વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી: 15ના મોતની આશંકા, રેસ્ક્યૂ કાર્ય ચાલુ
વિયેતનામમાં ભારતીય પ્રવાસીઓ ભરેલી બોટ પલટી: 15ના મોતની આશંકા, રેસ્ક્યૂ કાર્ય ચાલુ
Published on: 11th July, 2026

વિયેતનામના ફૂ ક્વોક ટાપુ પાસે ભારતીય પ્રવાસીઓને લઈ જતી એક બોટ દુર્ઘટનાગ્રસ્ત થઈને પલટી ગઈ. જેમાં 32 લોકો સવાર હોવાનું પ્રાથમિક અનુમાન છે. સ્થાનિક મીડિયાના અહેવાલો મુજબ, 15 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ, સ્થાનિક તંત્ર દ્વારા સર્ચ અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હો ચી મિન્હ સિટી સ્થિત ભારતીય વાણિજ્ય દૂતાવાસમાં કંટ્રોલ રૂમ સ્થાપિત કરાયો છે. અકસ્માતના કારણોની તપાસ ચાલી રહી છે.