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં સંપન્ન કર્યું. અભ્યાસમાં પહેલેથી જ તેજસ્વી હોવાથી બી.એ.એલએલ.બી. માં પણ સારો દેખાવ કર્યો.

શ્રી દેસાઈએ અમદાવાદમાં વકીલાત શરૂ કરી અને બીજે જ વર્ષે ગાંધીજી સાથેની એક જ મુલાકાતમાં તેમની વિચારસરણીથી પ્રભાવિત...

Read more
વૈશ્વિક કૌટુંબિક દિવસ
વૈશ્વિક કૌટુંબિક દિવસ

દર વર્ષે ૧ જાન્યુઆરીએ ઉજવાતો વૈશ્વિક કૌટુંબિક દિવસ શાંતિ, એકતા અને માનવતા એક મોટો પરિવાર છે તે વિચારને પ્રોત્સાહન આપતો વિશ્વવ્યાપી ઉજવણી છે, જે લોકોને પ્રિયજનો સાથે સમય વિતાવવા અને સંસ્કૃતિઓ અને સરહદો પાર સમજણ વધારવા માટે પ્રોત્સાહિત કરે છે. યુએનના "વિશ્વના બાળકો માટે શાંતિ અને અહિંસાની સંસ્કૃતિ માટે આંતરરાષ્ટ્રીય દાયકા" પરથી ઉદ્ભવતા, તેને "શાંતિ અને વહેંચણીનો એક દિવસ" પણ કહેવામાં આવે છે અને પરિવારોને જોડવા અને પુલ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે. ઉદ્દેશ: વૈશ્વિક શાંતિ, સંવાદિતા અને એકતાને પ્રોત્સાહન આપવા, દરેકને એક માનવ પરિવારના ભાગ તરીકે ઓળખવા. યુએનની શાંતિ પહેલમાંથી ઉછર્યા, યુએનએ તેને સત્તાવાર રીતે ૨૦૦૧માં વાર્ષિક કાર્યક્રમ તરીકે માન્યતા આપી. ઘણીવાર કૌટુંબિક બંધનોને મજબૂત કરવા, પેઢીગત અંતરને દૂર કરવા અને પ્રેમ અને આદર દર્શાવવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. આપણે શું કરી શકીએ?: પરિવાર અને મિત્રો સાથે ગુણવત્તાયુક્ત સમય વિતાવો. ભોજન શેર કરો, બહાર જાઓ અથવા સહિયારી પ્રવૃત્તિઓમાં જોડાઓ. સગાસંબંધીઓ સાથે જોડાઓ, તે લોકો સાથે પણ જેમની સાથે તમારા સંબંધોમાં તણાવ છે. શાંતિપૂર્ણ અથવા કુટુંબલક્ષી ફિલ્મો જુઓ. વર્ષ પર ચિંતન કરો અને પરસ્પર સહાય માટે લક્ષ્યો નક્કી કરો.

01st January

Read more
વૈશ્વિક કૌટુંબિક દિવસ
01st January

Read more