આણંદ શહેરમાં દબાણ હટાવવાની બેધારી નીતિ સામે રોષ, ટ્રાફિક સમસ્યા વકર્યો
આણંદ શહેરના ટૂંકી ગલી વિસ્તારમાં બેસુમાર દબાણો ખડકાતા શહેરનો આ હાર્દ સમો વિસ્તાર દબાણોના પ્રશ્નો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે. ચૂંટણી પૂરી થયા બાદ પણ મનપાનું નવનિયુક્ત તંત્ર દબાણો હટાવવામાં નિષ્ફળ રહ્યું છે. અગાઉ દબાણો દૂર કરાયા હતા, પરંતુ હવે વોટ બેંકની લાલચમાં લારી-પાથરણાંવાળાઓને છૂટો દોર મળ્યો છે. જેના કારણે રસ્તાઓ સાંકડા થવાથી ટ્રાફિક સમસ્યા અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. ત્રણ દાયકા જૂની આ જટિલ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં તંત્ર નિષ્ફળ રહ્યું છે.
આણંદ શહેરમાં દબાણ હટાવવાની બેધારી નીતિ સામે રોષ, ટ્રાફિક સમસ્યા વકર્યો
Himatnagar: વિજયનગરમાં 4 ઈંચ વરસાદ પડતાં પુણ્યશિલા નદી બે કાંઠે
વિજયનગરઃ વિજયનગર તાલુકામાં રવિવારે 24 કલાકમાં 114 મિલીમીટર (લગભગ સાડા ચાર ઇંચ) વરસાદ પડતાં વિજયનગરમાંથી પસાર થતી પુણ્યશિલા નદી બે કાંઠે વહેતી થઈ હતી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં આસપાસના ગ્રામ્યજનો નદીને જોવા ઉમટી પડયા હતા. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક છે. સીઝનમાં વિજયનગર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 128 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ છે.
Himatnagar: વિજયનગરમાં 4 ઈંચ વરસાદ પડતાં પુણ્યશિલા નદી બે કાંઠે
Himatnagar: સુનોખ-વાંસેરાકંપા પંથકમાં ભારે વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ
સુનોખ : શામળાજી તાલુકાના સુનોખ-વાંસેરાકંપા પંથકના વાંસેરા, નવાવક્તાપુર, શોભાયડા, ખિલોડા, ગડાદર સહિતના વિવિધ ગ્રામ્યવિસ્તારોમાં બપોર બાદ ભારે વરસાદ વરસી પડયો હતો. વાંસેરાકંપા વિસ્તારમાં નીચાણવાળા ખેતરોમાં પાણી ભરાયેલાં જોવા મળ્યાં હતાં તો વળી કેટલાક ખેતરોમાંથી પાણી વહી જઈ નાના કોતરોમાં પાણી વહેતાં જોવા મળ્યા હતા.ખેતીવાડીના કપાસ, મગફ્ળી, મકાઈ, સોયાબીન સહિતના વિવિધ પાકોને વરસાદની જરૂર હતી ત્યારે વરસાદ વરસી પડતાં ખેડૂતોમાં ભારે આનંદ જોવા મળ્યો હોવાનું જાણવા મળેલ છે.
Himatnagar: સુનોખ-વાંસેરાકંપા પંથકમાં ભારે વરસાદ વરસતાં ખેડૂતોમાં આનંદ
હિંમતનગર: પોશીના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખુશીનો માહોલ
પોશીના પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સ્થાનિકોને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મોટી રાહત મળી છે. પોશીના મુખ્ય મથક સહિત લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મુખ્ય બજારમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં વાવણી લાયક વરસાદથી ભારે હરખ અને આનંદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખુશીની લહેર દોડી ગઈ છે.
