દરિયાના વાઘે પહેલી વાર ચાખ્યું ખંડણીનું લોહી
દરિયાના વાઘે પહેલી વાર ચાખ્યું ખંડણીનું લોહી
Published on: 31st August, 2026

૧૯૯૩માં સોમાલિયાના દરિયાકાંઠે પહેલી વાર ચાંચિયાઓએ એક જહાજ પર હુમલો કરી ખંડણી માંગી. આ ઘટના દરિયાઈ વેપાર માટે ભયાનક સાબિત થઈ, જેના કારણે અનેક દેશોના જહાજોને ભારે નુકસાન થયું. વિશ્વના ૧૬ દેશોએ મળીને ચાંચિયાગીરી રોકવા સંયુક્ત મોરચો માંડ્યો, છતાં આ ડાકુઓ સરળતાથી પકડાયા નહીં. મૂળ તો પોતાના અધિકારોનું રક્ષણ કરવા નીકળેલા આ લોકો લૂંટફાટના માર્ગે વળી ગયા હતા.