બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરીનું રેકેટ ઝડપાયું
પશ્ચિમ બંગાળમાં સીબીઆઈ અને ડીઆરઆઈની સંયુક્ત ટીમોએ દરોડા પાડીને બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરી કરતા ત્રણ આરોપી અર્જુન મંજલ, સૈકત બિશ્વાસ અને હિમાંશુ મંડલની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન ઈજિપ્શિયન ગીધ અને સ્લો લોરિસ વાંદરા સહિતના વન્ય જીવો કબ્જે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં અર્જુન મંડલ આ રેકેટનો મુખ્ય સૂત્રધાર હોવાનું અને ભારતમાં તેનું વેચાણ કરવા માટે સુનિયોજિત નેટવર્ક ચલાવતો હોવાનું જણાયું છે. આ રેકેટના આંતરરાષ્ટ્રીય જોડાણો અને નાણાકીય વ્યવહારોની પણ તપાસ ચાલી રહી છે.
બાંગ્લાદેશથી ભારતમાં દુર્લભ વન્ય જીવોની દાણચોરીનું રેકેટ ઝડપાયું
પ્રમુખ ટ્રમ્પનાં હેલિકોપ્ટર સાથે યાત્રી વિમાન અથડાતું રહી ગયું!
વૉશિંગ્ટનમાં પ્રમુખ ડૉનાલ્ડ ટ્રમ્પના હેલિકોપ્ટર 'મરિન વન' અને એક યાત્રી વિમાન વચ્ચે ભયાનક અથડામણ થતાં થતાં રહી ગઈ, જેના પગલે હવે તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રમુખ ટ્રમ્પ સુરક્ષિત છે. બંને વિમાનો વૉશિંગ્ટન ઉપર માત્ર એક માઇલના અંતરે નજીક આવી ગયા હતા. ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (એફ.એ.એ.) અને નેશનલ ટ્રાન્સપોર્ટ સેફ્ટી બોર્ડ આ ઘટનાની ગંભીરતાથી તપાસ કરી રહ્યા છે. આશરે ૨-૩૦ વાગે (અમેરિકી સમય મુજબ) આ ઘટના બની હતી.
પ્રમુખ ટ્રમ્પનાં હેલિકોપ્ટર સાથે યાત્રી વિમાન અથડાતું રહી ગયું!
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ: હિમાચલથી કેરળ સુધી તબાહી
દેશભરમાં ચોમાસાનો કહેર યથાવત છે. હિમાચલ પ્રદેશમાં વરસાદી ઘટનાઓમાં 64 લોકોના મોત અને ₹797 કરોડનું નુકસાન થયું છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં મકાન ધરાશાયી થતાં એક બાળકીનું મોત થયું અને 6 લોકો ઘાયલ થયા. દિલ્હી, હરિયાણા, મહારાષ્ટ્ર, ઓડિશા અને વેસ્ટ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. ગુજરાતમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે.
દેશના અનેક રાજ્યોમાં મેઘતાંડવ: હિમાચલથી કેરળ સુધી તબાહી
PM મોદી અને PM નેતન્યાહૂ વચ્ચે પશ્ચિમ એશિયાઈ તણાવ પર ચર્ચા
પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વિસ્તૃત વાતચીત કરી. આ મહત્વપૂર્ણ સંવાદમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. બંને નેતાઓએ ભારત-ઈઝરાયેલ સ્પેશિયલ સ્ટ્રેટેજિક પાર્ટનરશીપની પ્રગતિની સમીક્ષા કરી અને સહયોગના વિવિધ ક્ષેત્રોમાં ગાઢ બનવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. આ ઉપરાંત, પશ્ચિમ એશિયાના વર્તમાન વિકાસ, સુરક્ષા પાસાઓ અને ભવિષ્યના રાજદ્વારી સંવાદ પર પણ ચર્ચા થઈ.
PM મોદી અને PM નેતન્યાહૂ વચ્ચે પશ્ચિમ એશિયાઈ તણાવ પર ચર્ચા
શેખ હસીનાની દિલ્હી પ્રેસ કોન્ફરન્સ: બાંગ્લાદેશ નારાજ, દ્વિપક્ષીય સંબંધોને અસર
બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દ્વારા દિલ્હીમાંથી વર્ચ્યુઅલ પ્રેસ કોન્ફરન્સ યોજવા બદલ બાંગ્લાદેશ સરકારે ભારત સામે સખત વાંધો ઉઠાવ્યો છે. બાંગ્લાદેશના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, ભાગેડુઓને ભારતીય ભૂમિ પરથી પ્રેસ કોન્ફરન્સ કરવાની મંજૂરી આપવાથી બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો પર નકારાત્મક અસર પડશે. જોકે, બાંગ્લાદેશ ભારત સાથે રચનાત્મક સંબંધો જાળવી રાખવા પ્રતિબદ્ધ છે. વિશ્લેષકો માને છે કે આ ઘટના તિસ્તા જળ વહેંચણી અને ચિકન-નેક જેવા મુદ્દાઓ પર ભારતના મક્કમ વલણ બાદ બની છે.
