વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી સાથે વાત કરી
ગુજરાતમાં ભારે વરસાદની સ્થિતિ અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે વાતચીત કરીને વિગતો મેળવી. વડાપ્રધાને રાજ્યમાં બચાવ, રાહત અને સલામતીના પગલાંઓમાં કેન્દ્ર સરકાર તરફથી સંપૂર્ણ મદદની ખાતરી આપી છે. મુખ્યમંત્રી પટેલે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત ભાઈ શાહ સાથે પણ વાત કરી, જેમણે જરૂરી મદદની ખાતરી આપી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને અન્ય મંત્રીઓને મોકલી વહીવટી તંત્રને મદદ કરવા સૂચના અપાઈ છે.
વડાપ્રધાન નરેન્દ્રભાઇએ મુખ્યમંત્રી સાથે વાત કરી
અમદાવાદ સહિત ગુજરાતના 20+ જિલ્લામાં આગામી 5 દિવસ વીજળી અને ભારે વરસાદનું એલર્ટ
હવામાન વિભાગે અમદાવાદ સહિત ગુજરાતના 20 થી વધુ જિલ્લાઓમાં આગામી 5 દિવસ વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં મેઘતાંડવને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે અને પૂરગ્રસ્ત વિસ્તારોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. 23 જુલાઈએ 220 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. 23મી રાત્રે 10 વાગ્યાથી 24મી જુલાઈ સુધી અનેક જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં મુખ્યત્વે મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.
અમદાવાદ સહિત ગુજરાતના 20+ જિલ્લામાં આગામી 5 દિવસ વીજળી અને ભારે વરસાદનું એલર્ટ
વડોદરામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: દિવસભર ચાર ઇંચ વરસાદ
વડોદરા શહેરમાં ચોમાસાની ઋતુનો માહોલ જામ્યો છે, જ્યાં દિવસભર સતત વરસાદ ખાબક્યો છે. રેડ એલર્ટ વચ્ચે સવારથી મોડી સાંજ સુધી વરસેલા વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે અને જનજીવન પ્રભાવિત થયું છે. જૂન મહિના બાદ જુલાઈમાં થયેલ આ ધોધમાર વરસાદથી ધરતીપુત્રો પણ ખુશ થયા છે. જિલ્લાના પાદરા, ડભોઇ અને કરજણ તાલુકામાં પણ સારો વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગે આવતીકાલે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
વડોદરામાં ચોમાસાની ધમાકેદાર શરૂઆત: દિવસભર ચાર ઇંચ વરસાદ
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
ગુજરાત અને મહારાષ્ટ્ર સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદને કારણે સ્થિતિ વણસી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત અને તાપી જેવા જિલ્લાઓમાં અતિભારે વરસાદથી નદી-નાળાં છલકાયા છે. ઘરો, દુકાનો અને રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે અને રાહત-બચાવ કાર્ય સતત ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રના પાલઘર, વસઈ અને નાલાસોપારા જેવા વિસ્તારોમાં પણ ભારે જળબંબાકાર જોવા મળ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં મેઘતાંડવ
વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
વલસાડ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે ઔરંગા અને સ્વર્ગવાહિની નદીઓ ઓવરફ્લો થઈ છે, જેના પગલે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તંત્ર દ્વારા 12,754 લોકોને સુરક્ષિત રીતે શેલ્ટર હોમમાં ખસેડવામાં આવ્યા છે. NDRF અને SDRF ની ટીમો દ્વારા 352 નાગરિકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરાયું છે. આ ઘટનામાં 6 વૃક્ષો ધરાશાયી થયા છે અને 18 પશુઓના મોત નીપજ્યા છે. નાનાપોંઢા અને હિંગળાજ ગામે પણ બચાવ કામગીરી હાથ ધરાઈ હતી.
વલસાડમાં નદીઓ ઓવરફ્લો, 12,754 લોકોનું સ્થળાંતર
'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની અપીલ
બોલિવૂડ અભિનેતા સલમાન ખાને NEET પેપર લીક મુદ્દે આંદોલન કરી રહેલા વિદ્યાર્થીઓને હવે ઘરે પરત ફરવાની અપીલ કરી છે. તેમણે વડાપ્રધાનના નિવેદન પર વિશ્વાસ વ્યક્ત કરતાં કહ્યું કે દોષિતો સામે કડક કાર્યવાહી થશે. સાથે જ સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચુકને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની પણ વિનંતી કરી. જોકે, અગાઉ સલમાને વિદ્યાર્થી આંદોલનને યોગ્ય અને શાંતિપૂર્ણ ગણાવી સમર્થન આપ્યું હતું, તેથી તેમના બદલાયેલા વલણને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે.