હિંમતનગર: પોશીના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખુશીનો માહોલ
ધોલેરા SIR વિસ્તારમાં L&T કેમ્પમાં ઓફ્સિ કન્ટેનરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
ધોલેરા SIR વિસ્તારમાં L&T કંપનીના કેમ્પમાં આવેલ ઓફ્સિ કન્ટેનરમાં શોર્ટ સર્કિટથી આગ લાગી. આગની જ્વાળાઓ અને ધુમાડા દૂર સુધી દેખાતા કર્મચારીઓમાં અફરાતફરી મચી હતી. કંપનીના સ્ટાફે તાત્કાલિક ફાયર ફાઈટિંગ સાધનો વડે આગ કાબૂમાં લીધી. સમયસર કાર્યવાહીથી આગ વધુ ફેલાતી અટકી અને મોટી દુર્ઘટના ટળી. આ ઘટનામાં બે ઓફ્સિ કન્ટેનરને નુકસાન થયું છે, પરંતુ કોઈ જાનહાનિ થઈ નથી.
ધોલેરા SIR વિસ્તારમાં L&T કેમ્પમાં ઓફ્સિ કન્ટેનરમાં આગ, મોટી દુર્ઘટના ટળી
શું એક જ વૃક્ષ આખા જંગલમાં ફેરવાઈ શકે?
ગુજરાતમાં નર્મદા નદીના કિનારે આવેલું કબીરવડ, એક અજોડ કુદરતી અજાયબી છે. આ માત્ર એક વડનું વૃક્ષ નથી, પરંતુ સમય જતાં હજારો હવાઈ મૂળિયાં જમીનમાં ઉતારીને અનેક નવા થડ ઉભા કરીને આખા જંગલ જેવો વિસ્તાર ધરાવે છે. સદીઓ જૂનું આ વિશાળ વૃક્ષ ઐતિહાસિક વારસો અને આધ્યાત્મિક આસ્થાનું પણ પ્રતિક છે. પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે કબીરવડ એક જીવંત અનુભવ છે, જે કુદરતની શક્તિ અને ધીરજ દર્શાવે છે.
શું એક જ વૃક્ષ આખા જંગલમાં ફેરવાઈ શકે?
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કેન્સર પીડિતાને આપી નવી જિંદગી
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કેન્સર જેવી ગંભીર બીમારીથી પીડાતી અને આર્થિક સંકડામણમાં સપડાયેલી અજીમાબેન લાકડીયાને મદદ કરી. અજીમાબેન, જેઓ છૂટાછેડા બાદ એકલા રહેતા હતા અને જેમની પાસે મહારાષ્ટ્રના ડોક્યુમેન્ટ્સ હતા, તેમને સારવાર માટે ગુજરાતમાં લાવવા અને તેમનું આધારકાર્ડ તથા અન્ય જરૂરી દસ્તાવેજો તૈયાર કરાવવામાં ધારાસભ્ય ગીતાબાએ સક્રિય ભૂમિકા ભજવી. રજાના દિવસોમાં પણ અધિકારીઓનો સંપર્ક કરીને ડોક્યુમેન્ટ્સ તૈયાર કરાવ્યા અને ત્યારબાદ તેમને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાવ્યા, જેથી તેઓ નવી જિંદગી જીવી શકે.
ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાએ કેન્સર પીડિતાને આપી નવી જિંદગી
બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અંબાજી વિસ્તારમાં થયેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે અને ખેડૂતોમાં આનંદની લાગણી છવાઈ છે. રવિવારે સવારથી જ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું, જેના કારણે દિવસ દરમિયાન અંધારપટ જેવો માહોલ સર્જાયો હતો. પવન સાથે થયેલા વરસાદથી દાંતાના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા હતા. યાત્રાધામ અંબાજીના કેટલાક વિસ્તારોમાં થયેલા વરસાદી ઝાપટાંથી ગરમીમાંથી રાહત મળી છે. ખેડૂતો હવે વાવણીની કામગીરીમાં વ્યસ્ત થઈ ગયા છે.