શેખ હસીનાની દિલ્હી પ્રેસ કોન્ફરન્સ: બાંગ્લાદેશ નારાજ, દ્વિપક્ષીય સંબંધોને અસર
ટ્રમ્પ: "ઈરાન પર દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદનો સૌથી મોટો હુમલો કરવા તૈયાર હતા"
પ્રમુખ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપતાં કહ્યું કે, અમે દ્વિતીય વિશ્વ યુદ્ધ પછી નોંધાયેલું સૌથી મોટુ આક્રમણ કરવા તૈયાર હતા, પરંતુ તહેરાનની વિનંતી પછી અમે તે ટાળ્યું. ટ્રમ્પે ઈરાનને પરમાણુ શસ્ત્ર બનાવવાની જીદ છોડી દેવા કહ્યું અને વેનેઝુએલાનું ઉદાહરણ આપી અમેરિકી ક્ષમતા દર્શાવી. જોકે, તેઓ જન સામાન્યને મારવા માંગતા નથી. ઈરાનના વિદેશ મંત્રાલયે જણાવ્યું કે હોર્મુઝ- સ્ટ્રેઇટસ સંબંધે ઓમાન સાથેના કરારો અંતિમ તબક્કામાં છે. સમજૂતીની આશાએ વૈશ્વિક તેલના ભાવ ઘટ્યા છે.
ટ્રમ્પ: "ઈરાન પર દ્વિતીય વિશ્વ યુદ્ધ બાદનો સૌથી મોટો હુમલો કરવા તૈયાર હતા"
ઓચિંતી સાયરન વાગી તાઇવાનના પ્રમુખ બુલેટ-પ્રુફ ગાડીમાં બેસી બંકરોમાં ઘૂસી ગયા
હાલમાં તાઇવાન પર ચીનના સંભવિત આક્રમણના ભય વચ્ચે, તાઇવાનની રાજધાની તાઇપેઇમાં સાયરન વાગતા પ્રમુખ લાઈ, પોતાના મંત્રી મંડળ સાથે, સલામતી માટે બનાવેલા બુલેટ-પ્રુફ બંકરોમાં પહોંચી ગયા. ચીન દ્વારા તાઇવાન પર એમ્ફીલિયન એટેક કરવાની શક્યતાને ધ્યાનમાં રાખીને, તાઇવાન તેની સુરક્ષા વ્યવસ્થા સઘન કરી રહ્યું છે. આ અનુસંધાને, તાઇવાન અમેરિકા અને દક્ષિણ કોરિયા સાથે સંયુક્ત યુદ્ધ અભ્યાસ પણ કરી રહ્યું છે. ચીનના યુદ્ધ જહાજો અને ફાઇટર જેટ્સ દ્વારા તાઇવાનની જળસીમા પર સતત પેટ્રોલિંગ ચાલુ છે. પ્રમુખ લાઈ-પિંગે તાઇવાનની સુરક્ષા તૈયારીઓ અને હાન-કુઆંગ વોર એક્સરસાઇઝનું નિરીક્ષણ કર્યું, જેમાં ૫૦,૦૦૦ સૈનિકો ભાગ લઈ રહ્યા છે.
ઓચિંતી સાયરન વાગી તાઇવાનના પ્રમુખ બુલેટ-પ્રુફ ગાડીમાં બેસી બંકરોમાં ઘૂસી ગયા
BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
ભારત અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૂ થાય તે પહેલાં કેપ્ટન શુભમન ગિલ ઈજાગ્રસ્ત થતાં BCCIની મુશ્કેલી વધી છે. કોલંબોમાં વોર્મ-અપ મેચ પહેલા પ્રેક્ટિસ દરમિયાન ગિલના જમણા હાથના અંગૂઠા પર બે વખત બોલ વાગ્યો હતો, જેના કારણે તેને ઈજા થઈ હતી. મેડિકલ ટીમે તાત્કાલિક સારવાર કરી, પરંતુ ફરીથી ઈજા થતાં ગિલે પ્રેક્ટિસ છોડી દીધી. 15 ઓગસ્ટથી શરૂ થનારી ટેસ્ટ સિરીઝ પહેલા તેની ફિટનેસ અંગે પ્રશ્નો સર્જાયા છે.
