મ્યાંનમારમાં સેનાનો બૌદ્ધ મઠ પર હુમલો
મ્યાંનમારમાં સેનાનો બૌદ્ધ મઠ પર હુમલો
Published on: 22nd August, 2026

મ્યાનમારનાં સાગાઇંગ વિસ્તારમાં એક બૌદ્ધ મઠ પર મ્યાનમારની સેના દ્વારા થયેલા એર સ્ટ્રાઇકમાં ૧૪ લોકોનાં મોત થયા છે. આ ઘટના શુક્રવારે બની હતી, જ્યાં લોકો મેડિટેશન રિટ્રીટમાં ભાગ લઇ રહ્યા હતા. આ હુમલો દેશમાં વિરોધી જૂથોને નિશાન બનાવતા હવાઇ હુમલાઓની શ્રેણીનો એક ભાગ છે, જેમાં ઘણીવાર સામાન્ય નાગરિકો માર્યા જાય છે. આ બોમ્બમારામાં ત્રણ મહિલા સહિત ૧૪ લોકો મૃત્યુ પામ્યા હતા અને ૨૦ અન્ય ઘાયલ થયા હતા. મ્યાનમારની સેનાએ આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.