બનાસકાંઠાના અંબાજી-દાંતા પંથકમાં મેઘમહેર
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
બનાસકાંઠાના સરહદી વાવ અને થરાદ પંથકમાં શનિવાર રાત્રે અચાનક વાતાવરણમાં પલટો આવતાં ભારે પવન, વરસાદ અને વીજળી સાથે કુદરતી આફત આવી હતી. આ તોફાનને કારણે ખેડૂતોના રહેણાંક મકાનો અને પશુઓના શેડના પતરા ઉડી ગયા, જેનાથી ખેડૂત પરિવારો મુશ્કેલીમાં મુકાયા. થરાદના આજાવાડા ગામે ક્કનર્મદેશ્વર ગૌશાળાના શેડ પણ તૂટી પડ્યા, જેનાથી મોટાપાયે આર્થિક નુકસાન થયું. જોરડીયાળી, તખતપુરા સહિતના વિસ્તારોમાં વીજપોલ અને ડીપી ધરાશાયી થતાં અંધારપટ છવાયો. જોકે, કોઈ મોટી જાનહાનિ થઈ નથી.
વાવ-થરાદમાં વંટોળ સાથે વરસાદ, ખેડૂતોને ભારે નુકસાન
થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
થરા પોલીસને વડાગામ નજીક નેશનલ હાઇવે પર પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે એક ઇન્ડિયન ગેસના ટેન્કરમાંથી ગેરકાયદેસર રીતે ઘરેલું રાંધણ ગેસ ચોરી કરીને સિલિન્ડરોમાં ભરવામાં આવી રહ્યો છે. પોલીસે તાત્કાલિક દરોડો પાડી સ્થળ પરથી પાંચ ભરેલા અને 11 ખાલી સિલિન્ડર, ગેસ રિફિલિંગ માટે વપરાતા સાધનો અને એક છોટા હાથી વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે ટેન્કર ચાલક અને અન્ય બે શખ્સોની પૂછપરછ કરતાં આ ગેંગ દ્વારા કાળા બજારમાં ઊંચા ભાવે ગેસ વેચી નફો કમાવવાનો પર્દાફાશ થયો છે.
થરા પોલીસે ગેસ ટેન્કરમાંથી ઘરેલું રાંધણ ગેસની ચોરીનો પર્દાફાશ કર્યો
વડોદરાના પાદરા કન્યા શાળા-1 માં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ
પાદરા સ્થિત કન્યા શાળા-1 ખાતે એમજીવીસીએલ પાદરા-1 પેટા વિભાગ દ્વારા વીજ સલામતી, ઊર્જા બચત, વીજ ચોરી નિવારણ અને સ્માર્ટ મીટર અંગે વિદ્યાર્થીઓમાં જાગૃતિ લાવવા એક વિશેષ કાર્યક્રમ યોજાયો. વિદ્યાર્થીઓને વીજળીના સુરક્ષિત ઉપયોગ, વીજ અકસ્માતોથી બચવાના ઉપાયો, ઊર્જા બચતનું મહત્વ, અને સૌર તથા પવન ઉર્જા જેવા કુદરતી ઉર્જા સ્ત્રોતો વિશે વિસ્તૃત માહિતી અપાઈ. સ્માર્ટ મીટરની કાર્યપદ્ધતિ અને બિલિંગમાં પારદર્શિતા અંગે પણ સમજાવવામાં આવ્યું. એમજીવીસીએલ દ્વારા ચિત્ર સ્પર્ધા યોજાઈ, જેમાં વિજેતાઓને પુરસ્કૃત કરાયા અને અન્ય વિદ્યાર્થીઓને કિટ વિતરણ કરાયું.
વડોદરાના પાદરા કન્યા શાળા-1 માં વીજ સલામતી અને ઊર્જા બચત અંગે જાગૃતિ કાર્યક્રમ
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
છોટાઉદેપુર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા "સશક્ત દીકરી, કલેક્ટર ઇન ક્લાસરૂમ" અભિયાન હેઠળ, મણિબેન પટેલ કન્યા વિદ્યાલય ખાતે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે પ્રેરણાદાયી સંવાદ સાધ્યો. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય કિશોરીઓમાં આત્મવિશ્વાસ, શિક્ષણ, સ્વાસ્થ્ય અને નેતૃત્વના ગુણો ખીલવવાનો હતો. કલેક્ટરે પોતાના અનુભવો અને કારકિર્દીની સફર શેર કરી, વિદ્યાર્થિનીઓને સપના પૂરા કરવા મહેનત કરવા પ્રોત્સાહિત કરી. પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્લાન્ટેબલ પેન્સિલનું વિતરણ કરાયું.