BCCI માટે ફરી ચિંતા: ટેસ્ટ સિરીઝ પહેલા શુભમન ગિલ ઈજાગ્રસ્ત
સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ
સુરતના ભેસ્તાન ખાતે સતીષ મરાઠાની જૂની અદાવતમાં થયેલી હત્યાનો પોલીસે ગણતરીના કલાકોમાં પર્દાફાશ કર્યો છે. LCB અને ક્રાઇમ બ્રાન્ચે સંયુક્ત ઓપરેશનમાં મુખ્ય આરોપીઓ સહિત 8 જણાને દબોચી લીધા છે, જેમાં 4 પુખ્ત અને 4 સગીરનો સમાવેશ થાય છે. તપાસમાં બહાર આવ્યું છે કે જેલમાં બંધ રાહુલ સોમન મંડલ મુખ્ય કાવતરાખોર છે. આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 1 દેશી તમંચો અને 3 મોપેડ જપ્ત કરાયા છે. મૃતકના ગુનાઈત ભૂતકાળને કારણે ગેંગવોર અને વર્ચસ્વની લડાઈ મુખ્ય કારણ હોવાની આશંકા છે.
સુરત ભેસ્તાન સતીષ મરાઠા હત્યા કેસ
રાઘવ ચઢ્ઢાએ સંસદમાં 'કટ મની' મુદ્દે ડૉક્ટરોની કમિશનખોરીનો પર્દાફાશ કર્યો
રાજ્યસભા સાંસદ રાઘવ ચડ્ડાએ સંસદમાં ડોક્ટરો અને ડાયગ્નોસ્ટિક સેન્ટરો વચ્ચે ચાલતી કમિશનખોરીનો ગંભીર મુદ્દો ઉઠાવ્યો. તેમણે જણાવ્યું કે કેટલાક ડોક્ટરો દર્દીઓને ચોક્કસ ડાયગ્નોસ્ટિક સેન્ટર પર જ ટેસ્ટ કરાવવા મોકલે છે, જેના બદલામાં તેમને 'રેફરલ કમિશન' મળે છે. આ વ્યવસ્થા દર્દીના ઇલાજ માટે નહીં, પરંતુ ડોક્ટરના ખિસ્સા ભરવા માટે છે. આ 'કટ મની' પ્રથા દર્દીઓના બિલમાં 15-20% સુધીનો વધારો કરે છે. MCI અને National Medical Commission દ્વારા આ પ્રથા પર પ્રતિબંધ હોવા છતાં તે ચાલુ છે. રાઘવ ચડ્ડાએ આ સિસ્ટમ પર રોક લગાવવાની માંગ કરી.
રાઘવ ચઢ્ઢાએ સંસદમાં 'કટ મની' મુદ્દે ડૉક્ટરોની કમિશનખોરીનો પર્દાફાશ કર્યો
Gen Z ને આકર્ષવા PM મોદીની રીલ્સ બાદ રાહુલ ગાંધીનું 'Ask Me Anything' સેશન
આગામી ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને, રાજકીય પક્ષો Gen Z મતદારોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા પર સક્રિયતા વધારી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્સ્ટાગ્રામ રીલ્સ દ્વારા યુવાનો સાથે સંવાદ સાધવાનો પ્રયાસ કર્યો હતો. હવે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ Gen Z સુધી પહોંચવા ઇન્સ્ટાગ્રામ પર 'આસ્ક મી એનિથિંગ' (Ask Me Anything) સત્ર શરૂ કર્યું છે, જ્યાં તેઓ યુવાનોના પ્રશ્નોના જવાબ આપશે. આ પહેલ યુવા મતદારો સાથે સીધો સંવાદ સ્થાપિત કરવાના પ્રયાસનો એક ભાગ છે.
Gen Z ને આકર્ષવા PM મોદીની રીલ્સ બાદ રાહુલ ગાંધીનું 'Ask Me Anything' સેશન
ક્રિકેટથી રાજકારણ: શાકિબ અલ હસનની કારકિર્દીનો દુ:ખદ અંત
બાંગ્લાદેશના મહાન ક્રિકેટર શાકિબ અલ હસનની કારકિર્દી કરૂણ અંત તરફ આગળ વધી રહી છે. એક સમયે 'નેશનલ હીરો' ગણાતા શાકિબ આજે જનતાના રોષનો ભોગ બન્યા છે. ક્રિકેટની સફળતા બાદ રાજકારણમાં પ્રવેશ કર્યો અને શેખ હસીનાની 'આવામી લીગ' સાથે જોડાયા. 2024ની ચૂંટણીમાં સાંસદ બન્યા, પરંતુ ચૂંટણી પ્રક્રિયા પર લાગેલા આરોપો અને વિદ્યાર્થી આંદોલન દરમિયાન શાકિબના મૌનથી જનતાનો રોષ ભભૂકી ઉઠ્યો. તેના ઘર પર હુમલો થયો અને તેને દેશ છોડી અમેરિકામાં રહેવાની ફરજ પડી છે.
