ભારતમાં LPG ઉત્પાદનમાં 54% વૃદ્ધિ!
ભારતમાં LPG ઉત્પાદનમાં 54% વૃદ્ધિ!
Published on: 29th June, 2026

હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતિ સામાન્ય બનતાં ભારતીય LPG જહાજોએ કોઈ ટોલ વિના અવરજવર કરી હોવાનું કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપસિંહ પુરીએ જણાવ્યું. ઈરાન સંકટ દરમિયાન સરકારે રિફાઇનરીઓમાં ફેરફારો કરીને LPG ઉત્પાદન 35થી વધારી 54 TMT પ્રતિ દિવસ કર્યું. ઉપરાંત અલ્જીરિયા, જાપાન, કેનેડા અને અમેરિકા જેવા દેશોમાંથી વૈકલ્પિક સપ્લાય મેળવી આયાતમાં વૈવિધ્ય લાવ્યું. આ પગલાંથી દેશમાં ઊર્જા પુરવઠો સતત જાળવી રાખી ગ્રાહકોને ગેસની અછતથી બચાવવામાં સફળતા મળી.