દશેરા ભારતમાં ઉજવાતો હિંદુ તહેવાર છે. ગુજરાતી પંચાંગ મુજબ આસો માસની સુદ દસમ ને દિવસે આવે છે.
દશેરાના તહેવારને અનિષ્ટ પર ઈષ્ટની જીતના પ્રતીકના રૂપમાં મનાવવામાં આવે છે. કોઈ મનુષ્ય પૂર્ણ હોતો નથી. તેનામાં કોઈને કોઈ અવગુણ હોય જ છે. જેમ કે
કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સર, અસત્ય, ઈર્ષ્યા, આળસ વગેરે. કોઈ પણ આંતરિક દૃષ્ટતાને દૂર કરવી એ પણ સ્વ-વિજય છે. આપણે આવા દુર્ગુણો ત્યજીને તેના પર વિજય મેળવીને દર વર્ષે વિજયાદશમી ઉજવવી જોઈએ. દશેરા એ ભક્તિ અને શક્તિનો સમન્વય સમજાવતો મહોત્સવ છે.
નવરાત્રિના નવ દિવસ દરમિયાન વિજયપ્રાપ્તિ માટે...