ક્રિકેટથી રાજકારણ: શાકિબ અલ હસનની કારકિર્દીનો દુ:ખદ અંત
પ્લાસ્ટિકની નોટો માટે RBIનો માસ્ટરપ્લાન!
ભારતીય રિઝર્વ બેંક (RBI) રોકડ વ્યવહારોને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે પ્લાસ્ટિકની ચલણી નોટો લાવવાની યોજના પર કામ કરી રહી છે. કેન્દ્ર સરકારે 10 અને 20 રૂપિયાના મૂલ્યની 100-100 કરોડ પ્લાસ્ટિક નોટોના ફિલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી દીધી છે. આ ટેકનોલોજી ખાસ કરીને નાના મૂલ્યની નોટો માટે અપનાવવામાં આવશે, જે ઝડપથી ઘસાઈ જાય છે. 2009માં પણ આ વિચાર રજૂ થયો હતો, પરંતુ ખર્ચ અને ATM પડકારોને કારણે મુલતવી રખાયો હતો. આધુનિક ચલણથી નાણાકીય બગાડ અટકશે અને કરદાતાઓના પૈસાની બચત થશે.
પ્લાસ્ટિકની નોટો માટે RBIનો માસ્ટરપ્લાન!
મોહન ભાગવત: "Gen Z સૌથી પ્રમાણિક પેઢી, દેશદ્રોહી લેબલ આપવાનું બંધ કરો"
RSSના સરસંઘચાલક મોહન ભાગવતે દેશની Gen Z પર સંપૂર્ણ ભરોસો વ્યક્ત કર્યો છે. તેમણે જણાવ્યું કે સુધારા માટે અવાજ ઉઠાવવો અને સવાલો પૂછવા એ યુવાનોનો લોકતાંત્રિક અધિકાર છે. Gen Z તર્ક અને પ્રેમાળ સમજૂતી માંગે છે. પ્રશ્નો પૂછતા યુવાનોને દેશદ્રોહી જાહેર કરવાને બદલે તેમની સાથે સંવાદનો માર્ગ અપનાવવો જોઈએ. શિક્ષણ વ્યવસ્થામાં સુધારાની જરૂરિયાત પર ભાર મુકતા તેમણે જણાવ્યું કે શિક્ષણ કોઈ વેપાર નથી, અને ફી માળખામાં સુધારો, શિક્ષક તાલીમ, અને શિક્ષણનો આર્થિક બોજ ઘટાડવો જરૂરી છે.
મોહન ભાગવત: "Gen Z સૌથી પ્રમાણિક પેઢી, દેશદ્રોહી લેબલ આપવાનું બંધ કરો"
નવા બિલથી UPI પેમેન્ટ પર ચાર્જ?
લોકસભામાં વિપક્ષના ભારે હોબાળા વચ્ચે 'ટેક્સેશન એન્ડ અધર લોઝ (એમેન્ડમેન્ટ) બિલ' 2026 ચર્ચા વિના પસાર થયું. આ બિલનો મુખ્ય ઉદ્દેશ વિદેશી રોકાણને આકર્ષવાનો, 'મેડ ઈન ઈન્ડિયા'ને વેગ આપવાનો અને સ્થાનિક ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો છે. આ બિલ 'ઈનકમ ટેક્સ એક્ઝેમ્પ્શન ઓર્ડિનન્સ' 2026નું સ્થાન લેશે અને 'પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સિસ્ટમ્સ એક્ટ' 2007માં સુધારા કરશે. UPI અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પરનો ઝીરો MDRનો દાયરો સમાપ્ત થઈ શકે છે, પરંતુ હાલ કોઈ ચાર્જ લાગશે નહીં; માત્ર સરકાર જ ભવિષ્યમાં તેના પર નિર્ણય લેશે.
નવા બિલથી UPI પેમેન્ટ પર ચાર્જ?
જે આઈડિયા પર કોઈને ભરોસો નહોતો, તેનાથી ઊભી કરી રૂ.39,000 કરોડની AI કંપની!
જ્યારે જનરેટિવ AI કે ChatGPT નહોતા, ત્યારે વાક્યોમાંથી AI Video બનાવવાનો વિચાર અજીબ હતો. 100થી વધુ ઈન્વેસ્ટર્સે આ આઈડિયાને "ભવિષ્ય વગરનો" કહી ફગાવી દીધો. પરંતુ 'સિન્થેશિયા'ના CEO વિક્ટર રિપરબેલીએ પોતાની જિદ્દ અને દૂરદર્શિતા પર ભરોસો રાખ્યો. આજે તેમની કંપની $4 billion (₹39,000 કરોડ)ના સામ્રાજ્યમાં ફેરવાઈને દુનિયાને ચોંકાવી રહી છે. 2017માં લંડનમાં શરૂ થયેલી આ સફરમાં કોર્પોરેટ સેક્ટર માટે ટ્રેનિંગ, ઓનબોર્ડિંગ અને કમ્યુનિકેશન વીડિયો પર ધ્યાન કેન્દ્રિત કરતાં કંપનીનું નસીબ બદલાઈ ગયું.
