Logo Logo
News About Us Contact Us
Menu
  • News
  • Contact Us
  • About Us
  • Privacy Policy
  • Terms of Use
  • NEWS SOURCES
  • News18 ગુજરાતી
  • સંદેશ
  • દિવ્ય ભાસ્કર
  • ગુજરાત સમાચાર
  • Indian Express ગુજરાતી
  • ગુજરાતી OneIndia
  • News Kida
  • Trending
  • News Sources
Trending અમદાવાદ પ્લેન ક્રેશ પર્સનલ ફાઇનાન્સ Career Education ધર્મ હવામાન રાજકારણ ગુજરાત દેશ દુનિયા Crime ઓપરેશન સિંદૂર કૃષિ રમત-જગત વેપાર સ્ટોક માર્કેટ Science & Technology મનોરંજન બોલીવુડ જાણવા જેવું સ્વાસ્થ્ય જ્યોતિષ
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ

માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.

Published on: 03rd July, 2025
24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ
Published on: 03rd July, 2025
માત્ર 24 વર્ષની વયે દેશની સૌથી યુવા IAS બની નેહા બ્યાડવાલ. IAS નેહા બ્યાડવાલને પ્રોબેશનમાં ભરૂચમાં આસિસ્ટન્ટ કલેકટર તરીકે નિયુક્ત કરવામા આવ્યા છે. નેહા બ્યાડવાલનો જન્મ રાજસ્થાનના જયપુરમાં થયો હતો, જ્યારે ઉછેર છત્તીસગઢમાં થયો છે. IAS નેહાએ UPSCની પરીક્ષામાં કુલ 960 ગુણ મેળવ્યા, જેમાં ઇન્ટરવ્યુમાં 151 ગુણનો સમાવેશ થાય છે.
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.

રેલ મુસાફરી મોંઘી છે: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશે. તત્કાલ ટિકિટ બુકિંગ: આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ હોવો જરૂરી. પાન કાર્ડના નિયમો: જો તમારી પાસે આધાર નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. MGની કાર મોંઘી: કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કર્યો. UPI ટ્રાન્ઝેક્શન: હવે પેમેન્ટ કરતી સમયે અસલી રિસીવરનું નામ દેખાશે.ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો.

Published on: 01st July, 2025
આજથી દેશમાં સૌથી મોટા ૬ ફેરફારો લાગુ.
Published on: 01st July, 2025
રેલ મુસાફરી મોંઘી છે: AC માં 1000 કિમીની મુસાફરી માટે તમારે ₹20 વધુ ચૂકવવા પડશે. તત્કાલ ટિકિટ બુકિંગ: આધાર IRCTC એકાઉન્ટ સાથે લિંક થયેલ હોવો જરૂરી. પાન કાર્ડના નિયમો: જો તમારી પાસે આધાર નથી, તો તમે પાન કાર્ડ મેળવી શકશો નહીં. MGની કાર મોંઘી: કંપનીએ કિંમતોમાં 1.5% સુધીનો વધારો કર્યો. UPI ટ્રાન્ઝેક્શન: હવે પેમેન્ટ કરતી સમયે અસલી રિસીવરનું નામ દેખાશે.ગેસ સિલિન્ડર સસ્તો: કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં ₹58.50નો ઘટાડો.
Moscow Plane Crash: રશિયામાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, 4 લોકોના થયા મોત
Moscow Plane Crash: રશિયામાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, 4 લોકોના થયા મોત

રશિયાની રાજધાની મોસ્કોના કોલોમ્ના જિલ્લામાં યાક-18T ટ્રેનર વિમાન ક્રેશ થયું, જેમાં તમામ 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. વિમાન એરોબેટિક્સ અભ્યાસ દરમિયાન નિયંત્રણ બહાર થઇ ગયું હતુ. અકસ્માતનું મુખ્ય કારણ એન્જિન ફેઇલ્યોર અને આગ હોવાનું મનાઇ રહ્યું છે. વિમાન જમીન પર પટકાયું અને તરત જ આગ લાગી હતી. વિમાનને ઉડાન માટે સત્તાવાર પરવાનગી ન હતી, જેના આધારે મોસ્કો પ્રોસિક્યુટર ઓફિસે તપાસ શરૂ કરી છે. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને તાલીમાર્થી પાઇલટ્સ સવાર હતા, અને દુર્ઘટનામાં કોઈ જમીન પર નુકસાન થયું નથી. યાક-18T વિમાનનો ઉપયોગ પૂર્વ સોવિયેત દેશોમાં નાગરિક પાઇલટ તાલીમ માટે થાય છે.

Published on: 29th June, 2025
Moscow Plane Crash: રશિયામાં ટ્રેઈની વિમાન થયું ક્રેશ, 4 લોકોના થયા મોત
Published on: 29th June, 2025
રશિયાની રાજધાની મોસ્કોના કોલોમ્ના જિલ્લામાં યાક-18T ટ્રેનર વિમાન ક્રેશ થયું, જેમાં તમામ 4 લોકોના કરુણ મોત નિપજ્યા છે. વિમાન એરોબેટિક્સ અભ્યાસ દરમિયાન નિયંત્રણ બહાર થઇ ગયું હતુ. અકસ્માતનું મુખ્ય કારણ એન્જિન ફેઇલ્યોર અને આગ હોવાનું મનાઇ રહ્યું છે. વિમાન જમીન પર પટકાયું અને તરત જ આગ લાગી હતી. વિમાનને ઉડાન માટે સત્તાવાર પરવાનગી ન હતી, જેના આધારે મોસ્કો પ્રોસિક્યુટર ઓફિસે તપાસ શરૂ કરી છે. વિમાનમાં ક્રૂ મેમ્બર્સ અને તાલીમાર્થી પાઇલટ્સ સવાર હતા, અને દુર્ઘટનામાં કોઈ જમીન પર નુકસાન થયું નથી. યાક-18T વિમાનનો ઉપયોગ પૂર્વ સોવિયેત દેશોમાં નાગરિક પાઇલટ તાલીમ માટે થાય છે.
Indigoની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ્ કરાઈ, 160 યાત્રીઓ હતા સવાર
Indigoની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ્ કરાઈ, 160 યાત્રીઓ હતા સવાર

ચંદીગઢ થી લખનૌ જતી ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E146 ટેકનિકલ ખામીના કારણે કેન્સલ થઈ છે. ફ્લાઈટ સવારે 8 વાગ્યે ચંદીગઢથી લખનૌ માટે ઉડવાની હતી, પરંતુ ટેક ઓફ સમયે ટેકનિકલ ખામી આવતાં તેને રોકવી પડી. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી, જ્યાં 241 લોકોના મૃત્યુ થયા હતા, ફ્લાઈટ્સમાં વધુ સાવચેતી અપનાવવામાં આવે છે. આ ઘટનાએ લોકોમાં વિમાન મુસાફરીનો વિનાશકારક ડર ઉભો કર્યો છે. યાત્રીઓ હવે સલામતી મુદ્દે વધારે જાગૃત બન્યા છે અને પ્રત્યેક ઉડાન પહેલા ચકાસણી જોરદાર બનાવવામાં આવી છે.

Published on: 22nd June, 2025
Read More at સંદેશ
Indigoની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી સર્જાતા રદ્ કરાઈ, 160 યાત્રીઓ હતા સવાર
Published on: 22nd June, 2025
ચંદીગઢ થી લખનૌ જતી ઈન્ડિગો ફ્લાઈટ નંબર 6E146 ટેકનિકલ ખામીના કારણે કેન્સલ થઈ છે. ફ્લાઈટ સવારે 8 વાગ્યે ચંદીગઢથી લખનૌ માટે ઉડવાની હતી, પરંતુ ટેક ઓફ સમયે ટેકનિકલ ખામી આવતાં તેને રોકવી પડી. અમદાવાદમાં પ્લેન ક્રેશની ઘટના પછી, જ્યાં 241 લોકોના મૃત્યુ થયા હતા, ફ્લાઈટ્સમાં વધુ સાવચેતી અપનાવવામાં આવે છે. આ ઘટનાએ લોકોમાં વિમાન મુસાફરીનો વિનાશકારક ડર ઉભો કર્યો છે. યાત્રીઓ હવે સલામતી મુદ્દે વધારે જાગૃત બન્યા છે અને પ્રત્યેક ઉડાન પહેલા ચકાસણી જોરદાર બનાવવામાં આવી છે.
Read More at સંદેશ
Jagannath Rath Yatra: '148વર્ષમાં ના થયું હોય તેવું મામેરું કરીશું' ત્રિવેદી પરિવાર
Jagannath Rath Yatra: '148વર્ષમાં ના થયું હોય તેવું મામેરું કરીશું' ત્રિવેદી પરિવાર

અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઇ છે. દરવર્ષે અષાઢી બીજના દિવસે આ ભવ્ય ઉજવણી થાય છે, જેમાં ભગવાન મંદિર છોડી નગરની નગરચર્યા કરવા નિકળી જાય છે. ભગવાનની રથયાત્રા પહેલા 15 દિવસ જળયાત્રાનું આયોજન થાય છે અને પછી તેઓ મોસાળમાં નિવાસ કરે છે. આ વર્ષે ત્રિવેદી પરિવાર સરસપુર મોસાળામાં મામેરું કરશે, જેમાં ભગવાન રથમાં બિરાજમાન થશે. 148મા રથયાત્રા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ થશે. સોમવારે સરસપુરમાં આ મામેરું ધામધૂમથી કરવામાં આવશે, જેમાં યજમાન પરિવારે વાદળી કલરની થીમના વસ્ત્રો તૈયાર કર્યા છે.

Published on: 21st June, 2025
Read More at સંદેશ
Jagannath Rath Yatra: '148વર્ષમાં ના થયું હોય તેવું મામેરું કરીશું' ત્રિવેદી પરિવાર
Published on: 21st June, 2025
અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રાની તડામાર તૈયારી શરૂ થઇ છે. દરવર્ષે અષાઢી બીજના દિવસે આ ભવ્ય ઉજવણી થાય છે, જેમાં ભગવાન મંદિર છોડી નગરની નગરચર્યા કરવા નિકળી જાય છે. ભગવાનની રથયાત્રા પહેલા 15 દિવસ જળયાત્રાનું આયોજન થાય છે અને પછી તેઓ મોસાળમાં નિવાસ કરે છે. આ વર્ષે ત્રિવેદી પરિવાર સરસપુર મોસાળામાં મામેરું કરશે, જેમાં ભગવાન રથમાં બિરાજમાન થશે. 148મા રથયાત્રા માટે AI ટેક્નોલોજીનો ઉપયોગ થશે. સોમવારે સરસપુરમાં આ મામેરું ધામધૂમથી કરવામાં આવશે, જેમાં યજમાન પરિવારે વાદળી કલરની થીમના વસ્ત્રો તૈયાર કર્યા છે.
Read More at સંદેશ
સરદાર પટેલ પણ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા
સરદાર પટેલ પણ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા

12 જૂન, 2025 ભારતીય વિમાન ઈતિહાસમાં કાળો દિવસ તરીકે છપાયેલો રહેશે, જેમાં વિમાન અકસ્માતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયુ હતુ. અગાઉ પણ ઘણાં નેતાઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પણ આસામમાં જોરહાટ નજીક થયેલા વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. તેવી જ રીતે દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પણ વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. સરદાર પટેલ જયપુર જતીદીઠ વિમાનમાં તકલીફ આવી અને પાઈલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું, પરંતુ સરદાર સહિત બધા સલામત રહ્યા. રાજમોહન ગાંધી લિખિત 'સરદાર પટેલ - એક સમર્પિત જીવન'માં આ પ્રસંગનું વર્ણન છે.

