કોલંબિયામાં ભૂકંપે સર્જ્યો હાહાકાર, મૃત્યુઆંક ૨૪૦ને પાર
કોલંબિયામાં ભૂકંપે સર્જ્યો હાહાકાર, મૃત્યુઆંક ૨૪૦ને પાર
Published on: 12th August, 2026

કોલંબિયામાં ૭.૪ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપે ભારે તબાહી મચાવી છે. ભૂકંપમાં મૃત્યુઆંક ૨૪૦થી વધુ થઈ ગયો છે, અને ૨૦૦૦થી વધુ લોકો હજુ પણ ગુમ છે. હજારો ઇમારતો ધરાશાયી થઈ છે, જેમાં ૧૦૦ શાળાઓ અને ૨૦ હોસ્પિટલોને પણ નુકસાન થયું છે. અનેક ઐતિહાસિક ઇમારતોનો પણ નાશ થયો છે. ભૂકંપના ભયાવહ વીડિયો સામે આવ્યા છે, જેમાં લોકો જીવ બચાવવા માટે દોડતા અને સલામતી માટે પ્રયાસ કરતા જોઈ શકાય છે.