જે આઈડિયા પર કોઈને ભરોસો નહોતો, તેનાથી ઊભી કરી રૂ.39,000 કરોડની AI કંપની!
બે બિલ પર સરકારે રાહુલ ગાંધી પાસે માંગ્યું સમર્થન!
સંસદના ચોમાસું સત્રમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સંસદીય કાર્ય મંત્રી કિરેન રિજિજુ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી વચ્ચે FCRA(Foreign Contribution Regulation Act) અને સીમાાંકન બિલ જેવા મહત્વના બિલો પર સમર્થન માટે બેઠક યોજાઈ. આ દરમિયાન રિજિજુએ કહ્યું કે, અમે વિરોધી છીએ, દુશ્મન નહીં. NDA ગઠબંધનને આ બિલો પસાર કરવા માટે બે-તૃતીયાંશ બહુમતીની જરૂર હોવાથી સરકાર કોંગ્રેસ સાથે સંવાદ કરી રહી છે. રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું કે તેઓ ‘ઇન્ડિયા’ ગઠબંધનના સહયોગીઓ સાથે ચર્ચા કરીને જ નિર્ણય લેશે. વિપક્ષે સંસદ ચલાવવા માટે ત્રણ શરતો રાખી છે.
બે બિલ પર સરકારે રાહુલ ગાંધી પાસે માંગ્યું સમર્થન!
'અમારા મહોલ્લામાં કેમ આવે છે?' બોલતાં પાડોશીએ બદલો લીધો, 6.56 લાખના દાગીના ચોરાયા!
અમદાવાદના રામોલ ખાતે 'અમારા મોહલ્લામાં કેમ આવે છે?' તેમ કહીને ટોકનારા પડોશીને પાઠ ભણાવવા માટે એક સગીરા અને તેના મિત્રએ મળીને ઘરમાંથી 6.56 લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી લીધા. આ ચોંકાવનારી ઘટનામાં મુખ્ય આરોપી પ્રશાંત ઠાકોરની અટકાયત કરાઈ છે, જ્યારે સગીરાને કાયદેસર તપાસ માટે નજરકેદ કરાઈ છે. વિનય ભરવાડના ઘરે તિજોરીમાંથી દાગીના ગાયબ થતાં મામલો પ્રકાશમાં આવ્યો. જૂની અદાવતમાં ચોરીનું કાવતરું ઘડાયું હતું.
'અમારા મહોલ્લામાં કેમ આવે છે?' બોલતાં પાડોશીએ બદલો લીધો, 6.56 લાખના દાગીના ચોરાયા!
મલ્લિકાર્જુન ખડગે: "ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે, PM મોદી માફી માંગે"
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જંતર-મંતર પાસે વિદ્યાર્થીઓ પર થયેલી કાર્યવાહી મુદ્દે સરકાર પર પ્રહાર કર્યા. તેમણે જણાવ્યું કે, શાંતિપૂર્ણ વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર ટીયર ગેસ, પેલેટ ગન અને લાઠીઓનો ઉપયોગ કરવો ખોટું હતું. ખડગેએ માંગ કરી કે ગૃહમંત્રી અમિત શાહ સંસદમાં આવીને સ્પષ્ટતા આપે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદ્યાર્થીઓ અને તેમના માતા-પિતાને થયેલા દુઃખ બદલ માફી માંગે. સદનમાં ગૃહમંત્રીની ગેરહાજરીને કારણે જ સંસદ નથી ચાલી રહી.
મલ્લિકાર્જુન ખડગે: "ગૃહમંત્રી સંસદમાં જવાબ આપે, PM મોદી માફી માંગે"
મોદી સરકારની 'ગોબરધન' યોજનાને મંજૂરી
કેન્દ્ર સરકારે કમ્પ્રેસ્ડ બાયોગેસ (CBG) ના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ‘ગોબરધન’ યોજનાને 23,731 કરોડ રૂપિયાના બજેટ સાથે મંજૂરી આપી છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ CBG ઉત્પાદનમાં 10 ગણો વધારો કરી ઊર્જા સુરક્ષા મજબૂત કરવાનો છે. 2018માં શરૂ થયેલી આ યોજના કૃષિ કચરા અને પશુઓના છાણને બાયોગેસ અને ખાતરમાં રૂપાંતરિત કરે છે. આગામી 10 વર્ષ સુધી લાગુ થનારી આ યોજના નવા બાયોગેસ પ્રોજેક્ટ્સ માટે કેપિટલ સબસિડી અને સારી ખરીદ કિંમત પૂરી પાડશે, જેનાથી ગ્રામીણ વિસ્તારોમાં સ્વચ્છતા જળવાશે અને આવકમાં વધારો થશે.
