ઘરમાં પડેલા સોનાથી દેશની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે: PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ
ઘરમાં પડેલા સોનાથી દેશની આર્થિક સ્થિતિ સુધારી શકાય છે: PM મોદીની ‘ગોલ્ડ રિસાયક્લિંગ’ અપીલ
Published on: 02nd June, 2026

ભારતીય પરિવારો અને મંદિરો પાસે અંદાજે 30-32 હજાર ટન સોનું પડ્યું છે, જેની કિંમત લગભગ 3.8 ટ્રિલિયન ડૉલર છે. આમાંથી મોટાભાગનું સોનું ઘરોના લોકરમાં બિનઉપયોગી પડ્યું છે. PM મોદીએ 'ગોલ્ડ રિસાયક્લિંગ'ની અપીલ કરી છે, જેમાં જૂના અને તૂટેલા સોનાનો ફરી ઉપયોગ કરીને નવું સોનું બનાવી શકાય છે. આનાથી દેશનું આયાત બિલ ઘટશે, ડોલરમાં ચૂકવણી ઓછી થશે અને અર્થતંત્રને ફાયદો થશે. જો માત્ર 1% સોનાનું વાર્ષિક રિસાયક્લિંગ થાય તો આયાતમાં 25-30% ઘટાડો થઈ શકે છે.