છોટાઉદેપુર કલેક્ટર ગાર્ગી જૈને વિદ્યાર્થિનીઓ સાથે કર્યો સંવાદ
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
ગુજરાત સરકાર શિક્ષણ ક્ષેત્રે સુધારાના દાવા કરતી હોવા છતાં, કરજણ તાલુકાની 185 પ્રાથમિક શાળાઓમાં 85 શિક્ષકોની ઘટ છે. ખાસ કરીને, ધોરણ 1થી 5 ધરાવતી 11 શાળાઓમાં માત્ર એક જ શિક્ષક ફરજ પર છે. આ પરિસ્થિતિ બાળકોના પાયાના શિક્ષણ પર ગંભીર અસર કરી રહી છે. લતીપુર ટીંબી, આલમપુરા કોલોની, કલા, હીરજીપુરા, રોપા, સોમજ, દેલવાડા, કરણ, નાનીકોરલ, લીલીપુરા અને ભરથાલી ગામની શાળાઓમાં એક જ શિક્ષક વિવિધ ધોરણોના વિદ્યાર્થીઓને એક જ રૂમમાં અથવા અલગ-અલગ રૂમોમાં વારાફરતી ભણાવવા મજબૂર છે, જેનાથી ગુણવત્તાયુક્ત શિક્ષણ મળવું મુશ્કેલ બન્યું છે.
વડોદરાની કરજણ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં શિક્ષકોની ગંભીર અછત
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
BAPS સંસ્થા દ્વારા પ.પૂ. મહંત સ્વામી મહારાજ રચિત ગ્રંથ સત્સંગ દીક્ષાના 315 સંસ્કૃત શ્લોકોનો એકસાથે મુખપાઠ કરીને અનોખો વિશ્વવિક્રમ સર્જાયો, જેની નોંધ ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડમાં લેવાઈ છે. આ વિશ્વવિક્રમમાં વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના 759થી વધુ બાળ-બાલિકાઓએ પણ ભાગ લીધો. ચાણસદ ખાતે યોજાયેલા વિશેષ સન્માન સમારોહમાં આ તમામ બાળ-બાલિકાઓને ગિનિસ બુક ઓફ્ વર્લ્ડ રેકોર્ડના પ્રમાણપત્રો એનાયત કરી સન્માનિત કરાયા. આ સિદ્ધિ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારનું જીવંત ઉદાહરણ છે.
વડોદરાના 759થી વધુ BAPS બાળકોનું ચાણસદમાં ગૌરવપૂર્ણ સન્માન
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2026માં દાહોદ જિલ્લાના પરંપરાગત બામ્બુ ક્રાફ્ટે મુલાકાતીઓનું વિશેષ ધ્યાન આકર્ષ્યું છે. જ્યોત સખી મંડળ દ્વારા તૈયાર કરાયેલા વાંસમાંથી બનેલા હસ્તકલાના ઉત્પાદનોને ઉત્તમ પ્રતિસાદ મળ્યો છે. સમિટ દરમિયાન માત્ર બે દિવસમાં રૂ. 50 હજારનું વેચાણ થયું અને રૂ. 30 હજારના નવા ઓર્ડર પણ મળ્યા. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટોલની મુલાકાત લઈ કારીગરોના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં દાહોદના બામ્બુ ક્રાફ્ટે રોકડો કમાવ્યો
મહીસાગરમાં ગ્રામ સડક યોજનાના માર્ગના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ
મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકામાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ બનેલા ઘોઘાવાડા ગામના માર્ગ પરના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ સર્જાઈ છે. લાખોના ખર્ચે બનેલા આ માર્ગના કલ્વર્ટની બંને બાજુની માટી ધસી પડી છે અને કાંકરીટના ભાગો તૂટી ગયા છે, જેના કારણે તેની મજબૂતી સામે પ્રશ્નો ઉભા થયા છે. વરસાદી મોસમમાં આ કલ્વર્ટને વધુ નુકસાન થવાની શક્યતા છે. સમયસર સમારકામ નહિ થાય તો વાહનચાલકો, વિદ્યાર્થીઓ અને રાહદારીઓ માટે અકસ્માતનું મોટું જોખમ ઊભું થઈ શકે છે.