મોદી સરકારની 'ગોબરધન' યોજનાને મંજૂરી
સુરતમાં ચોરીની શંકાસ્પદ યુવકનું કોર્ટમાં મોત
સુરત સિવિલ કોર્ટમાં ચોરીના આરોપી યુવક નરેશ પરમારના મોતથી ચકચાર મચી ગઈ છે. કતારગામ પોલીસે ચોરીના આરોપમાં અટકાયત કરેલા 33 વર્ષીય નરેશ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટ રૂમમાં જ તે અચાનક ઢળી પડ્યો હતો અને સિવિલ હોસ્પિટલમાં તેને બ્રેઈન ડેડ જાહેર કરાયો. મૃતકના પરિવારે કતારગામ પોલીસ પર કસ્ટડીમાં ક્રૂર માર માર્યાનો ગંભીર આરોપ લગાવ્યો છે, જેના કારણે યુવકનું મોત થયું હોવાનું જણાવ્યું છે. પોલીસે તપાસ બાદ સત્ય બહાર આવવાની વાત કરી છે.
સુરતમાં ચોરીની શંકાસ્પદ યુવકનું કોર્ટમાં મોત
સલમાન ખાન બીઈંગ હ્યુમન જ્વેલરી ફ્રોડ કેસમાં કોર્ટની નોટિસ મળતા ફરી ચર્ચામાં
બોલિવૂડ અભિનેતા સલમાન ખાન અને તેની બહેન અલવીરા ખાન બીઈંગ હ્યુમન જ્વેલરી ફ્રોડ કેસમાં કાનૂની મુશ્કેલીમાં મુકાયા છે. ચંડીગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટે સલમાન ખાન, અલવીરા અને સંબંધિત કંપની સ્ટાઈલ એન્ડ ક્યુન્ટેન્ટ જ્વેલરી પ્રાઈવેટ લિમિટેડના ડિરેક્ટરો સહિત અન્યને લીગલ નોટિસ ફટકારી છે. તમામ આરોપો પર 5 ઓક્ટોબર સુધીમાં જવાબ રજૂ કરવાનો આદેશ અપાયો છે. બિઝનેસમેન અરુણ ગોયલે આરોપ લગાવ્યો છે કે Being Human બ્રાન્ડ હેઠળ શોરૂમ ખોલાવવા દરમિયાન તેમની સાથે ફ્રોડ થયું, જેનાથી કરોડોનું નુકસાન થયું.
સલમાન ખાન બીઈંગ હ્યુમન જ્વેલરી ફ્રોડ કેસમાં કોર્ટની નોટિસ મળતા ફરી ચર્ચામાં
ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
લોકોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે ગુજરાત સરકારે 'ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ' (Dairy Analog Products) ના ઉત્પાદન અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે. ફૂડ સેફ્ટી કમિશનર દ્વારા આદેશ જાહેર કરાયા બાદ ગાંધીનગર મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી શાખાએ શહેરભરમાં ઝુંબેશ શરૂ કરી છે. રેસ્ટોરન્ટ્સ અને ફૂડ યુનિટ્સમાં તપાસ દરમિયાન પનીર એનાલોગ, ચીઝ એનાલોગ કે અન્ય કૃત્રિમ ડેરી ઉત્પાદનોનો ઉપયોગ થતો નથી તેની ખાતરી કરવામાં આવી રહી છે. Food Business Operators (FBOs) ને આ અંગે કડક સૂચના આપવામાં આવી છે અને ભવિષ્યમાં પણ આ તપાસ ચાલુ રહેશે.
ગુજરાતમાં ‘ડેરી એનાલોગ પ્રોડક્ટ્સ’ પર સંપૂર્ણ પ્રતિબંધ!
પાકિસ્તાનમાં મોહસિન નકવી: શાહબાઝ શરીફ અને ઝરદારીના સામ્રાજ્ય સામે નવો પડકાર
પાકિસ્તાનના રાજકારણમાં 47 વર્ષીય મોહસિન નકવીનો ઉદય અણધાર્યો છે. તેઓ સૈન્ય ગણવેશ વગર પણ આર્મી ચીફ આસિમ મુનીરના સમર્થનથી લશ્કરી અધિકારીઓ જેવો દબદબો ધરાવે છે. ગૃહ મંત્રી, PCB ચીફ અને એશિયન ક્રિકેટ કાઉન્સિલના પ્રેસિડેન્ટ હોવા ઉપરાંત, લશ્કરના સમર્થનને કારણે તેમને 'એસ્ટાબ્લિશમેન્ટનો ફેવરિટ ચહેરો' ગણવામાં આવે છે. પત્રકારત્વમાંથી રાજકારણમાં આવેલા નકવીએ CNN, City Media Group માં કાર્ય કર્યું અને પંજાબના કાર્યવાહક મુખ્યમંત્રી બન્યા. આર્મી ચીફ સાથેની નિકટતા અને ઈરાન સંકટમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. તાજેતરમાં, તેમણે સિસ્ટમમાં મોટા કૌભાંડનો દાવો કરીને શાહબાઝ શરીફ અને ઝરદારી ખેમામાં ખળભળાટ મચાવી દીધો છે.
