શેખ હસીનાનું દર્દ છલકાયું: બાંગ્લાદેશના અન્યાય પર Live Speech માં ભાવુક થયા
શેખ હસીનાનું દર્દ છલકાયું: બાંગ્લાદેશના અન્યાય પર Live Speech માં ભાવુક થયા
Published on: 05th August, 2026

5 ઓગસ્ટ 2024 ના રોજ બાંગ્લાદેશમાં થયેલી હિંસા અને રાજકીય અસ્થિરતા બાદ દેશ છોડી ભારતમાં આશ્રય લેનારા તત્કાલીન વડાંપ્રધાન શેખ હસીનાએ 2 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મીડિયા સમક્ષ મૌન તોડ્યું. નવી દિલ્હી સ્થિત ‘Foreign Correspondents' Club of South Asia’ (FCC) દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં તેમણે પોતાની આપવીતી વર્ણવતા તેઓ અત્યંત ભાવુક થઈ ગયા અને ધ્રુસકે-ધ્રુસકે રડી પડ્યા. તેમણે જણાવ્યું કે, વિદ્યાર્થીઓનું પ્રદર્શન શાંતિપૂર્ણ નહોતું, પરંતુ એક સુઆયોજિત જૂથ દ્વારા તેને હિંસક બનાવવામાં આવ્યું હતું. શેખ હસીનાએ બાંગ્લાદેશ પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરી અને દેશમાં કાયદાનું શાસન પુનઃસ્થાપિત કરવાની માંગ કરી.