નેપાળી PMને ભારતનો સ્પષ્ટ જવાબ: 98% સરહદ નક્કી, ત્રીજા દેશની જરૂર નથી
નેપાળી PMને ભારતનો સ્પષ્ટ જવાબ: 98% સરહદ નક્કી, ત્રીજા દેશની જરૂર નથી
Published on: 02nd June, 2026

ભારત અને નેપાળ વચ્ચેના સરહદ વિવાદ પર ભારતે નેપાળી PM બાલેન શાહના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે. ભારતના વિદેશ મંત્રાલય (MEA) એ સ્પષ્ટ કર્યું કે ભારત-નેપાળ સરહદનો લગભગ 98% હિસ્સો પહેલેથી જ નિર્ધારિત છે. ગંડક નદીના પ્રવાહમાં ફેરફારને કારણે કેટલાક નાના ભાગો બાકી છે. MEAએ ભારપૂર્વક જણાવ્યું કે આ એક દ્વિપક્ષીય મુદ્દો છે અને તેમાં કોઈપણ ત્રીજા દેશની દખલગીરી સ્વીકાર્ય નથી. સરહદ પાર ગેરકાયદેસર કબજા અને 'નો-મેન્સ લેન્ડ' પર અતિક્રમણ જેવા મુદ્દાઓ પર બંને દેશો સંયુક્ત રીતે મેપિંગ કરી રહ્યા છે.