Published on: 21st June, 2025
Read More at સંદેશ
સરદાર પટેલ પણ વિમાન અકસ્માતનો ભોગ બન્યા હતા
Published on: 21st June, 2025
12 જૂન, 2025 ભારતીય વિમાન ઈતિહાસમાં કાળો દિવસ તરીકે છપાયેલો રહેશે, જેમાં વિમાન અકસ્માતમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન થયુ હતુ. અગાઉ પણ ઘણાં નેતાઓ તેનો ભોગ બની ચૂક્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન મોરારજીભાઈ દેસાઈ પણ આસામમાં જોરહાટ નજીક થયેલા વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. તેવી જ રીતે દેશના પ્રથમ ગૃહપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ પણ વિમાન અકસ્માતમાં આબાદ બચી ગયા હતા. સરદાર પટેલ જયપુર જતીદીઠ વિમાનમાં તકલીફ આવી અને પાઈલટે સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યું હતું. આ ઘટનાથી સમગ્ર દેશમાં ચિંતાનું વાતાવરણ ફેલાયું હતું, પરંતુ સરદાર સહિત બધા સલામત રહ્યા. રાજમોહન ગાંધી લિખિત 'સરદાર પટેલ - એક સમર્પિત જીવન'માં આ પ્રસંગનું વર્ણન છે.
Read More at સંદેશ
Air India Plane Crash: પ્લેન ક્રેશના વીડિયોનું કરાયુ અવલોકન, સામે આવ્યા કારણો
Air India Plane Crash: પ્લેન ક્રેશના વીડિયોનું કરાયુ અવલોકન, સામે આવ્યા કારણો

અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતુ. જે બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કે ઘટના માટે કયા કારણો જવાબદાર છે. અમેરિકી નેવીના પૂર્વ પાયલટ અને નેવિગેશન નિષ્ણાંત કેપ્ટન સ્ટીવે પ્લેન ક્રેશના વીડિયોનું અવલોકન કર્યુ છે. અને કારણ વર્ણવ્યા છે. કેપ્ટન સ્ટીવે જણાવ્યુ હતુ કે, પ્લેન ક્રેશ માટે એન્જિન ફેલ થવાની સંભાવના નકારી શકાતી નથી. એનો અર્થ એ છે કે, વિમાનમાં પાંખને પુરતી હવા ન મળતા આ દુર્ઘટના સર્જાઇ શકે છે. સ્ટીવે વધુમાં જણાવ્યુ હતુ કે, વિમાનમાં પૂરતી ક્ષમતા ન હતી કે તે ઉપરની તરફ ઉઠી શકે. પાયલટ ફ્લૈફ્સ લગાવવાનું ભૂલ્યા હશે બીજુ કારણ એ છે કે, વિમાનના ટેક ઓફ થયા પહેલા વિશેષ ટેક્નિકલ સેટીંગ કરવાની જરુર હોય છે. જેમાં મુખ્ય હોય છે ફ્લૈપ્સને નીચે કરવું. ફ્લૈપ્સ વિમાનના પાંખનો એ ભાગ છે જે લિફ્ટ કરવામાં મદદ કરે છે. ખોટું લીવર ખેંચવાથી પણ થઇ શકે છે દુર્ઘટના ત્રીજું કારણ એ હોઇ શકે છે કે, પાયલટે ખોટું લીવર ખેંચ્યુ હશે. જેના કારણે ટેક ઓફ થયા બાદ પાયલોટ કહે છે કે, વિમાન હવામાં ઉઠી ચુક્યુ છે. જે બાદ પાયલોટ કહે છે કે, ગિયર અપ કરો. આ સમયે પાયલોટે જો ખોટું લીવર ખેંચ્યુ હશે તો પ્લેન ક્રેશ થઇ શકે છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Air India Plane Crash: પ્લેન ક્રેશના વીડિયોનું કરાયુ અવલોકન, સામે આવ્યા કારણો
Published on: 15th June, 2025
અમદાવાદમાં ગુરુવારે એર ઇન્ડિયાનું પ્લેન ક્રેશ થયુ હતુ. જે બાદ અનેક તર્ક વિતર્ક સર્જાયા હતા કે ઘટના માટે કયા કારણો જવાબદાર છે. અમેરિકી નેવીના પૂર્વ પાયલટ અને નેવિગેશન નિષ્ણાંત કેપ્ટન સ્ટીવે પ્લેન ક્રેશના વીડિયોનું અવલોકન કર્યુ છે. અને કારણ વર્ણવ્યા છે. કેપ્ટન સ્ટીવે જણાવ્યુ હતુ કે, પ્લેન ક્રેશ માટે એન્જિન ફેલ થવાની સંભાવના નકારી શકાતી નથી. એનો અર્થ એ છે કે, વિમાનમાં પાંખને પુરતી હવા ન મળતા આ દુર્ઘટના સર્જાઇ શકે છે. સ્ટીવે વધુમાં જણાવ્યુ હતુ કે, વિમાનમાં પૂરતી ક્ષમતા ન હતી કે તે ઉપરની તરફ ઉઠી શકે. પાયલટ ફ્લૈફ્સ લગાવવાનું ભૂલ્યા હશે બીજુ કારણ એ છે કે, વિમાનના ટેક ઓફ થયા પહેલા વિશેષ ટેક્નિકલ સેટીંગ કરવાની જરુર હોય છે. જેમાં મુખ્ય હોય છે ફ્લૈપ્સને નીચે કરવું. ફ્લૈપ્સ વિમાનના પાંખનો એ ભાગ છે જે લિફ્ટ કરવામાં મદદ કરે છે. ખોટું લીવર ખેંચવાથી પણ થઇ શકે છે દુર્ઘટના ત્રીજું કારણ એ હોઇ શકે છે કે, પાયલટે ખોટું લીવર ખેંચ્યુ હશે. જેના કારણે ટેક ઓફ થયા બાદ પાયલોટ કહે છે કે, વિમાન હવામાં ઉઠી ચુક્યુ છે. જે બાદ પાયલોટ કહે છે કે, ગિયર અપ કરો. આ સમયે પાયલોટે જો ખોટું લીવર ખેંચ્યુ હશે તો પ્લેન ક્રેશ થઇ શકે છે.
Read More at સંદેશ
Gandhinagar: LRD ભરતી માટે લેખીત પરીક્ષા પૂર્ણ, 825 કેન્દ્રો પર થયું આયોજન
Gandhinagar: LRD ભરતી માટે લેખીત પરીક્ષા પૂર્ણ, 825 કેન્દ્રો પર થયું આયોજન

ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળની 12,000 જગ્યાઓ માટે આજે રાજ્યના 7 મહત્વપૂર્ણ જિલ્લાઓમાં પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાં કુલ 825 કેન્દ્રો – શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. LRDની લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ X પોસ્ટથી આપી છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આશરે 2.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. રાજ્યના 7 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 825 કેન્દ્રો અને 8261 વર્ગખંડોમાં પરીક્ષા સંપૂણ થઈ છે. પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. આ પરીક્ષા ત્રણ કલાકની હતી. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV હેઠળ દેખરેખ રાખવામાં આવી છે. ઉમેદવારોનું બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોને વહેલા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવવામાં આવ્યું છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Gandhinagar: LRD ભરતી માટે લેખીત પરીક્ષા પૂર્ણ, 825 કેન્દ્રો પર થયું આયોજન
Published on: 15th June, 2025
ગુજરાત રાજ્ય પોલીસ ભરતી બોર્ડ દ્વારા લોક રક્ષક દળની 12,000 જગ્યાઓ માટે આજે રાજ્યના 7 મહત્વપૂર્ણ જિલ્લાઓમાં પરીક્ષા આયોજિત કરવામાં આવી હતી. જેમાં અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ગાંધીનગર, આણંદ અને ભાવનગર જિલ્લાનો સમાવેશ થાય છે. આ પરીક્ષા માટે રાજ્યભરમાં કુલ 825 કેન્દ્રો – શાળાઓમાં આયોજન કરવામાં આવ્યું હતું. LRDની લેખિત પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થયાની માહિતી ગૃહ રાજ્ય મંત્રીએ X પોસ્ટથી આપી છે. ગૃહ રાજ્ય મંત્રીએ જણાવ્યું કે આશરે 2.5 લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે. રાજ્યના 7 જિલ્લાઓમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. 825 કેન્દ્રો અને 8261 વર્ગખંડોમાં પરીક્ષા સંપૂણ થઈ છે. પરીક્ષાને લઈને પોલીસ વિભાગ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી. આ પરીક્ષા ત્રણ કલાકની હતી. તમામ પરીક્ષા કેન્દ્ર ખાતે CCTV હેઠળ દેખરેખ રાખવામાં આવી છે. ઉમેદવારોનું બાયોમેટ્રીક/ફોટોગ્રાફ વેરિફિકેશન કરવાનું હોવાથી ઉમેદવારોને વહેલા પરીક્ષા કેન્દ્ર ખાતે પહોંચવા જણાવવામાં આવ્યું છે.
Read More at સંદેશ
Anand: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું
Anand: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું

આણંદના મહેન્દ્ર વાઘેલાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃતકના મૃતદેહને રામનગર લવાયો હતો. મૃતક મહેન્દ્ર વાઘેલાને અંતિમ વિદાય આપવા સમગ્ર ગામ ઉમટ્યું હતું. અમદાવાદથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વતનમાં લવવામાં આવ્યો હતો. મૃતદેહને સાંસદ મિતેષ પટેલ, કલેક્ટરએ શ્રધ્ધાંજલિ આપી હતી. સરકારી અધિકારીઓ પણ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Anand: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાની અંતિમ યાત્રામાં સમગ્ર ગામ જોડાયું
Published on: 15th June, 2025
આણંદના મહેન્દ્ર વાઘેલાનું પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મોત થયું છે. અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં મૃતકના મૃતદેહને રામનગર લવાયો હતો. મૃતક મહેન્દ્ર વાઘેલાને અંતિમ વિદાય આપવા સમગ્ર ગામ ઉમટ્યું હતું. અમદાવાદથી એમ્બ્યુલન્સમાં મૃતદેહને વતનમાં લવવામાં આવ્યો હતો. મૃતદેહને સાંસદ મિતેષ પટેલ, કલેક્ટરએ શ્રધ્ધાંજલિ આપી હતી. સરકારી અધિકારીઓ પણ અંતિમ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.
Read More at સંદેશ
Ahmedabad: વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના વારસદારોને વીમા, દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ
Ahmedabad: વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના વારસદારોને વીમા, દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ

રાજ્ય સરકાર દ્વારા અમદાવામાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જૂજ મિનિટોમાં આ કાર્યવાહી હાથ ધરીને સમર્પિત તંત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા, દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ રહ્યું છે. વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં સરળતા રહે તે માટે IRDAIના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઇનસ્યોરર નીમવામાં આવી છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Ahmedabad: વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના વારસદારોને વીમા, દાવાની સહાય ચૂકવવા માટે હેલ્પડેસ્ક શરૂ
Published on: 15th June, 2025
રાજ્ય સરકાર દ્વારા અમદાવામાં AI-171 વિમાન દુર્ઘટના બાદ યુદ્ધના ધોરણે રાહત-બચાવની કામગીરી કરવામાં આવી રહી છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં જૂજ મિનિટોમાં આ કાર્યવાહી હાથ ધરીને સમર્પિત તંત્ર કાર્યરત કરવામાં આવ્યું છે. સંબંધિત જિલ્લાના કલેક્ટર દ્વારા વિમાન દુર્ઘટનાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોનો સંર્પક કરી કાયદેસર વારસદારોને વીમા, દાવાની સહાય ચૂકવવા માટે સંબંધિત જિલ્લાનાં હિસાબી અધિકારી અન્ય અધિકારીઓની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરવામાં આવી છે. જિલ્લા વહીવટી તંત્ર આ માટે અસરગ્રસ્તોને મદદરૂપ થઈ રહ્યું છે. વિમાન દુર્ઘટનામાં પ્રભાવિત થયેલા લોકોના ઇન્સ્યોરન્સ ક્લેમ પ્રોસેસ કરવામાં સરળતા રહે તે માટે IRDAIના નોટિફિકેશન અન્વયે હોસ્પિટલ ખાતે જોઇન્ટ સેલ શરૂ કરવાની સૂચના આપવામાં આવી હતી. જનરલ ઇન્સ્યોરન્સ કાઉન્સિલ વતી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપનીને લીડ ઇન્સ્યોરર તથા લાઇફ ઇન્શ્યોરન્સ કાઉન્સિલ વતી એચડીએફસી લાઇફને લીડ ઇનસ્યોરર નીમવામાં આવી છે.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારજનો સ્વીકારશે
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારજનો સ્વીકારશે

ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા છે, આ દુર્ઘટનામાં 270 થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તમામ મૃતકોના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને મૃતદેહને ઓળખીને તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ CM વિજય રૂપાણીનું DNA સેમ્પલ મેચ થયું છે અને 16 જૂને વિજય રૂપાણીના નશ્વરદેહને પરિવારજનો સ્વીકારશે, 11 વાગ્યે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહને અમદાવાદથી રાજકોટ લઈ જવાશે. 12.30થી 2 વાગ્યાની વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ પહોંચાડાશે. તે પછી 2.30થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ પરિવારજનો સ્વીકારશે
Published on: 15th June, 2025
ગુજરાતના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રુપાણી અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાનો શિકાર બન્યા છે, આ દુર્ઘટનામાં 270 થી વધુ લોકો જીવ ગુમાવ્યા છે અને સિવિલ હોસ્પિટલ ખાતે તમામ મૃતકોના મૃતદેહના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને મૃતદેહને ઓળખીને તેમના પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે પૂર્વ CM વિજય રૂપાણીનું DNA સેમ્પલ મેચ થયું છે અને 16 જૂને વિજય રૂપાણીના નશ્વરદેહને પરિવારજનો સ્વીકારશે, 11 વાગ્યે પરિવારજનો અમદાવાદ સિવિલ હોસ્પિટલ જશે અને 11:30 વાગ્યે વિજય રૂપાણીનો નશ્વરદેહ સ્વીકારશે. ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે નશ્વરદેહને અમદાવાદથી રાજકોટ લઈ જવાશે. 12.30થી 2 વાગ્યાની વચ્ચે હવાઈ માર્ગે વિજય રૂપાણીના નશ્વરદેહને રાજકોટ પહોંચાડાશે. તે પછી 2.30થી 4 વાગ્યા સુધી ગ્રીન ચોકડીથી અંતિમ યાત્રા કાઢવામાં આવશે. ગ્રીનલેન્ડ ચોકડીથી રાજકોટ નિવાસસ્થાને લઈ જવાશે.
Read More at સંદેશ
રાજકોટ : હાઇવે પર અકસ્માત થયેલો જોઈ વિજયભાઈએ કાર અટકાવી યુવાનને મદદ કરી
રાજકોટ : હાઇવે પર અકસ્માત થયેલો જોઈ વિજયભાઈએ કાર અટકાવી યુવાનને મદદ કરી

અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પરિવારને સોપવામાં આવી રહ્યાં છે. વિજયભાઈ રૂપાણીના સર્વન્ટ રહેલા ચંદુભાઈ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી. ચંદુભાઈએ વિજયભાઈના માયાળુ સ્વભાવને યાદ કર્યો અને પોતાના જન્મ દિવસ નિમિત્તે વિજયભાઈએ મંત્રીમંડળની મીટિંગમાં મોડું થઈ રહ્યું હતું, ત્યારે મીઠાઈ મંગાવી ઉજવણી કરી હતી. તેમણે વધુમાં વાત કરતા જણાવ્યું કે વિજયભાઈ મંત્રી હતા તે સમયે હાઇવે ઉપર જતા હતા ત્યારે એક અકસ્માત થયેલો ત્યારે કાર અટકાવી યુવાનને મદદ કરી હતી. તેઓની 1206 કાર થી લઈને આજ સુધીના તેઓના કિસ્સાઓ સંદેશ ન્યૂઝ સાથે વાગોળ્યાં છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
રાજકોટ : હાઇવે પર અકસ્માત થયેલો જોઈ વિજયભાઈએ કાર અટકાવી યુવાનને મદદ કરી
Published on: 15th June, 2025
અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનામાં રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થયું છે. આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોના મૃતદેહ પરિવારને સોપવામાં આવી રહ્યાં છે. વિજયભાઈ રૂપાણીના સર્વન્ટ રહેલા ચંદુભાઈ સાથે સંદેશ ન્યૂઝે વાતચીત કરી હતી. ચંદુભાઈએ વિજયભાઈના માયાળુ સ્વભાવને યાદ કર્યો અને પોતાના જન્મ દિવસ નિમિત્તે વિજયભાઈએ મંત્રીમંડળની મીટિંગમાં મોડું થઈ રહ્યું હતું, ત્યારે મીઠાઈ મંગાવી ઉજવણી કરી હતી. તેમણે વધુમાં વાત કરતા જણાવ્યું કે વિજયભાઈ મંત્રી હતા તે સમયે હાઇવે ઉપર જતા હતા ત્યારે એક અકસ્માત થયેલો ત્યારે કાર અટકાવી યુવાનને મદદ કરી હતી. તેઓની 1206 કાર થી લઈને આજ સુધીના તેઓના કિસ્સાઓ સંદેશ ન્યૂઝ સાથે વાગોળ્યાં છે.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ: 42 મૃતદેહોના DNA મેચ થયા, 21 મૃતદેહ પરિવારને સોંપાયા
અમદાવાદ પ્લેન ક્રેશ: 42 મૃતદેહોના DNA મેચ થયા, 21 મૃતદેહ પરિવારને સોંપાયા

અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હવે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કૂલ 42 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખાયેલા અને DNA મેચ થયેલા 21 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કૂલ 272 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે અને હજુ 13 બ્રિટિશ નાગરિકોના DNA સેમ્પલ લેવાના બાકી છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ: 42 મૃતદેહોના DNA મેચ થયા, 21 મૃતદેહ પરિવારને સોંપાયા
Published on: 15th June, 2025
અમદાવાદમાં બનેલી પ્લેન ક્રેશની દુર્ઘટના બાદ હવે સિવિલ હોસ્પિટલમાં મૃતકોના DNA મેચ કરવાની કામગીરી ચાલી રહી છે. અત્યાર સુધીમાં કૂલ 42 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખાયેલા અને DNA મેચ થયેલા 21 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યા છે. જણાવી દઈએ કે અત્યાર સુધીમાં કૂલ 272 લોકોના DNA સેમ્પલ લેવામાં આવ્યા છે અને હજુ 13 બ્રિટિશ નાગરિકોના DNA સેમ્પલ લેવાના બાકી છે.
Read More at સંદેશ
ગાંધીનગર  FSL ખાતે DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ
ગાંધીનગર FSL ખાતે DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ

ગાંધીનગર ખાતે FSLના ડિરેક્ટર એચ.પી. સંઘવીએ અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંઘવીએ કહ્યું હતું કે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક કરવામાં આવી રહી છે. DNA ના સેમ્પલ મેળવવાની મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક પદ્ધતિમાં ફ્રેશ બ્લડમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ પ્રક્રિયા નથી. જ્યારે બીજી પદ્ધતિમાં મૃતકના અવશેષોમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી પ્રક્રિયા છે. મૃતકના અવશેષમાંથી લીધેલ સેમ્પલને ચીવટતાથી સાફ કરવામાં આવે છે જેથી સેમ્પલમાં કોઈ બાહ્ય અશુદ્ધિઓ ન રહે. તેમણે ઉમેર્યું કે, DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેશનની પ્રક્રિયામાં જો હાડકાનું સેમ્પલ હોય તો તેનો પાવડર કરવામાં આવે છે અને જો સેમ્પલમાં દાંત હોય તો તેના નાના નાના ટુકડાઓ કર્યા બાદ પાવડર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ મશીનમાં ચોક્કસ તાપમાને DNA આઇસોલેટ કરવામાં આવે છે. આ આઇસોલેટ DNAની RTPCR મશીનમાં કોન્ટીટી અને ક્વોલિટી તપાસવામાં આવે છે. ત્યારબાદ જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ નકલો તૈયાર કરવામાં આવે છે. જેમાંથી DNA ની બંને સ્ટ્રેનને અલગ અલગ કરવામાં આવે છે. આ સ્ટ્રેનને સિક્વન્સીયર મશીન પર ચલાવવામાં આવે છે અને ત્યારબાદ DNAની પ્રોફાઈલ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ તથા સમય માંગી લે તેવી છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
ગાંધીનગર FSL ખાતે DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક ચાલુ
Published on: 15th June, 2025
ગાંધીનગર ખાતે FSLના ડિરેક્ટર એચ.પી. સંઘવીએ અમદાવાદ ખાતેની વિમાન દુર્ઘટનાના સંદર્ભમાં DNA પ્રોફાઇલિંગ અને મેચિંગની પ્રક્રિયા વિશે વિસ્તૃત માહિતી આપી હતી. સંઘવીએ કહ્યું હતું કે, વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓના પરિવારજનોના DNA સેમ્પલિંગથી મેચિંગ સુધીની પ્રક્રિયા સતત 24 કલાક કરવામાં આવી રહી છે. DNA ના સેમ્પલ મેળવવાની મુખ્યત્વે બે પદ્ધતિ છે. એક પદ્ધતિમાં ફ્રેશ બ્લડમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ પ્રક્રિયા નથી. જ્યારે બીજી પદ્ધતિમાં મૃતકના અવશેષોમાંથી સેમ્પલ લેવામાં આવે છે, જે જટિલ અને વધુ ચોકસાઈ માંગી લે તેવી પ્રક્રિયા છે. મૃતકના અવશેષમાંથી લીધેલ સેમ્પલને ચીવટતાથી સાફ કરવામાં આવે છે જેથી સેમ્પલમાં કોઈ બાહ્ય અશુદ્ધિઓ ન રહે. તેમણે ઉમેર્યું કે, DNA આઇસોલેશન અને એક્સ્ટ્રેશનની પ્રક્રિયામાં જો હાડકાનું સેમ્પલ હોય તો તેનો પાવડર કરવામાં આવે છે અને જો સેમ્પલમાં દાંત હોય તો તેના નાના નાના ટુકડાઓ કર્યા બાદ પાવડર કરવામાં આવે છે. ત્યારબાદ ખાસ મશીનમાં ચોક્કસ તાપમાને DNA આઇસોલેટ કરવામાં આવે છે. આ આઇસોલેટ DNAની RTPCR મશીનમાં કોન્ટીટી અને ક્વોલિટી તપાસવામાં આવે છે. ત્યારબાદ જો DNA યોગ્ય જણાય તો જ તેની એકથી વધુ નકલો તૈયાર કરવામાં આવે છે. જેમાંથી DNA ની બંને સ્ટ્રેનને અલગ અલગ કરવામાં આવે છે. આ સ્ટ્રેનને સિક્વન્સીયર મશીન પર ચલાવવામાં આવે છે અને ત્યારબાદ DNAની પ્રોફાઈલ પ્રાપ્ત થાય છે. આ સમગ્ર પ્રક્રિયા ખૂબ જ જટિલ તથા સમય માંગી લે તેવી છે.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે કરવામાં આવશે પૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે કરવામાં આવશે પૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ

એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. જેમાં વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ લંડન પોતાના પરિવારની મુલાકાત કરવા માટે જઇ રહ્યા હતા. પરંતુ પ્લેન લંડન માટે ટેક ઓફ કર્યાના ગણતરીના મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરો મોતને ભેટ્યા હતા. આવતીકાલે એટલે કે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા બાદ આજે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. અને બાદમાં આવતીકાલે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજ સુધીમાં મૃતદેહ રાજકોટ લઇ જવાશે. જ્યાં તેમના પરિવારના સભ્યો અને રાજનીતિની હસ્તિઓ પહોંચી છે. અને વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય પરિવારજનો ગાંધીનગરથી રાજકોટ પહોંચી રહ્યા છે. વિજય રુપાણીને તેમના કાર્યો, નિર્ણયો અને સરળ સ્વભાવ માટે હમેંશા યાદ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : આવતીકાલે કરવામાં આવશે પૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ
Published on: 15th June, 2025
એર ઇન્ડિયાની ફ્લાઇટ ક્રેશ થઇ હતી. જેમાં વિજય રુપાણી પણ સવાર હતા. તેઓ લંડન પોતાના પરિવારની મુલાકાત કરવા માટે જઇ રહ્યા હતા. પરંતુ પ્લેન લંડન માટે ટેક ઓફ કર્યાના ગણતરીના મિનિટોમાં જ દુર્ઘટનાગ્રસ્ત થયુ હતુ. આ દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરો મોતને ભેટ્યા હતા. આવતીકાલે એટલે કે સોમવારે રાજ્યના ભૂતપૂર્વ CM વિજય રુપાણીની અંતિમવિધિ કરવામાં આવશે. ડીએનએ સેમ્પલ મેચ થઇ ગયા બાદ આજે પરિવારને તેમનો મૃતદેહ સોંપવામાં આવશે. અને બાદમાં આવતીકાલે રાજકોટમાં અંતિમ સંસ્કાર કરવામાં આવશે. સાંજ સુધીમાં મૃતદેહ રાજકોટ લઇ જવાશે. જ્યાં તેમના પરિવારના સભ્યો અને રાજનીતિની હસ્તિઓ પહોંચી છે. અને વિજય રુપાણીને શ્રદ્ધાંજલિ આપી છે. અન્ય પરિવારજનો ગાંધીનગરથી રાજકોટ પહોંચી રહ્યા છે. વિજય રુપાણીને તેમના કાર્યો, નિર્ણયો અને સરળ સ્વભાવ માટે હમેંશા યાદ કરવામાં આવશે. સીએમ ભૂપેન્દ્ર પટેલ, પીએમ મોદીએ વિજય રૂપાણીના પરિવાર સાથે મુલાકાત કરીને સાંત્વના આપી હતી.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : અકસ્માતમાં અરબો રૂપિયાનું નુકસાન, જાણો ખર્ચ
અમદાવાદ પ્લેન ક્રેશ : અકસ્માતમાં અરબો રૂપિયાનું નુકસાન, જાણો ખર્ચ

અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી શોકનો માહોલ છે. પરંતુ શું તમે જાણો આ એર ક્રેશમાં જ્યાં લાખો-કરોડો નહીં પણ અરબો રૂપિયાનું નુકસાન થયુ છે. આ દુર્ઘટનાને ભારતીય એવિએશન ઇતિહાસમાં સૌથી મોંઘો અકસ્માત ગણી શકાય છે. આ દુર્ઘટના સૌ કોઇ માટે આશ્ચર્ય ચકિત કરે તેવી હતી. જેમાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓ મોતને ભેટ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બોઇંગ 787 ડ્રીમલાઇનર હતી. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 1600થી 2000 કરોડ રૂપિયાની વચ્ચે છે. વીમાની રકમ અંગે ક્લેમ એર ઇન્ડિયાને આ દુર્ઘટના માટે ઇન્શ્યોરંસ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો ક્લેમ મળશે. પરંતુ તેમા પ્રીમિયમ રેટ્સ વધવાની શક્યતા છે. અમુક કિસ્સાઓમાં એરલાઇન્સને લોન્ગ-ટર્મ નુકસાન ભોગવવું પડી શકે છે. વીમાની રકમ અંગે ક્લેમ 2,490 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોવાની શક્યતા છે. આ દુર્ઘટનામાં ટેક્નિકલ ખામી અને એરપોર્ટ પર ક્ષતિગ્રસ્ત વસ્તુઓને રિપેર કરવામાં કરોડો રુપિયાનો ખર્ચ થશે. બોઇંગ 787 ડ્રીમલાઇનર નો ખર્ચ આ દુર્ઘટનાને સૌથી વધુ મોંઘી બનાવી દે છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : અકસ્માતમાં અરબો રૂપિયાનું નુકસાન, જાણો ખર્ચ
Published on: 15th June, 2025
અમદાવાદમાં થયેલા એર ઇન્ડિયા પ્લેન ક્રેશથી શોકનો માહોલ છે. પરંતુ શું તમે જાણો આ એર ક્રેશમાં જ્યાં લાખો-કરોડો નહીં પણ અરબો રૂપિયાનું નુકસાન થયુ છે. આ દુર્ઘટનાને ભારતીય એવિએશન ઇતિહાસમાં સૌથી મોંઘો અકસ્માત ગણી શકાય છે. આ દુર્ઘટના સૌ કોઇ માટે આશ્ચર્ય ચકિત કરે તેવી હતી. જેમાં એક યાત્રીને બાદ કરતા તમામ યાત્રીઓ મોતને ભેટ્યા હતા. એર ઇન્ડિયાની આ ફ્લાઇટ બોઇંગ 787 ડ્રીમલાઇનર હતી. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં લગભગ 1600થી 2000 કરોડ રૂપિયાની વચ્ચે છે. વીમાની રકમ અંગે ક્લેમ એર ઇન્ડિયાને આ દુર્ઘટના માટે ઇન્શ્યોરંસ કંપનીઓ પાસેથી કરોડો રૂપિયાનો ક્લેમ મળશે. પરંતુ તેમા પ્રીમિયમ રેટ્સ વધવાની શક્યતા છે. અમુક કિસ્સાઓમાં એરલાઇન્સને લોન્ગ-ટર્મ નુકસાન ભોગવવું પડી શકે છે. વીમાની રકમ અંગે ક્લેમ 2,490 કરોડ રૂપિયા અથવા તેનાથી વધુ હોવાની શક્યતા છે. આ દુર્ઘટનામાં ટેક્નિકલ ખામી અને એરપોર્ટ પર ક્ષતિગ્રસ્ત વસ્તુઓને રિપેર કરવામાં કરોડો રુપિયાનો ખર્ચ થશે. બોઇંગ 787 ડ્રીમલાઇનર નો ખર્ચ આ દુર્ઘટનાને સૌથી વધુ મોંઘી બનાવી દે છે.
Read More at સંદેશ
પ્લેનમાં કયા કારણોથી યાત્રીઓને પેરાશૂટ નથી આપવામાં આવતું ?
પ્લેનમાં કયા કારણોથી યાત્રીઓને પેરાશૂટ નથી આપવામાં આવતું ?

ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પછી લોકોને ખૂબ આઘાત લાગ્યો હતો. દરેક વ્યકિત જાણવા ઈચ્છે છે કે પ્લેન ક્રેશ કેવી રીતે થયું ? પ્લેન ક્રેશની ઘટના પછી લોકોનું માનવું એમ છે કે યાત્રીઓની પાસે પેરાશૂટ હોય તો તે પોતાનો જીવ બચાવી શકે છે. આ વાત બોલવામાં જેટલી આસાન છે એટલું હકીકતમાં નથી. વિમાન નિષ્ણાતોનું કહેવું છે કે પ્લેનમાં બધા યાત્રીઓ માટે પેરાશૂટ રાખવાનું સૌથી મોટું કારણ એ છે કે તેનું વજન અને તેના રાખવાની જગ્યા ઉપલબ્ધ નથી. તેનું વજન લગભગ 3500 થી 3600 કિલોગ્રામ જેટલું વધી જાય છે જો બધાને પેરાશૂટ આપવામાં આવે તો. બીજું કારણ એ છે કે પેરાશૂટ 19 થી 15 હજાર ફીટની ઉંચાઈથી નીચે કૂદે છે, જો કે વિમાનની ઉંચાઈ 30 થી 35 હજાર ફીટ હોય છે. ત્યા હવા ખૂબ જ તેજ હોય છે જેનાથી યાત્રીઓના જીવનું જોખમ વધી શકે છે. પેરાશૂટથી કૂદતા પહેલા વિશેષ પ્રશિક્ષણની જરૂર પડે છે. કારણ કે એક નાની ભૂલથી મોટી ઘટના થઈ શકે છે. એક યાત્રી વિમાનમાં સામાન્ય નાગરિક હોય છે જેને પેરાશૂટથી કૂદવાની કોઈ ટ્રેનિંગ નથી મળતી. તેની માટે ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
પ્લેનમાં કયા કારણોથી યાત્રીઓને પેરાશૂટ નથી આપવામાં આવતું ?
Published on: 15th June, 2025
ગુજરાતના અમદાવાદમાં એક મોટી વિમાન દુર્ઘટના બની હતી. એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના પછી લોકોને ખૂબ આઘાત લાગ્યો હતો. દરેક વ્યકિત જાણવા ઈચ્છે છે કે પ્લેન ક્રેશ કેવી રીતે થયું ? પ્લેન ક્રેશની ઘટના પછી લોકોનું માનવું એમ છે કે યાત્રીઓની પાસે પેરાશૂટ હોય તો તે પોતાનો જીવ બચાવી શકે છે. આ વાત બોલવામાં જેટલી આસાન છે એટલું હકીકતમાં નથી. વિમાન નિષ્ણાતોનું કહેવું છે કે પ્લેનમાં બધા યાત્રીઓ માટે પેરાશૂટ રાખવાનું સૌથી મોટું કારણ એ છે કે તેનું વજન અને તેના રાખવાની જગ્યા ઉપલબ્ધ નથી. તેનું વજન લગભગ 3500 થી 3600 કિલોગ્રામ જેટલું વધી જાય છે જો બધાને પેરાશૂટ આપવામાં આવે તો. બીજું કારણ એ છે કે પેરાશૂટ 19 થી 15 હજાર ફીટની ઉંચાઈથી નીચે કૂદે છે, જો કે વિમાનની ઉંચાઈ 30 થી 35 હજાર ફીટ હોય છે. ત્યા હવા ખૂબ જ તેજ હોય છે જેનાથી યાત્રીઓના જીવનું જોખમ વધી શકે છે. પેરાશૂટથી કૂદતા પહેલા વિશેષ પ્રશિક્ષણની જરૂર પડે છે. કારણ કે એક નાની ભૂલથી મોટી ઘટના થઈ શકે છે. એક યાત્રી વિમાનમાં સામાન્ય નાગરિક હોય છે જેને પેરાશૂટથી કૂદવાની કોઈ ટ્રેનિંગ નથી મળતી. તેની માટે ટ્રેનિંગ લેવી ખૂબ જરૂરી છે.
Read More at સંદેશ
Ahmedabad Plane Crash: સુરક્ષા એજન્સીઓએ પ્લેન દુઘટનાની વિવિધ એંગલથી કરી તપાસ
Ahmedabad Plane Crash: સુરક્ષા એજન્સીઓએ પ્લેન દુઘટનાની વિવિધ એંગલથી કરી તપાસ

અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં 30થી વધુ મૃતદેહોના ડીએનએ મેચ થઇ ગયા છે. અને 21 જેટલા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ વિવિધ થીયરીઓ સામે આવી રહી છે. પ્લેન ક્રેશ માટે વિવિધ નિવેદનો જોવા મળ્યા છે. ત્યારે પ્લેન દુઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી હતી અને પુરાવા એક્ત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. દુર્ઘટના સ્થળેથી કોઇ વાંધાજનક સામ્રગી ન મળી હોવાની માહિતી સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક અંગે કોઇ પુરાવા મળ્યા ન હોવાનુ જાણવા મળ્યુ છે. IED અંગેના કોઇ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી. તો આ તરફ, બર્ડ હીટ તેમજ ઓવરલોડીંગના પણ કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. તમામ કારણોને જાણવા માટે સુરક્ષા એજન્સીઓએ વિવિધ રીતે તપાસ શરુ કરી હતી. અને સત્ય શું હતુ તે જાણવા માટે પ્રયત્ન શરુ કર્યા હતા.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Ahmedabad Plane Crash: સુરક્ષા એજન્સીઓએ પ્લેન દુઘટનાની વિવિધ એંગલથી કરી તપાસ
Published on: 15th June, 2025
અમદાવાદમાં થયેલી પ્લેન દુર્ઘટનામાં ડીએનએ મેચ કરવાની પ્રક્રિયા શરુ છે. જેમાં 30થી વધુ મૃતદેહોના ડીએનએ મેચ થઇ ગયા છે. અને 21 જેટલા મૃતદેહો તેમના પરિવારને સોંપવામાં આવ્યા છે. એર ઇન્ડિયાના પ્લેન ક્રેશ બાદ વિવિધ થીયરીઓ સામે આવી રહી છે. પ્લેન ક્રેશ માટે વિવિધ નિવેદનો જોવા મળ્યા છે. ત્યારે પ્લેન દુઘટનાની અલગ અલગ એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. સુરક્ષા એજન્સીઓએ દુર્ઘટનાસ્થળે જઇને તપાસ હાથ ધરી હતી અને પુરાવા એક્ત્ર કરવા માટે તજવીજ હાથ ધરી છે. દુર્ઘટના સ્થળેથી કોઇ વાંધાજનક સામ્રગી ન મળી હોવાની માહિતી સામે આવી હતી. પ્રાથમિક તપાસમાં વિસ્ફોટક અંગે કોઇ પુરાવા મળ્યા ન હોવાનુ જાણવા મળ્યુ છે. IED અંગેના કોઇ પુરાવા પણ પ્રાપ્ત થયા નથી. તો આ તરફ, બર્ડ હીટ તેમજ ઓવરલોડીંગના પણ કોઈ પુરાવા હાથ લાગ્યા નથી. તમામ કારણોને જાણવા માટે સુરક્ષા એજન્સીઓએ વિવિધ રીતે તપાસ શરુ કરી હતી. અને સત્ય શું હતુ તે જાણવા માટે પ્રયત્ન શરુ કર્યા હતા.
Read More at સંદેશ
Ahmedabad Plane Crash: DNA મેચ થયા બાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો પરિવારને સોંપાયા
Ahmedabad Plane Crash: DNA મેચ થયા બાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો પરિવારને સોંપાયા

અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ દરેક સ્થળે શોકનો માહોલ છે. આ પ્લેન ક્રેશમાં પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ છે. DNA મેચ કરવાની પ્રક્રિયા બાદ મૃતદેહ પીડિત પરિવારનોને સોંપાઇ રહ્યા છે. અત્યાર સુધી કુલ 32 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખ અને DNA મેચ થયેલા 21 મૃતદેહ પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદના 4, ખેડાનો 1 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. વિસનગરના 4, વડોદરાના 2 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે. તો બોટાદ, અરવલ્લી અને ઉદેપુરના મૃતદેહ પણ પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી છે. એર ઇન્ડિયાનું આ પ્લેન આ યાત્રીઓ માટે કાળનો કોળિયો બનીને આવ્યો હતો. જેમાં મોટા ભાગના પરિવારના માળા વિખેરાઇ ગયા હતા.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Ahmedabad Plane Crash: DNA મેચ થયા બાદ વિમાન દુર્ઘટનાના મૃતદેહો પરિવારને સોંપાયા
Published on: 15th June, 2025
અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનામાં એક યાત્રીને બાદ કરતા તમામ મુસાફરોએ પોતાના જીવ ગુમાવ્યા હતા. આ દુર્ઘટના બાદ દરેક સ્થળે શોકનો માહોલ છે. આ પ્લેન ક્રેશમાં પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી ચાલુ છે. DNA મેચ કરવાની પ્રક્રિયા બાદ મૃતદેહ પીડિત પરિવારનોને સોંપાઇ રહ્યા છે. અત્યાર સુધી કુલ 32 મૃતદેહોના DNA મેચ થયા છે. ઓળખ અને DNA મેચ થયેલા 21 મૃતદેહ પીડિત પરિવારોને સોંપવામાં આવ્યા છે. અમદાવાદના 4, ખેડાનો 1 મૃતદેહ પરિવારને સોંપવામાં આવ્યો છે. વિસનગરના 4, વડોદરાના 2 મૃતકોના મૃતદેહ પરિવારને સોંપાયા છે. તો બોટાદ, અરવલ્લી અને ઉદેપુરના મૃતદેહ પણ પરિવારને સોંપવાની કામગીરી કરવામાં આવી છે. એર ઇન્ડિયાનું આ પ્લેન આ યાત્રીઓ માટે કાળનો કોળિયો બનીને આવ્યો હતો. જેમાં મોટા ભાગના પરિવારના માળા વિખેરાઇ ગયા હતા.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : દુર્ઘટના કે તુર્કીનું ષડયંત્ર ? વિમાનનું મેન્ટેનન્સ તુર્કી પાસે હતું?
અમદાવાદ પ્લેન ક્રેશ : દુર્ઘટના કે તુર્કીનું ષડયંત્ર ? વિમાનનું મેન્ટેનન્સ તુર્કી પાસે હતું?

