Menu
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના યુદ્ધની ભારત પર શું અસર પડશે?
Published on: 14th June, 2025

સમગ્ર વિશ્વની નજર ઈરાન અને ઈઝરાયલ વચ્ચે વધતા તણાવ અને લશ્કરી મુકાબલાઓ પર ટકેલ છે, જેને કારણે ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો છે અને શેરબજારમાં પણ ખરાબ અસર પડી છે. આ યુદ્ધ વધુ વધવાની શક્યતા છે, જેના કારણે સપ્લાય ચેઇન પર ખરાબ અસર પડશે અને ઘણી ચીજવસ્તુઓ મોંઘી થશે. ભારત ઇઝરાયલ પાસેથી રડાર, સર્વેલન્સ, કોમ્બેટ ડ્રોન, મિસાઇલ અને અન્ય લશ્કરી હાર્ડવેર આયાત કરે છે, જ્યારે ઈરાનથી મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, ડ્રાયફ્રૂટ્સ તથા રસાયણો લે છે. આ તણાવના કારણે હવાઇ મુસાફરીમાં પણ મુશ્કેલી અને ખર્ચ વધી શકે છે.