મહીસાગરમાં ગ્રામ સડક યોજનાના માર્ગના કલ્વર્ટમાં ગંભીર ક્ષતિ
કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ વતન હિંગલામાં જાતે હળ ચલાવી ખેતીકાર્યોમાં સહયોગ આપ્યો
ગુજરાતના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન અને સહકાર વિભાગના મંત્રી રમેશ કટારાએ ફ્તેપુરા વિધાનસભા બેઠકના ધારાસભ્ય તરીકે પોતાના વતન હિંગલા ગામે પહોંચીને ખેતીકામમાં સીધો જ સહયોગ આપ્યો હતો. તેમણે પરંપરાગત રીતે બળદ સાથે હળ જોતરીને જાતે ખેતર ખેડ્યું અને વાવણીનું કામ કર્યું. મંત્રીના આ સરળ અને જમીન સાથે જોડાયેલા સ્વરૂપે ગ્રામજનો અને ખેડૂતોમાં આદર જગાવ્યો. તેમણે ખેતી સાથેના પોતાના વર્ષો જૂના જોડાણને તાજું કરીને ખેડૂત સમુદાય પ્રત્યેની નિષ્ઠા વ્યક્ત કરી. આ ઘટના સોશિયલ મીડિયા અને સ્થાનિક કક્ષાએ ખૂબ જ ચર્ચાઈ રહી છે.
કૃષિ રાજ્યમંત્રી રમેશ કટારાએ વતન હિંગલામાં જાતે હળ ચલાવી ખેતીકાર્યોમાં સહયોગ આપ્યો
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
વાલીયા તાલુકામાં ભારે વરસાદથી અસરગ્રસ્ત થયેલા નાગરિકોને તાત્કાલિક મદદ મળે તે માટે જિલ્લા વહીવટી તંત્ર સક્રિય થયું છે. કોંઢ અને સિલુડી ગામમાં રહેણાંક મકાનો અને ઘરવખરીને થયેલા નુકસાનનો અંદાજ મેળવવા માટે વહીવટી ટીમો દ્વારા યુદ્ધના ધોરણે સર્વેની કામગીરી શરૂ કરાઈ છે. જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણના માર્ગદર્શન હેઠળ, વાલીયા તાલુકા વિકાસ અધિકારી અને મામલતદારની દેખરેખ હેઠળ ખાસ સર્વે ટીમો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈને નુકસાનીની ઝીણવટભરી વિગતો એકત્રિત કરાઈ રહી છે.
ભરૂચમાં વરસાદથી નુકસાનગ્રસ્ત મકાનોનો તંત્ર દ્વારા સર્વે શરૂ કરાયો
મહિસાગરમાં રસ્તા ઉપર ઝાડ પડતા ટ્રાફિક ખોરવાયો
મહિસાગર જિલ્લામાં ભારે વરસાદ અને વાવાઝોડાના કારણે શામણા ક્રોસિંગ થી લુણાવાડા જવાના માર્ગ પર શુક્રવારની મોડી રાત્રે મોટું ઝાડ પડતા આ રસ્તા ઉપર વાહન વ્યવહાર ખોરવાયો હતો અને ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી. તંત્રએ ભારી જહમત બાદ આ રોડ ચાલુ કરવામાં આવ્યો હતો.
મહિસાગરમાં રસ્તા ઉપર ઝાડ પડતા ટ્રાફિક ખોરવાયો
અંકલેશ્વર પાલિકા દ્વારા રોગચાળો અટકાવવા સ્વચ્છતા અભિયાન
ભરૂચ જિલ્લામાં થયેલા વરસાદ બાદ, ચોમાસામાં ફેલાતા રોગચાળાને રોકવા અંકલેશ્વર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સ્વચ્છતા અભિયાન હાથ ધરાયું છે. ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ આરોગ્ય અને સફાઈ વિભાગની ટીમો નીચાણવાળા અને વરસાદથી પ્રભાવિત વિસ્તારોમાં સફાઈ કરી રહી છે. વરસાદી પાણીના નિકાલ, કચરાનો નિકાલ અને જંતુનાશક દવાનો છંટકાવ પણ કરવામાં આવી રહ્યો છે. ચોમાસાની પરિસ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુખાકારી જાળવવા પાલિકા તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે.
