પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
પંચમહાલના શહેરાના ઉમરપુર ગામમાં ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ વર્ષોથી બિસમાર
Published on: 06th July, 2026

શહેરા તાલુકાના ઉમરપુર ગામના ચૌહાણ ફ્ળિયાનો મુખ્ય માર્ગ પાકો બનાવવા માટે સ્થાનિકો દ્વારા વર્ષોથી રજૂઆતો કરાઈ રહી છે. જાગૃત ગ્રામજન કાંતિલાલ ચૌહાણે અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે, પરંતુ તંત્ર તરફથી માત્ર આશ્વાસનો મળ્યા છે. ચોમાસાની શરૂઆત થતાં જ આ કાચો માર્ગ કાદવ-કિચડથી ભરાઈ જાય છે, જેના કારણે વાહનચાલકો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. મહત્વની વાત એ છે કે આ માર્ગ પર પ્રખ્યાત મોગલ માતાજીનું મંદિર આવેલું છે, જેના કારણે શ્રદ્ધાળુઓને પણ મુશ્કેલી પડે છે. આ ઘોર ઉદાસીનતાથી સ્થાનિકોમાં ભારે રોષ છે.