અમદાવાદમાં એર ઈન્ડિયાના યાત્રીઓ વિમાનની ઉડાણ ભરવાની સાથે જ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. 12 મે ના રોજ થયેલા આ વિમાન અકસ્માતમાં સવાર એક યાત્રીને છોડીને તમામ 241 લોકોના મોત નિપજ્યા છે. આ મેડિકલ કોલેજ કેમ્પસમાં આ વિમાન પડ્યું અને કેમ્પસમાં રહેલા લોકો પણ તેનો શિકાર બની ગયા. આ ઘટનાને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. જો કે ઘટનાની તપાસ પુરી થયા બાદ આ દુર્ઘટનાનું સત્ય સામે આવશે. આ વિમાન દુર્ઘટના બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે એર ઈન્ડિયા કંપનીનું વિમાન તુર્કી કંપની પાસે છે જેના કારણે એવું થઈ શકે કે તેણે કોઈ ષડયંત્ર રચ્યું હોય.આ વાતોની ચર્ચાએ જોર પકડ્યા બાદ તુર્કીએ બીજુ એક નિવેદન જાહેર કર્યું છે. તુર્કીએ કહ્યું છે કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ 787-8 વિમાનનું મેન્ટેનન્સ ટર્કિશ ટેકનિક પાસે ન નહોતું. આ રીતે જે કંઈ પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તે ખોટા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024-25માં એર ઈન્ડિયા અને ટર્કિશ ટેકનિકની વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે મેન્ટેનન્સ સર્વિસ ખાસ કરીને B 777 પ્રકારના વાઈડ બોડી વિમાનો માટે પ્રદાન કરવામાં આવે છે. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર તેની સમજૂતીના ડાયરામાં આવતું નથી. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હાલ અમે જાણીયે છીએ કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપની કરી રહી છે પરંતું આ કિસ્સાઓમાં નિવેદન આપવું અમારા આધિકાર ક્ષેત્રની બહાર છે. આ ઘટના ખુબ દુઃખદ છે. દુખના આ સમયમાં અમારી સંવેદનાઓ ભારતના લોકો સાથે છે.તુર્કીની કંપની ટર્કીશ ટેકનિક એક ગ્લોબલ એવિેશન સર્વિસ પ્રોવાઈડર છે. ભારતની ઘણી એરલાઈન્સ કંપનીઓ તેની સર્વિસ લે છે. આ કંપની એર ઈન્ડિયાના બોઈંગ 777નું મેન્ટેનન્સ જોવે છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશ : દુર્ઘટના કે તુર્કીનું ષડયંત્ર ? વિમાનનું મેન્ટેનન્સ તુર્કી પાસે હતું?
Published on: 15th June, 2025
અમદાવાદમાં એર ઈન્ડિયાના યાત્રીઓ વિમાનની ઉડાણ ભરવાની સાથે જ દુર્ઘટનાનો ભોગ બન્યા હતા. 12 મે ના રોજ થયેલા આ વિમાન અકસ્માતમાં સવાર એક યાત્રીને છોડીને તમામ 241 લોકોના મોત નિપજ્યા છે. આ મેડિકલ કોલેજ કેમ્પસમાં આ વિમાન પડ્યું અને કેમ્પસમાં રહેલા લોકો પણ તેનો શિકાર બની ગયા. આ ઘટનાને લઈને ઘણા સવાલો ઉભા થયા છે. જો કે ઘટનાની તપાસ પુરી થયા બાદ આ દુર્ઘટનાનું સત્ય સામે આવશે. આ વિમાન દુર્ઘટના બાદ એવી ચર્ચાઓ થઈ રહી છે કે એર ઈન્ડિયા કંપનીનું વિમાન તુર્કી કંપની પાસે છે જેના કારણે એવું થઈ શકે કે તેણે કોઈ ષડયંત્ર રચ્યું હોય.આ વાતોની ચર્ચાએ જોર પકડ્યા બાદ તુર્કીએ બીજુ એક નિવેદન જાહેર કર્યું છે. તુર્કીએ કહ્યું છે કે અમદાવાદમાં દુર્ઘટનાગ્રસ્ત બોઈંગ 787-8 વિમાનનું મેન્ટેનન્સ ટર્કિશ ટેકનિક પાસે ન નહોતું. આ રીતે જે કંઈ પણ દાવાઓ કરવામાં આવી રહ્યા છે, તે ખોટા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે 2024-25માં એર ઈન્ડિયા અને ટર્કિશ ટેકનિકની વચ્ચે થયેલી સમજૂતી પ્રમાણે મેન્ટેનન્સ સર્વિસ ખાસ કરીને B 777 પ્રકારના વાઈડ બોડી વિમાનો માટે પ્રદાન કરવામાં આવે છે. બોઈંગ 787-8 ડ્રીમલાઈનર તેની સમજૂતીના ડાયરામાં આવતું નથી. નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યું છે કે હાલ અમે જાણીયે છીએ કે દુર્ઘટનાગ્રસ્ત વિમાનનું મેન્ટેનન્સ કઈ કંપની કરી રહી છે પરંતું આ કિસ્સાઓમાં નિવેદન આપવું અમારા આધિકાર ક્ષેત્રની બહાર છે. આ ઘટના ખુબ દુઃખદ છે. દુખના આ સમયમાં અમારી સંવેદનાઓ ભારતના લોકો સાથે છે.તુર્કીની કંપની ટર્કીશ ટેકનિક એક ગ્લોબલ એવિેશન સર્વિસ પ્રોવાઈડર છે. ભારતની ઘણી એરલાઈન્સ કંપનીઓ તેની સર્વિસ લે છે. આ કંપની એર ઈન્ડિયાના બોઈંગ 777નું મેન્ટેનન્સ જોવે છે.
Read More at સંદેશ
Ahmedabad Plane Crash માં 31 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, વાંચો સ્ટોરી
Ahmedabad Plane Crash માં 31 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, વાંચો સ્ટોરી

અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે સવારે ૯.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી કે જે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Ahmedabad Plane Crash માં 31 મૃતકોનાં DNA સેમ્પલ મેચ થયા, વાંચો સ્ટોરી
Published on: 15th June, 2025
અમદાવાદમાં 12મી જૂને એર ઇન્ડિયાનું લંડન જઇ રહેલુ AI171 વિમાન મેધાણીનગરમાં ક્રેશ થયું હતું. આ દુર્ઘટનાના પગલે રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલી ઓળખની કામગીરી અંગે અમદાવાદ સિવિલ હોસ્પિટલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ ડો. રજનીશ પટેલે સવારે ૯.૦૦ કલાકે મીડિયા બ્રીફિંગ દરમિયાન માહિતી આપી હતી કે જે ડીએનએ સેમ્પલ મેચ થયા છે તે પાર્થિવદેહ પરિવારજનોને સન્માનપૂર્વક સોંપવામાં આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, દરેક મૃતકના પરિવાર માટે એક અલાયદી ટીમ ફાળવવામાં આવી છે. આ ટીમમાં એક વરિષ્ઠ અધિકારી, પોલીસકર્મી અને એક પ્રોફેશનલ કાઉન્સેલરનો સમાવેશ થાય છે. અત્યાર સુધી કુલ 31 મૃતકોનાં ડીએનએ સેમ્પલ મેચ થયા, 12 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે.
Read More at સંદેશ
કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત
કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત

ચારધામ યાત્રા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ હતી. આ યાત્રા શરૂ થયાને લગભગ 45 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં અહીં 4 હેલિકોપ્ટર અકસ્માત થયા છે. તાજેતરની ઘટના આજે સવારે 5.20 વાગ્યે બની હતી. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો એક પાયલટ સાથે કેદારનાથથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા. ગૌરીકુંડ નજીક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફર ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના કરૂણ મોત થયા છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
કેદારનાથ હેલિકોપ્ટર ક્રેશ: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત
Published on: 15th June, 2025
ચારધામ યાત્રા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ હતી. આ યાત્રા શરૂ થયાને લગભગ 45 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં અહીં 4 હેલિકોપ્ટર અકસ્માત થયા છે. તાજેતરની ઘટના આજે સવારે 5.20 વાગ્યે બની હતી. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો એક પાયલટ સાથે કેદારનાથથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા. ગૌરીકુંડ નજીક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. તેમાં સવાર તમામ લોકોના મોત થયા છે. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફર ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના કરૂણ મોત થયા છે.
Read More at સંદેશ
Kedarnath helicopter crash: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત
Kedarnath helicopter crash: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત

ચારધામ યાત્રા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ હતી. આ યાત્રા શરૂ થયાને લગભગ 45 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં અહીં 4 હેલિકોપ્ટર અકસ્માત થયા છે. તાજેતરની ઘટના આજે સવારે 5.20 વાગ્યે બની હતી. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો એક પાયલટ સાથે કેદારનાથથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા. ગૌરીકુંડ નજીક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફર ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના કરૂણ મોત થયા છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Kedarnath helicopter crash: UP, ગુજરાત, મહારાષ્ટ્રના મુસાફરોના હેલિકોપ્ટર ક્રેશમાં મોત
Published on: 15th June, 2025
ચારધામ યાત્રા 30 એપ્રિલે અક્ષય તૃતીયાના દિવસે શરૂ થઈ હતી. આ યાત્રા શરૂ થયાને લગભગ 45 દિવસ થઈ ગયા છે. અત્યાર સુધીમાં અહીં 4 હેલિકોપ્ટર અકસ્માત થયા છે. તાજેતરની ઘટના આજે સવારે 5.20 વાગ્યે બની હતી. હેલિકોપ્ટરમાં 6 મુસાફરો એક પાયલટ સાથે કેદારનાથથી ગુપ્તકાશી જવા રવાના થયા હતા. ગૌરીકુંડ નજીક ખરાબ હવામાનને કારણે હેલિકોપ્ટર અકસ્માતનો ભોગ બન્યું હતું. ઉત્તરાખંડ સિવિલ એવિએશન ડેવલપમેન્ટ ઓથોરિટી (UCADA) અનુસાર હેલિકોપ્ટરમાં સવાર મુસાફર ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર અને ગુજરાતના છે. હેલિકોપ્ટર આર્યન એવિએશન કંપનીનું હતુ. મૃતકોમાં એક બાળકીનો સમાવેશ થાય છે. અકસ્માતમાં પાયલોટ સહિત 7 લોકોના કરૂણ મોત થયા છે.
Read More at સંદેશ
સારંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 100 કિલો ઓર્કિડના ફૂલોનો શણગાર કરાયો
સારંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 100 કિલો ઓર્કિડના ફૂલોનો શણગાર કરાયો

સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-06-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં દાદાને પ્યોર સિલ્કના વાઘા એવં 100 કિલો ઓર્કિડના ફૂલોનો શણગાર કરાવવામાં આવ્યો છે. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથો સાથ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. તો હનુમાનજીના સિંહાસને 100 કિલો ઓર્કિડના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 7 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
સારંગપુર શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 100 કિલો ઓર્કિડના ફૂલોનો શણગાર કરાયો
Published on: 15th June, 2025
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તારીખ 15-06-2025ને રવિવારના રોજ સાળંગપુરમાં દાદાને પ્યોર સિલ્કના વાઘા એવં 100 કિલો ઓર્કિડના ફૂલોનો શણગાર કરાવવામાં આવ્યો છે. આજે અનેક હરિભક્તોએ દર્શન એવં મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથો સાથ મંદિર પરિસરમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને વૃંદાવનમાં 15 દિવસની મહેનતે 7 કારીગરો દ્વારા બનાવવામાં આવેલા પ્યોર સિલ્કના વાઘા પહેરાવવામાં આવ્યા છે. આ વાઘામાં વિશેષ જરદોશી વર્ક કરવામાં આવ્યું છે. તો હનુમાનજીના સિંહાસને 100 કિલો ઓર્કિડના ફુલોનો શણગાર કરવામાં આવ્યો છે. આ ફૂલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 7 સંતો, ભક્તો અને પાર્ષદોને 4 કલાકનો સમય લાગ્યો હતો.
Read More at સંદેશ
વિજય રૂપાણીનું પૈત્રુક ગામ ચણાકા, સ્થાનિકોએ કહ્યું, મંદિર માટે ખૂબ વિકાસ કર્યો
વિજય રૂપાણીનું પૈત્રુક ગામ ચણાકા, સ્થાનિકોએ કહ્યું, મંદિર માટે ખૂબ વિકાસ કર્યો

અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું ચણાકા વિજય રૂપાણીનું પૈત્રુક ગામ છે, જ્યાં વિજય રૂપાણીના કુળદેવી અને સુરાપુરાનું સ્થાનક છે અને તેમના પરિવારનો અતૂટ સંબંધ છે તે ગામમાં આ સમાચાર સાંભળતા જ શોકની લાગણી ફેલાઈ હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ સંવેદનશીલ અને ભગવાનમાં આસ્થા ધરાવતા હતા તેમજ તેમના કુળદેવી અને સુરાપુરાના મંદિર માટે ખૂબ જ ચિંતા કરતા હતા અને તેમણે આ બંને મંદિરોનો ખૂબ જ મોટો વિકાસ પણ કર્યો છે, પોતાના કુળદેવી અંબા માતાજીના મંદિર માટે અબુધાબી થી મજૂરોને બોલાવવામાં આવ્યા અને તેમને આરસની ઉપર મૂર્તિ કંડારીને અહીં સ્થાપના કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જીવનમાં પ્રથમવાર એક સાથે બે દિવસ સુધી 11-11 કલાક બેસીને પૂજા અર્ચના કરી હતી. આ મંદિર સાથે તેનો અતૂટ નાતો છે અને તેઓ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હતા તેમને આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે જે સીડી ચડી ન શકે તો લિફ્ટ બનાવવાની પણ તૈયારી બતાવી હતી. પોતે લંડનથી પરત આવીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાના હતા, તેમના ગુરુ અને મંદિરના મહંત સાથે અવારનવાર ટેલીફોનિક વાત કરી અને પ્રોજેક્ટ અંગે માહિતીઓ એકત્રિત કરવાનું પણ કહેતા હતા, તેમનું અકાળે અવસાન થતાની સાથે જ આ સપના તેમનો આખરી સપના બનીને રહી ગયા.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
વિજય રૂપાણીનું પૈત્રુક ગામ ચણાકા, સ્થાનિકોએ કહ્યું, મંદિર માટે ખૂબ વિકાસ કર્યો
Published on: 15th June, 2025
અમદાવાદ પ્લેન ક્રેસ દુર્ઘટનામાં પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું નિધન થતા સમગ્ર રાજ્યમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. જુનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાનું ચણાકા વિજય રૂપાણીનું પૈત્રુક ગામ છે, જ્યાં વિજય રૂપાણીના કુળદેવી અને સુરાપુરાનું સ્થાનક છે અને તેમના પરિવારનો અતૂટ સંબંધ છે તે ગામમાં આ સમાચાર સાંભળતા જ શોકની લાગણી ફેલાઈ હતી, પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી ખૂબ જ સંવેદનશીલ અને ભગવાનમાં આસ્થા ધરાવતા હતા તેમજ તેમના કુળદેવી અને સુરાપુરાના મંદિર માટે ખૂબ જ ચિંતા કરતા હતા અને તેમણે આ બંને મંદિરોનો ખૂબ જ મોટો વિકાસ પણ કર્યો છે, પોતાના કુળદેવી અંબા માતાજીના મંદિર માટે અબુધાબી થી મજૂરોને બોલાવવામાં આવ્યા અને તેમને આરસની ઉપર મૂર્તિ કંડારીને અહીં સ્થાપના કરી હતી. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી પોતાના જીવનમાં પ્રથમવાર એક સાથે બે દિવસ સુધી 11-11 કલાક બેસીને પૂજા અર્ચના કરી હતી. આ મંદિર સાથે તેનો અતૂટ નાતો છે અને તેઓ ખૂબ જ આસ્થા અને શ્રદ્ધા ધરાવતા હતા તેમને આ મંદિરમાં આવતા દર્શનાર્થીઓ માટે જે સીડી ચડી ન શકે તો લિફ્ટ બનાવવાની પણ તૈયારી બતાવી હતી. પોતે લંડનથી પરત આવીને આ પ્રોજેક્ટ ઉપર કામ કરવાના હતા, તેમના ગુરુ અને મંદિરના મહંત સાથે અવારનવાર ટેલીફોનિક વાત કરી અને પ્રોજેક્ટ અંગે માહિતીઓ એકત્રિત કરવાનું પણ કહેતા હતા, તેમનું અકાળે અવસાન થતાની સાથે જ આ સપના તેમનો આખરી સપના બનીને રહી ગયા.
Read More at સંદેશ
Gujarat : રાજયમાં આજે લોક રક્ષક દળની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન
Gujarat : રાજયમાં આજે લોક રક્ષક દળની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન

ગુજરાતમાં આજે લોક રક્ષક દળની ભરતી માટે કુલ 2,47,803 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. 12 હજાર જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, 825 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરાયું છે, 8 હજાર પોલીસ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે જેમાં શિક્ષણ વિભાગના 18 હજાર કર્મચારીને કામગીરી સોંપાઇ છે. આ સમગ્ર પરીક્ષામાં CCTV કેમેરાથી ભરતી બોર્ડ કંટ્રોલ રુમથી નજર રખાશે અને સવારે 9.30 કલાકથી પરીક્ષા શરૂ થશે. ઉમેદવારોને બાયો મેટ્રિક્સ વેરિફિકેશનના આધારે આ પરીક્ષામાં પ્રવેશ અપાશે. જયારે અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ 73523 ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષાનો પ્રારંભ સવારે 9.30થી 12.30નો રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.14 જૂન 2025 અને 15 જૂન 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યુ છે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Gujarat : રાજયમાં આજે લોક રક્ષક દળની ભરતી માટેની લેખિત પરીક્ષાનું આયોજન
Published on: 15th June, 2025
ગુજરાતમાં આજે લોક રક્ષક દળની ભરતી માટે કુલ 2,47,803 ઉમેદવારો લેખિત પરીક્ષા આપશે. 12 હજાર જગ્યાઓ માટે લેખિત પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે, 825 શાળાઓમાં પરીક્ષાનું આયોજન કરાયું છે, 8 હજાર પોલીસ અધિકારી-કર્મચારીઓનો સ્ટાફ તૈનાત રહેશે જેમાં શિક્ષણ વિભાગના 18 હજાર કર્મચારીને કામગીરી સોંપાઇ છે. આ સમગ્ર પરીક્ષામાં CCTV કેમેરાથી ભરતી બોર્ડ કંટ્રોલ રુમથી નજર રખાશે અને સવારે 9.30 કલાકથી પરીક્ષા શરૂ થશે. ઉમેદવારોને બાયો મેટ્રિક્સ વેરિફિકેશનના આધારે આ પરીક્ષામાં પ્રવેશ અપાશે. જયારે અમદાવાદ શહેર અને ગ્રામ્યના કુલ 73523 ઉમેદવારો આ પરીક્ષા આપશે. આ પરીક્ષાનો પ્રારંભ સવારે 9.30થી 12.30નો રહેશે. ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ઉમેદવારોને પોતાના વતનના નજીકના ડેપો ખાતેથી પરીક્ષા કેન્દ્રના નજીકના ડેપો સુધી જવા-આવવા માટે જરૂરિયાત મુજબ તા.14 જૂન 2025 અને 15 જૂન 2025 દરમિયાન એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવ્યુ છે. ઉમેદવારોની સંખ્યાને ધ્યાને લઈને નિગમ દ્વારા એડવાન્સમાં એક્સ્ટ્રા બસ સેવા તથા ઓનલાઈન ટિકિટ બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા

અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખની કામગીરી કરાઈ છે, અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા છે અને અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે, DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે અને પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે અને અન્ય મૃતકોના DNA મેચ કરવાની કામગીરી યથાવત છે. મૃતકોના મૃતદેહને ઘરે મોકલવા માટે સરકારે એમબ્યુલન્સની વ્યવસ્થા પણ કરી છે. પીએમ રિપોર્ટ-ડેથ સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરાશે અને સાથે મૃતદેહો લઇ જવા એર ઇન્ડિયા પણ મદદ કરશે. અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણો તપાસવા કેન્દ્રનાં ગૃહ સચિવનાં વડા હેઠળ ઉચ્ચ કક્ષાની બહુ પક્ષીય સમિતિ રચવામાં આવી છે જે ઘટનાનાં મૂળ કારણો શોધીને ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સમિતિ દ્વારા વ્યાપક ગાઈડલાઈન્સ રજૂ કરાશે અને મહત્ત્વનાં સૂચનો કરાશે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
અમદાવાદ પ્લેન ક્રેશમાં અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા
Published on: 15th June, 2025
અમદાવાદમાં વિમાન દુર્ઘટનાના મૃતકોની ઓળખની કામગીરી કરાઈ છે, અત્યાર સુધી કુલ 19 મૃતદેહોના DNA મેચ થયા છે અને અત્યાર સુધી 5 મૃતદેહ પરિવારજનોને સોંપ્યા છે, DNA મેચ થયા બાદ ફોન પર પરિવારને જાણ કરાશે અને પરિવારજનોએ મૃતકના ઓળખના પુરાવા લાવવાના રહેશે અને અન્ય મૃતકોના DNA મેચ કરવાની કામગીરી યથાવત છે. મૃતકોના મૃતદેહને ઘરે મોકલવા માટે સરકારે એમબ્યુલન્સની વ્યવસ્થા પણ કરી છે. પીએમ રિપોર્ટ-ડેથ સર્ટિફિકેટની ફાઇલ તૈયાર કરાશે અને સાથે મૃતદેહો લઇ જવા એર ઇન્ડિયા પણ મદદ કરશે. અમદાવાદમાં એર ઈન્ડિયા વિમાન દુર્ઘટનાનાં કારણો તપાસવા કેન્દ્રનાં ગૃહ સચિવનાં વડા હેઠળ ઉચ્ચ કક્ષાની બહુ પક્ષીય સમિતિ રચવામાં આવી છે જે ઘટનાનાં મૂળ કારણો શોધીને ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ રજૂ કરશે. ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે સમિતિ દ્વારા વ્યાપક ગાઈડલાઈન્સ રજૂ કરાશે અને મહત્ત્વનાં સૂચનો કરાશે.
Read More at સંદેશ
Padra: શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનનાં દ્વિ-દિવસીય અધિવેશનની શરૂઆત
Padra: શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનનાં દ્વિ-દિવસીય અધિવેશનની શરૂઆત