અંકલેશ્વર પાલિકા દ્વારા રોગચાળો અટકાવવા સ્વચ્છતા અભિયાન
નર્મદામાં આદિવાસી દંપતીએ વાવણીના શ્રીગણેશ કર્યા
દેડિયાપાડા - ચિકદા અને સાગબારા તાલુકામાં મેઘ મહેર થતાં આદિવાસી ખેડૂતો ખુશખુશાલ થઈ ગયા છે અને ખેતરમાં વાવેતર શરૂ કરી દીધુ છે. આજના આધુનિક યુગમાં પણ નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી ખેડૂતો આધુનિક સાધનો નહી પરંપરાગત સાધનોથી જ ખેતી કરે છે. બળદ અને હળથી વાવણીમાં જોતરાયેલા આદિવાસી પતિ પત્ની તસ્વીરમાં નજરે પડે છે.
નર્મદામાં આદિવાસી દંપતીએ વાવણીના શ્રીગણેશ કર્યા
પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
શહેરા તાલુકાના ઉમરપુર ગામના ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ પાકો બનાવવા માટે સ્થાનિકો દ્વારા વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે. જાગૃત ગ્રામજન કાંતિલાલ ચૌહાણે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસનો મળ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ કાચો માર્ગ કાદવ-કિચડથી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ પર પ્રખ્યાત મોગલ માતાજીનું મંદિર આવેલું છે, જેના કારણે શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. આ ઘોર ઉદાસીનતાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.
પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
છોટાઉદેપુરના વરિષ્ઠ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના 82 વર્ષની વયે નિધન
છોટાઉદેપુરના પીઢ આદિવાસી નેતા, પૂર્વ વનમંત્રી અને ગુજરાતના અનુભવી ધારાસભ્યોમાં અગ્રણી એવા મોહનસિંહ રાઠવા (82) નું નિધન થયું છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા અને સારવાર હેઠળ હતા. તેમના નિધનથી આદિવાસી સમાજ અને રાજકીય ક્ષેત્રે શોકની લાગણી ફેલાઈ છે. રાઠવાએ 1972માં રાજકારણ શરૂ કર્યું અને આદિવાસી સમાજ, ખેડૂતોના પ્રશ્નોને પ્રાધાન્ય આપ્યું. 11માંથી 10 વિધાનસભા ચૂંટણી જીતી અનેક વિકાસ કાર્યો કર્યા.
છોટાઉદેપુરના વરિષ્ઠ આદિવાસી નેતા મોહનસિંહ રાઠવાના 82 વર્ષની વયે નિધન
ભરૂચ કલેક્ટરનું ઝઘડિયાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત
ભરૂચ જિલ્લા કલેક્ટર ડૉ. નવનાથ ગવ્હાણે ઝઘડિયા તાલુકાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત લીધી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય સરકારી યોજનાઓનું યોગ્ય અમલીકરણ અને સેવાઓ છેવાડાના નાગરિકો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવાનો હતો. કલેક્ટરે પંચાયત દફતરની તપાસ કરી, ગ્રામજનો સાથે બેઠક યોજી તેમના પ્રશ્નો સાંભળ્યા. તેમણે સરકારી યોજનાઓ, શૈક્ષણિક સ્તર અને મધ્યાહન ભોજન યોજનાની પણ સમીક્ષા કરી.
ભરૂચ કલેક્ટરનું ઝઘડિયાના ખાલક ગામની આકસ્મિક મુલાકાત
PM મોદીએ મંત્રીઓને આપ્યા 'બંધ લિફાફા', ગુજરાત સરકારમાં ચર્ચાઓ તેજ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ એરપોર્ટ પર મંત્રીઓ સાથે ટૂંકી મીટિંગ કરી, જ્યાં તેમણે 'બંધ પરબિડિયા' આપ્યા. આ મીટિંગ અને 'બંધ લિફાફા' અંગે મંત્રી પરિષદમાં ભારે ચર્ચા ચાલી રહી છે. PMO દ્વારા મંત્રીઓના સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ વર્ક અંગેના રિપોર્ટ્સ પર આધારિત આ સૂચનાઓ, વહીવટીતંત્રમાં નવી ગતિવિધિઓ સૂચવે છે. આ ઘટનાક્રમ ગુજરાત સરકારમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા જગાવી રહ્યો છે.
