લંડનમાં CJI સૂર્યકાંતે ધનિક દેશોને કહ્યું, '200 વર્ષ લાગ્યા તો અમારી સાથે ઉતાવળ શા માટે?'
લંડનમાં CJI સૂર્યકાંતે ધનિક દેશોને કહ્યું, '200 વર્ષ લાગ્યા તો અમારી સાથે ઉતાવળ શા માટે?'
Published on: 29th August, 2026

લંડનમાં આયોજિત આંતરરાષ્ટ્રીય કાનૂની પરિષદમાં સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશ જસ્ટિસ સૂર્યકાંતે ધનિક દેશોની આલોચના કરી. તેમણે કહ્યું કે વિકસિત દેશોએ છેલ્લાં 200 વર્ષોમાં ઔદ્યોગિકીકરણ દ્વારા પર્યાવરણને નુકસાન પહોંચાડ્યું છે. હવે સ્વચ્છ ઊર્જા (Clean Energy) તરફ વધતી વખતે વિકાસશીલ દેશોની આર્થિક અને સામાજિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં લેવી જરૂરી છે. ક્લાઇમેટ ટ્રાન્ઝિશનનો તમામ બોજ વિકાસશીલ દેશો પર ન નાખી શકાય. આબોહવાકીય ન્યાય (Climate Justice) ગરીબી નાબૂદી અને સામાજિક સમાનતા સાથે જોડાયેલો છે, અને ગરીબ વર્ગોના હિતોનું રક્ષણ વૈશ્વિક સમુદાયની ફરજ છે.