વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં ભૂકંપથી અનેક અધિકારીઓના મોત, 189 ઇમારતો ધ્વસ્ત
વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં ભૂકંપથી અનેક અધિકારીઓના મોત, 189 ઇમારતો ધ્વસ્ત
Published on: 03rd July, 2026

વેનેઝુએલાના લા ગુએરા રાજ્યમાં આવેલા વિનાશક ભૂકંપમાં લગભગ તમામ સરકારી અધિકારીઓના મોત થયા છે. કારાકાસની ઉત્તરે આવેલું આ તટીય રાજ્ય સૌથી વધુ પ્રભાવિત થયું છે, જ્યાં 189 ઇમારતો સંપૂર્ણપણે ધરાશાયી થઈ છે. 7.2 અને 7.5ની તીવ્રતાના બે જોરદાર આંચકા બાદ 2000થી વધુ લોકોના મોત થયા છે અને 50,000થી વધુ લાપતા છે. રાહત અને બચાવ કાર્ય માટે 4000 જેટલા અધિકારીઓને તહેનાત કરાયા છે અને 21 દેશોએ મદદ કરી છે. આંતરરાષ્ટ્રીય મોનેટરી ફંડ (IMF)ના સહયોગથી પુનર્નિર્માણ માટે 200 મિલિયન ડોલરનું ફંડ બનાવવામાં આવી રહ્યું છે.