'સોનમ ભાઈ કંઈક ખાઈ લો, હવે તો PMએ પણ ટ્વિટ કરી દીધું...', સલમાન ખાનની અપીલ
કરજણ ડેમના ૫ દરવાજા ખોલ્યા, કરજણ નદી બંને કાંઠે વહેતી થઈ
નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકામાં સ્થિત કરજણ ડેમની જળસપાટી નિયંત્રિત કરવા માટે તેના ૫ દરવાજા ખોલવામાં આવ્યા છે. આ નિર્ણય કરજણ નદીમાં પાણીની માત્રા વધારી, તેને બંને કાંઠે વહેતી કરી રહ્યો છે. ડેમમાંથી હાલ ૪૩,૧૧૦ ક્યૂસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરજણ નદીના હેઠવાસમાં આવતા રાજપીપલા, ભદામ, ભચરવાડા જેવા ગામોના લોકોને નદી કિનારે ન જવા, પશુઓને નદી તરફ ન લઈ જવા અને માછીમારી જેવી પ્રવૃત્તિઓથી દૂર રહેવા અપીલ કરવામાં આવી છે.
કરજણ ડેમના ૫ દરવાજા ખોલ્યા, કરજણ નદી બંને કાંઠે વહેતી થઈ
વડોદરામાં ભારે વરસાદને કારણે એક ડઝન વૃક્ષો ધરાશાયી
વડોદરા શહેરમાં અતિભારે વરસાદને કારણે એક ડઝનથી વધુ વૃક્ષો ધરાશાયી થતાં ફાયર બ્રિગેડની ટીમોને કામે લગાડવી પડી હતી. સદભાગ્યે, કોઈ જાનહાનિ થઈ નથી. સુભાનપુરા, અલકાપુરી, નાથીબા ગાર્ડન, કારેલીબાગ, કોતર તલાવડી, મકરપુરા, સયાજીપુરા અને સેવાસી રોડ જેવા વિસ્તારોમાં વૃક્ષો પડવાની ઘટનાઓ બની હતી. સેવાસી રોડ પર વૃક્ષ પડવાથી એકતરફી માર્ગ બંધ થયો હતો, જેનાથી વાહનચાલકોને હાલાકી પડી હતી. અન્ય રસ્તાઓ પર પાણી ભરાવાથી વાહનો અટવાયા હતા.
વડોદરામાં ભારે વરસાદને કારણે એક ડઝન વૃક્ષો ધરાશાયી
જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
જંતર-મંતર પર કોકરોચ જનતા પાર્ટી (CJP) ના વિરોધ પ્રદર્શન અને કડક સુરક્ષા વ્યવસ્થાને કારણે સેન્ટ્રલ દિલ્હીમાં ટ્રાફિક ખોરવાઈ ગયો. પોલીસે મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ લગાવ્યા અને 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા, જેના કારણે હજારો મુસાફરોને ટ્રાફિક જામનો સામનો કરવો પડ્યો. આઈટીઓ ટનલ નજીક રસ્તાનો એક ભાગ બંધ થતાં વાહનચાલકોની લાંબી લાઈનો લાગી. મુસાફરીમાં બમણો સમય લાગ્યો. DMRC એ સુરક્ષાના કારણે 17 મેટ્રો સ્ટેશનો બંધ રાખ્યા હતા, જેના કારણે જાહેર પરિવહન પર દબાણ વધ્યું અને વેપારને પણ અસર થઈ.
જંતર-મંતર આંદોલનન કારણે 17 મેટ્રો સ્ટેશન બંધ
સુરતમાં ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ!
Surat heavy Rain: સુરતમાં ભારે વરસાદથી જ્યાં જુઓ ત્યાં જળપ્રલય જેવા દૃશ્યો સર્જાયા છે. શહેરમાંથી પસાર થતી ખાડીઓ બંને કાંઠે વહેતી થતાં આજુબાજુના વિસ્તારોમાં પરિસ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ છે. સુરતની ખાડી ઓવરફ્લો સુરતના ઉમરપાડા, અંબિકા સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદને લઈને શહેરની મીઠી ખાડી, ભેદવાડ અને સીમાડા ખાડી ઓવરફ્લો થઈ જતાં ખાડીના પાણી આસપાસના રહેણાંક વિસ્તારોમાં ફરી વળ્યા છે. જેમાં ભેદવાડ ખાડી 7.60 મીટરે અને સીમાડા ખાડી 4.70 મીટરની ભયજનક સપાટી વટાવીને ઓવરફ્લો થઈ રહી છે, જેના કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીમાં મૂકાયા છે.
સુરતમાં ખાડીઓ ભયજનક સપાટી વટાવી ગઈ!
