થાઈલેન્ડથી 200 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી રવાના
થાઈલેન્ડથી 200 ભારતીયોને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ દિલ્હી રવાના
Published on: 15th August, 2026

થાઈલેન્ડના બેંગકોક એરપોર્ટ પર લગભગ 200 ભારતીય મુસાફરો, જેઓ 28 કલાકથી ફસાયેલા હતા, તેમને લઈને એર ઈન્ડિયાની ફ્લાઈટ આખરે દિલ્હી માટે રવાના થઈ. ગુરુવાર રાત્રિથી ફસાયેલા મુસાફરો શુક્રવારે રાત્રે દિલ્હી પહોંચ્યા. ફ્લાઈટ AI4335માં ટેકનિકલ ખામી સર્જાતા વિમાન રનવે પરથી પાછું ફર્યું હતું. એર ઈન્ડિયાએ "ઓપરેશનલ કારણો" ટાંક્યા, પરંતુ મુસાફરોએ ટેકનિકલ ખામીનો અનુભવ કર્યો. મુસાફરોને હોટલમાં રોકાવાની વ્યવસ્થા કરાઈ હતી અને વારંવાર બદલાતા શેડ્યૂલથી તેઓ પરેશાન થયા હતા.