પાકિસ્તાનમાં મોહસિન નકવી: શાહબાઝ શરીફ અને ઝરદારીના સામ્રાજ્ય સામે નવો પડકાર
દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ
દાહોદના સીંગવડ અને સંજેલી તાલુકામાં મોટા બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે. મૂળ હિંદુ રાવળ (OBC) જ્ઞાતિના હોવા છતાં, તલાટી-મામલતદારની મિલીભગતથી STના નકલી દાખલા મેળવી સરકારી નોકરીઓ, મેડિકલ એડમિશન, પેટ્રોલ પંપ અને સરપંચનું પદ મેળવાયું. કમલેશકુમાર રામસિંગભાઈ રાવળ અને તેમના પરિવારે સાચા આદિવાસીઓના હક્કો છીનવી લીધા છે. શાળા અને મહેસુલી રેકોર્ડમાં વિરોધાભાસ હોવા છતાં પ્રમાણપત્રો ઇશ્યૂ કરાયા, જે સરકારી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે. આ મામલે તટસ્થ તપાસ અને કડક કાર્યવાહીની માગ સાથે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે.
દાહોદમાં બોગસ ST પ્રમાણપત્ર કૌભાંડ
વડોદરામાં હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી ફરાર
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી સારવાર હેઠળ લાવવામાં આવેલો દુષ્કર્મ કેસનો એક આરોપી પોલીસને ચકમો આપીને ફરાર થઈ ગયો છે. ઇન્જેક્શન આપવા માટે હાથકડી ખોલવામાં આવતાં જ તેણે પોલીસકર્મીને ધક્કો મારીને ભાગી છૂટ્યો હતો. હાલ પોલીસ નજીકની નિર્માણાધીન બહુમાળી બિલ્ડિંગમાં ડ્રોન કેમેરા અને માઈક એનાઉન્સમેન્ટની મદદથી આરોપી ગોવિંદ વિહાતિયાની સઘન શોધખોળ કરી રહી છે. આરોપીને કોઈ પણ અપ્રિય ઘટના વગર ઝડપી પાડવાના પ્રયાસો ચાલુ છે.
વડોદરામાં હાથકડી ખોલતાં જ દુષ્કર્મનો આરોપી ફરાર
ભોજન સ્વાદિષ્ટ બનાવતા મસાલામાં કેમિકલ?
હૈદરાબાદ પોલીસને રસોડામાં રોજિંદા વપરાતા ગરમ મસાલા, લવિંગ, જીરું અને વરિયાળી જેવા મસાલાઓમાં ભેળસેળ મળતાં ચોંકી ઉઠી છે. તાજેતરમાં કરાયેલા એક દરોડામાં કપડાં રંગવાની ડાઈ, ટેલકમ પાવડર અને કેમિકલ કલર મિશ્રિત લગભગ 25 ટન ભેળસેળયુક્ત મસાલા જપ્ત કરાયા છે. પોલીસે લવિંગ અને જીરામાં ભેળસેળ ઓળખવાની સરળ રીતો પણ જણાવી છે, જેથી નાગરિકો અસલી અને નકલી મસાલા પારખી શકે. સ્વાસ્થ્ય માટે અત્યંત હાનિકારક આ ભેળસેળ સામે પોલીસે સાવચેતી રાખવાની અપીલ કરી છે.
ભોજન સ્વાદિષ્ટ બનાવતા મસાલામાં કેમિકલ?
12 કરોડમાં બનાવેલા ભારતના આ એરપોર્ટ પર 18 વર્ષમાં ફક્ત 2 વિમાનો લેન્ડ થયા!
મેઘાલયના વેસ્ટ ગારો હિલ્સમાં આવેલું બલજેક એરપોર્ટ, જે 12.52 કરોડના ખર્ચે 2008માં શરૂ થયું હતું, તે છેલ્લા 18 વર્ષોમાં માત્ર બે જ વિમાનોના લેન્ડિંગનું સાક્ષી બન્યું છે. ઉદ્ઘાટનના દિવસે ગુવાહાટીથી આવેલું સેસના અને ડોર્નિયર વિમાન અહીં ઉતર્યા હતા. ત્યારથી, નિયમિત કોમર્શિયલ ફ્લાઇટ્સ શરૂ થઈ શકી નથી. રનવેની લંબાઈ ઓછી હોવાને કારણે મોટા વિમાનો ઉતરી શકતા નથી, અને વિસ્તરણ યોજનાઓ પણ અધૂરી રહી છે. હાલમાં, આ એરપોર્ટનો ઉપયોગ કાર્યક્રમો માટે થાય છે.