વડોદરાના દાદા ભગવાન મંદિર, કેલનપુરના સભાગૃહમાં શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનના 6ઠ્ઠા રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સનાતન સંત પૂ. ચેતન દાસજી મહારાજે કહ્યું કે, આજે હિંદુઓને પોતાના મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવાની જરૂર છે. સંવાદથી સહમતિ નામના આ અધિવેશનમાં આજે ગુજરાત પ્રાંતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકો અને પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણી પ્રત્યે શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહસંપર્ક પ્રમુખ વિજય દેવાંગનજીએ તેઓના તેજસ્વી ભાષણમાં કહ્યું કે, શાશ્વત સંસ્કાર અપનાવીને જ હિંદુ સમાજની આવનારી પેઢીને શક્તિશાળી બનાવી શકાય છે. તેમણે સમાજના અંતિમ છેડા સુધી પ્રકાશ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી પ્રતિનિધિ પધાર્યા છે. સંવાદથી સહમતિ 14 અને 15 જૂન સુધી ચાલશે. શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મેજર રમેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, અમારું લક્ષ્ય પાંચ વર્ષમાં એક લાખ મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવાની યોજના છે. શાશ્વત હિંદુના રાષ્ટ્રીય મહામંત્રી સંજય શર્માએ કહ્યું કે, મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવા માટે બે કલાક મંદિરના નામે, રાષ્ટ્ર નિર્માણના કામે અભિયાનને દરેક હિંદુ સુધી પહોંચાડવું પડશે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Padra: શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનનાં દ્વિ-દિવસીય અધિવેશનની શરૂઆત
Published on: 15th June, 2025
વડોદરાના દાદા ભગવાન મંદિર, કેલનપુરના સભાગૃહમાં શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનના 6ઠ્ઠા રાષ્ટ્રીય અધિવેશનનું ઉદ્ઘાટન કરાયું હતું. જેમાં સનાતન સંત પૂ. ચેતન દાસજી મહારાજે કહ્યું કે, આજે હિંદુઓને પોતાના મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવાની જરૂર છે. સંવાદથી સહમતિ નામના આ અધિવેશનમાં આજે ગુજરાત પ્રાંતના અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાના મૃતકો અને પૂર્વ મુખ્યમંત્રી દિવંગત વિજયભાઈ રૂપાણી પ્રત્યે શ્રદ્ધાંજલિ અને શોક વ્યક્ત કરાયો હતો. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પશ્ચિમ ક્ષેત્ર સહસંપર્ક પ્રમુખ વિજય દેવાંગનજીએ તેઓના તેજસ્વી ભાષણમાં કહ્યું કે, શાશ્વત સંસ્કાર અપનાવીને જ હિંદુ સમાજની આવનારી પેઢીને શક્તિશાળી બનાવી શકાય છે. તેમણે સમાજના અંતિમ છેડા સુધી પ્રકાશ લઈ જવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમમાં ભારતના વિવિધ રાજ્યોમાંથી પ્રતિનિધિ પધાર્યા છે. સંવાદથી સહમતિ 14 અને 15 જૂન સુધી ચાલશે. શાશ્વત હિંદુ પ્રતિષ્ઠાનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ મેજર રમેશ ઉપાધ્યાયે જણાવ્યું કે, અમારું લક્ષ્ય પાંચ વર્ષમાં એક લાખ મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવાની યોજના છે. શાશ્વત હિંદુના રાષ્ટ્રીય મહામંત્રી સંજય શર્માએ કહ્યું કે, મંદિરોને શક્તિ કેન્દ્ર બનાવવા માટે બે કલાક મંદિરના નામે, રાષ્ટ્ર નિર્માણના કામે અભિયાનને દરેક હિંદુ સુધી પહોંચાડવું પડશે.
Read More at સંદેશ
Vadodara: આયોજકોની બેઠકમાં રથયાત્રાનો સમય અને રૂટમાં ફેરફાર કરાયો
Vadodara: આયોજકોની બેઠકમાં રથયાત્રાનો સમય અને રૂટમાં ફેરફાર કરાયો

બોડેલી નગરમાં જગન્નાથજીની ચોથી રથયાત્રાનું આયોજન અંગે બોડેલી નગરના અગ્રણી તેમજ કાર્યકરો વચ્ચે બેઠક યોજાઈ હતી. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ક્રેશ થતા 275 લોકો મોતને ભેટયાં હતા. જેમાં બોડેલી ગંગાનગર સોસાયટીમાં રહેતા નેન્સીબેન ચેત્રેશભાઈ પટેલનું પણ ફ્લાઇટ ક્રેશ થતાં દુર્ઘટનામાં મોત થયું હતું. તેના અનુંસંધાને રથયાત્રા આયોજક સમિતિ દ્વારા મિટિંગ દરમિયાન બે મિનટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી. બોડેલીમાં તા.27 જૂનના રોજ બોડેલી, અલીખેરવા, ઢોકલીયા, ચાંચક વિસ્તારમાં નીકળનારી જગન્નાથજીની ચોથી રથયાત્રા અંગે બોડેલી વૈષ્ણવ વાડીમાં રથયાત્રા આયોજન સમિતિ દ્વારા બોડેલી નગરના અગ્રણી તેમજ આયોજકો, કાર્યકરો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બોડેલી, ઢોકલીયા, અલીખેરવા, ચાચક વિસ્તારના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. બેઠકમાં કાર્યકરોએ જગન્નાથજીની રથયાત્રા અંગેની વિસ્તુત ચર્ચા કરી હતી. ચોથી જગન્નાથજીની રથયાત્રાના રૂટ અને સમયમાં ફેરફાર કરાયો છે. રથયાત્રા ઢોકલીયા ગરબીચોકથી સાંજે 4:30 કલાકે નીકળશે. જે રામજી મંદિરથી નીકળી વિવિધ રાજમાર્ગથી, વૈષ્ણવ મંદિરથી અને શ્રીરામ ચોકથી પસાર થઈ સાંજે ખોડિયાર મંદિર પહોચી પુર્ણાહૂતિ થશે. ત્યારબાદ ખોડિયાર મંદિરે સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.

Published on: 15th June, 2025
Read More at સંદેશ
Vadodara: આયોજકોની બેઠકમાં રથયાત્રાનો સમય અને રૂટમાં ફેરફાર કરાયો
Published on: 15th June, 2025
બોડેલી નગરમાં જગન્નાથજીની ચોથી રથયાત્રાનું આયોજન અંગે બોડેલી નગરના અગ્રણી તેમજ કાર્યકરો વચ્ચે બેઠક યોજાઈ હતી. અમદાવાદથી લંડન જતી ફ્લાઇટમાં ટેક્નિકલ ખામી સર્જાતા ક્રેશ થતા 275 લોકો મોતને ભેટયાં હતા. જેમાં બોડેલી ગંગાનગર સોસાયટીમાં રહેતા નેન્સીબેન ચેત્રેશભાઈ પટેલનું પણ ફ્લાઇટ ક્રેશ થતાં દુર્ઘટનામાં મોત થયું હતું. તેના અનુંસંધાને રથયાત્રા આયોજક સમિતિ દ્વારા મિટિંગ દરમિયાન બે મિનટનું મૌન પાળી શ્રદ્ધાંજલિ પાઠવાઇ હતી. બોડેલીમાં તા.27 જૂનના રોજ બોડેલી, અલીખેરવા, ઢોકલીયા, ચાંચક વિસ્તારમાં નીકળનારી જગન્નાથજીની ચોથી રથયાત્રા અંગે બોડેલી વૈષ્ણવ વાડીમાં રથયાત્રા આયોજન સમિતિ દ્વારા બોડેલી નગરના અગ્રણી તેમજ આયોજકો, કાર્યકરો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં બોડેલી, ઢોકલીયા, અલીખેરવા, ચાચક વિસ્તારના અગ્રણી મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા. બેઠકમાં કાર્યકરોએ જગન્નાથજીની રથયાત્રા અંગેની વિસ્તુત ચર્ચા કરી હતી. ચોથી જગન્નાથજીની રથયાત્રાના રૂટ અને સમયમાં ફેરફાર કરાયો છે. રથયાત્રા ઢોકલીયા ગરબીચોકથી સાંજે 4:30 કલાકે નીકળશે. જે રામજી મંદિરથી નીકળી વિવિધ રાજમાર્ગથી, વૈષ્ણવ મંદિરથી અને શ્રીરામ ચોકથી પસાર થઈ સાંજે ખોડિયાર મંદિર પહોચી પુર્ણાહૂતિ થશે. ત્યારબાદ ખોડિયાર મંદિરે સાંજે મહાપ્રસાદીનું આયોજન કરાયું છે.
Read More at સંદેશ
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો

અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશનો વીડિયો : 17 વર્ષીય આર્યને ઉડતા વિમાનોમાંથી એકનો વીડિયો શૂટ કરવાનું અને તેને અરવલ્લી જિલ્લાના એક ગામમાં રહેતા તેના મિત્રોને મોકલવાનું નક્કી કર્યું હતું. જેમાં તેના દ્વારા પ્લેન ક્રેશનો એક લાઇવ વીડિયો પણ શૂટ થઇ ગયો હતો. જે વૈશ્વિક સ્તરે વાયરલ થયો હતો. જે ક્રેશ નિષ્ણાતોથી લઈને પોલીસ સુધી દરેક માટે વિશ્લેષણનો વિષય બન્યો હતો.

Published on: 14th June, 2025
Read More at Indian Express ગુજરાતી
અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશનો વાયરલ વીડિયો એક કિશોરે શૂટ કર્યો હતો, દુર્ઘટનાથી તે ખૂબ જ આઘાત પામ્યો
Published on: 14th June, 2025
અમદાવાદ એર ઇન્ડિયા વિમાન ક્રેશનો વીડિયો : 17 વર્ષીય આર્યને ઉડતા વિમાનોમાંથી એકનો વીડિયો શૂટ કરવાનું અને તેને અરવલ્લી જિલ્લાના એક ગામમાં રહેતા તેના મિત્રોને મોકલવાનું નક્કી કર્યું હતું. જેમાં તેના દ્વારા પ્લેન ક્રેશનો એક લાઇવ વીડિયો પણ શૂટ થઇ ગયો હતો. જે વૈશ્વિક સ્તરે વાયરલ થયો હતો. જે ક્રેશ નિષ્ણાતોથી લઈને પોલીસ સુધી દરેક માટે વિશ્લેષણનો વિષય બન્યો હતો.
Read More at Indian Express ગુજરાતી
newskida .in
  • About Us
  • Privacy Policy
  • Terms of Use

© 2025 News Kida. All rights reserved.