PM મોદીએ મંત્રીઓને આપ્યા 'બંધ લિફાફા', ગુજરાત સરકારમાં ચર્ચાઓ તેજ
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
હવામાન વિભાગે ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ સહિત 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં પણ વરસાદ યથાવત રહેશે, જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પર ખાસ અસર જોવા મળશે. છેલ્લા 22 કલાકમાં 186 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે, જેમાં અમરેલી, નવસારી અને ગીર સોમનાથ જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.
ગુજરાતમાં 8 જિલ્લાઓમાં રેડ એલર્ટ, 22 કલાકમાં 186 તાલુકાઓમાં વરસાદ
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
બોડેલી પંથકમાં લાંબા વિરામ બાદ શુક્રવારની રાત્રે ૨ થી સવારના ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ વરસ્યો, જે ૩૫ એમએમ જેટલો નોંધાયો હતો. આ વરસાદને કારણે જગતના તાત ગણાતા ધરતીપુત્રોમાં આનંદની લાગણી ફેલાઈ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, મધરાત્રે વાતાવરણમાં અચાનક પલટો આવતા બોડેલી અને તેની આસપાસના અનેક વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો હતો. નગરમાં દોઢ ઈંચ અને વિસાડી, પાંધરા પંથકમાં લગભગ બે ઈંચ ઉપરાંત વરસાદ વરસ્યો, જેના પગલે ખેતરોમાં પાણી ભરાયા હતા.
બોડેલી તાલુકામાં શુક્રવાર રાત્રિથી સવાર સુધી ૨ થી ૬ વાગ્યા દરમિયાન ધોધમાર વરસાદ
ઉદલપુર-ડેસર અને જાનીપુરા માર્ગની પ્રથમ વરસાદે જ પોલ ખોલી
વડોદરાના ડેસર તાલુકામાં ચોમાસાના પ્રથમ વરસાદે જ ઉદલપુરથી ડેસર અને જાનીપુરા સુધીના માર્ગોની દયનીય સ્થિતિ ઉજાગર કરી છે. માર્ગો પર પડેલા મોટા ખાડાઓને કારણે વાહનચાલકોને હાલાકી વેઠવી પડે છે, અને રોજિંદા અવરજવર કરતા લોકો માટે તે જોખમી બન્યો છે. મહત્વના ક્વોરી ઉદ્યોગ ક્ષેત્ર હોવા છતાં માર્ગની જાળવણીમાં તંત્રની નિષ્ફળતા અંગે સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. આગામી વરસાદમાં પાણી ભરાવાથી અકસ્માતનો ભય વધી શકે છે. સ્થાનિકો તાત્કાલિક સમારકામની માંગ કરી રહ્યા છે.
ઉદલપુર-ડેસર અને જાનીપુરા માર્ગની પ્રથમ વરસાદે જ પોલ ખોલી
ડભોઇમાં સામાન્ય વરસાદથી મહુડી ભાગોળથી પરબડી સુધીનો રોડ ધોવાયો
ડભોઇમાં ચોમાસાની શરૂઆત થતાં જ નગરપાલિકાના પ્રી-મોન્સૂન પ્લાનિંગની પોલ ખુલી ગઈ છે. મહુડી ભાગોળથી પરબડી સુધીનો મુખ્ય માર્ગ માત્ર સામાન્ય વરસાદમાં જ સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. રસ્તા પર મોટા ખાડાઓ પડતાં સ્થાનિક રહીશો, વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આશ્ચર્યજનક રીતે, આ સમસ્યાગ્રસ્ત વિસ્તાર વોર્ડ નંબર 4 ના કાઉન્સિલર અને નગરપાલિકાના ઉપપ્રમુખનો પણ છે, તેમ છતાં સત્તાધીશો આ દુર્દશા તરફ ધ્યાન આપી રહ્યા નથી.