શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે!
શેખ હસીના ડિસેમ્બરમાં બાંગ્લાદેશ પરત ફરશે!
Published on: 10th July, 2026

બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ નિર્વાસનના લગભગ દોઢ વર્ષ બાદ પોતાની સંભવિત વાપસીની જાહેરાત કરી છે. તેઓ ડિસેમ્બર મહિનામાં સ્વેચ્છાએ બાંગ્લાદેશ પરત ફરવાની તૈયારી કરી રહ્યા છે. હસીનાએ જણાવ્યું કે, દેશમાં પહોંચતા જ ધરપકડનો સામનો કરવા અને અદાલત સમક્ષ સરેન્ડર કરવા તૈયાર છે. તેમને મોતનો ભય હોવા છતાં, તેઓ પોતાના વતન પરત જવા માંગે છે. 78 વર્ષીય હસીનાએ કહ્યું કે, જો મોત આવે તો તે તેમની જન્મભૂમિ પર આવે. તેમની વાપસી અંગે ઢાકા સરકાર સાથે કોઈ ઔપચારિક વાતચીત થઈ નથી.