12 કરોડમાં બનાવેલા ભારતના આ એરપોર્ટ પર 18 વર્ષમાં ફક્ત 2 વિમાનો લેન્ડ થયા!
ત્રણ વર્ષ બાદ પાકિસ્તાનની વિદેશી ધરતી પર ઐતિહાસિક જીત!
પોર્ટ ઑફ સ્પેન, ટ્રિનિડાડમાં રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં પાકિસ્તાને વેસ્ટ ઈન્ડીઝને આઠ વિકેટે હરાવીને બે મેચની સિરીઝ 1-1 થી ડ્રો કરી. આ જીત સાથે પાકિસ્તાને ત્રણ વર્ષ બાદ વિદેશમાં ટેસ્ટ જીત મેળવી અને કેરેબિયનમાં નવ વર્ષ બાદ વિજય નોંધાવ્યો. ઓપનર અબ્દુલ્લા શફીકની અજેય 160 રનની શાનદાર ઇનિંગ્સ અને કેપ્તાન બાબર આઝમની 88 રનની મદદથી પાકિસ્તાને પ્રથમ ઇનિંગ્સમાં 387 રન બનાવ્યા. વેસ્ટ ઈન્ડીઝના સ્પિનર જોમેલ વોરિકને 6 વિકેટ ઝડપી. બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઈન્ડીઝ 117 રનમાં ઓલઆઉટ થયું, જેના જવાબમાં પાકિસ્તાને 75 રનનો લક્ષ્યાંક સરળતાથી પાર પાડ્યો.
ત્રણ વર્ષ બાદ પાકિસ્તાનની વિદેશી ધરતી પર ઐતિહાસિક જીત!
ગૂગલના 30મા કર્મચારી જેફ ડીન 27 વર્ષ બાદ AI સ્ટાર્ટઅપ શરૂ કરશે
ગૂગલના 30મા કર્મચારી અને ચીફ સાયન્ટિસ્ટ જેફ ડીન 27 વર્ષની લાંબી કારકિર્દી બાદ કંપનીમાંથી રાજીનામું આપી રહ્યા છે. તેઓ સંજય ઘેમાવત, ઓરિયોલ વિનિયાલ્સ અને ક્વાક લે સાથે મળીને 'Discovery Loop' નામનું નવું Artificial Intelligence (AI) સ્ટાર્ટઅપ શરૂ કરશે. Jeff Dean 1999માં ગૂગલમાં જોડાયા હતા અને તેમણે Google Search, Google Ads, Google News, Google Translate, અને TPU પ્રોગ્રામ જેવા અનેક પ્રોજેક્ટ્સમાં યોગદાન આપ્યું છે. ગૂગલના CEO સુંદર પિચાઈએ જેફ ડીનના યોગદાનની પ્રશંસા કરી છે અને ગૂગલ તેમના નવા સ્ટાર્ટઅપ સાથે ફાઉન્ડિંગ ઇન્વેસ્ટર અને ક્લાઉડ પાર્ટનર તરીકે જોડાણ જાળવી રાખશે.
ગૂગલના 30મા કર્મચારી જેફ ડીન 27 વર્ષ બાદ AI સ્ટાર્ટઅપ શરૂ કરશે
રહાણેની કોચ ગૌતમ ગંભીરને સલાહ: ટેસ્ટ ટીમના સિનિયર ખેલાડીઓનું માન જાળવો
ભૂતપૂર્વ કેપ્ટન અજિંક્ય રહાણેએ હેડ-કોચ ગૌતમ ગંભીરના નેતૃત્વ હેઠળની ટીમ મેનેજમેન્ટને ટેસ્ટ ક્રિકેટમાં ભારતીય ટીમના પુનરુત્થાન માટે સિનિયર ખેલાડીઓને મહત્વ આપવાની અપીલ કરી છે. રહાણેના મતે, વાઇટ-બોલ ફોર્મેટમાં ટીમનું પ્રદર્શન સારું રહ્યું છે, પરંતુ ટેસ્ટ ક્રિકેટમાં તાજેતરના ખરાબ પ્રદર્શન પાછળ સિનિયર ખેલાડીઓની ઓછી સંખ્યા અને અનુભવનો અભાવ મુખ્ય કારણ છે. ટીમે ઓછા અનુભવી ખેલાડીઓ પર નિર્ભર રહેવાને બદલે અનુભવી ખેલાડીઓ પર વિશ્વાસ રાખવો જોઈએ, જેથી સારા પરિણામો મળી શકે.