સમયનું સંચાલન ન કરો તો, સમય તમને સંચાલિત કરશે: ભીષ્મ પિતામહના ગૂઢ રહસ્યો
સમયનું સંચાલન ન કરો તો, સમય તમને સંચાલિત કરશે: ભીષ્મ પિતામહના ગૂઢ રહસ્યો
Published on: 02nd September, 2026

મહાભારતના `શાંતિપર્વ'માં ભીષ્મ પિતામહે યુધિષ્ઠિરને સમયના આયોજન (ટાઇમ મેનેજમેન્ટ) વિશે સમજાવ્યું છે. તેઓ જણાવે છે કે સમય જ સર્વસ્વનો જનક છે અને તે માણસની દિશા નક્કી કરે છે. નેતૃત્વમાં સમયનું સંચાલન કાચું પડે તો સામ્રાજ્યનું પતન નિશ્ચિત છે. ભીષ્મ અનુસાર, માણસ પાસે સમયનો અભાવ નથી, પરંતુ પ્રાથમિકતાઓનો અભાવ છે. આળસ અને કામ ટાળવાની વૃત્તિ, જેને ભીષ્મ ગુપ્ત શત્રુ ગણાવે છે, તે આત્મવિશ્વાસને હણીને ચિંતા અને તણાવ વધારે છે. સમયનું મેનેજમેન્ટ એ વાસ્તવમાં મનનું મેનેજમેન્ટ છે.