એસ. જયશંકર બ્રુની, પાપુઆ ન્યુ ગીનીના વિદેશમંત્રીઓને મળ્યા
મનીલામાં ASEAN વિદેશમંત્રી પરિષદ દરમિયાન, ભારતીય વિદેશમંત્રી એસ. જયશંકરે બ્રુની અને પાપુઆ ન્યૂ ગીનીના વિદેશમંત્રીઓ સાથે દ્વિપક્ષીય સંબંધો, ટેકનોલોજી અને Artificial Intelligence પર વિસ્તૃત ચર્ચા કરી. તેમણે બ્રુનીના વિદેશમંત્રી પ્રિન્સ અબ્દુલ માતીનને અભિનંદન પાઠવ્યા. પાપુઆ ન્યૂ ગીનીના વિદેશમંત્રી જસ્ટીન ડબલ્યુ તત્કાય શેંકો સાથે Indo-Pacific વિસ્તારના મુદ્દાઓ અને FIPICને મજબૂત કરવા પર ભાર મૂક્યો. બ્રુની તેલ સમૃદ્ધ છે, જ્યારે પાપુઆ ન્યૂ ગીનીનું વ્યૂહાત્મક સ્થાન ચીનના પ્રવેશને રોકવા માટે મહત્વપૂર્ણ છે.
એસ. જયશંકર બ્રુની, પાપુઆ ન્યુ ગીનીના વિદેશમંત્રીઓને મળ્યા
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. આવી સ્થિતિમાં પશ્ચિમ રેલવેના મુંબઈ સેન્ટ્રલ ડિવિઝન હેઠળ આવેલા ઘોલવડ અને ઉમરગામ રોડ સ્ટેશનો વચ્ચે પુલ નંબર 203 પર પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ રૂટ પર રેલ વ્યવહાર તાત્કાલિક અસરથી કામચલાઉ ધોરણે સ્થગિત કરવામાં આવ્યો છે, જેના કારણે અનેક પ્રમુખ ટ્રેનોને અસર થઈ છે. રદ કરાયેલી મુખ્ય ટ્રેનો (23.07.2026) ડાયવર્ટ કરાયેલી ટ્રેનો
રેલવે ટ્રેક પર પાણી ફરી વળતા વંદે ભારત, શતાબ્દી સહિતની ટ્રેનો રદ
દિલ્હીમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: દિલ્હીમાં વિપક્ષી સાંસદોની બસ રોકાઈ
દિલ્હીમાં NEET પેપર લીક અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર Gen Z દ્વારા શરૂ થયેલું આંદોલન દેશભરમાં ફેલાયું છે. CJP નેતા આશુતોષ રાંકાએ સરકાર સાથેની વાટાઘાટોનો પ્રસ્તાવ ફગાવી દીધો છે. INDIA ગઠબંધને વિદ્યાર્થીઓને સમર્થન આપ્યું છે. ગુરુવારે સાંજે, રાહુલ ગાંધીના કહેવા મુજબ, ગાંધી સ્મૃતિ જઈ રહેલા વિપક્ષી સાંસદોની બસ રાહુલ ગાંધીના ઘરની બહાર જ રોકી દેવાઈ. ભાજપના બી.એલ. સંતોષે આ ઘટનાને 'ડ્રામાબાજી' ગણાવી.
દિલ્હીમાં ફરી હાઈવોલ્ટેજ ડ્રામા: દિલ્હીમાં વિપક્ષી સાંસદોની બસ રોકાઈ
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ
ગુજરાતમાં ચોમાસાનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે, ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અતિવૃષ્ટિને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. નવસારીના ચીખલી અને ખેરગામમાં 16 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. વલસાડના ઉમરગામમાં 35.67 ઈંચ વરસાદ ખાબક્યો છે, જેના પગલે સમગ્ર જિલ્લો પાણીમાં ગરકાવ થયો છે. અત્યાર સુધીમાં 3745 લોકોનું રેસ્ક્યૂ કરાયું છે અને 9,929 લોકોને સુરક્ષિત સ્થળે ખસેડાયા છે. 26 સ્ટેટ હાઈવે સહિત કુલ 1201 રસ્તા બંધ છે. 15 ડેમ હાઈ એલર્ટ પર છે અને NDRF-SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે.
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ; પૂર પ્રભાવિત અનેક લોકોનું રેસ્ક્યૂ
ફ્રાન્સમાં ભીષણ ગરમી બની 'સાઈલન્ટ કિલર'
ફ્રાન્સમાં વર્તમાન વર્ષ 2026 દરમિયાન પડેલી અતિશય અને અસહ્ય ગરમીએ એક ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું છે. ફ્રેન્ચ જાહેર આરોગ્ય એજન્સી દ્વારા જારી કરવામાં આવેલા નવા અને ચોંકાવનારા ડેટા અનુસાર, જૂનના અંતથી જુલાઈની શરૂઆત વચ્ચેના માત્ર 16 દિવસના ટૂંકા ગાળામાં (17 જૂનથી 2 જુલાઈ દરમિયાન) દેશભરમાં 20,000 થી વધુ લોકોના મોત થયા છે. આ સમયગાળા દરમિયાન કુલ 21,674 મૃત્યુ નોંધાયા છે, જે સામાન્ય વર્ષોના આ જ સમયગાળાના સરેરાશ 15,910 મૃત્યુ કરતાં આશરે 5,764 (એટલે કે 36 ટકા) જેટલા વધુ છે. અગાઉ ૨૦૦૩માં આવેલા ગરમીના મોજામાં પણ 70,000 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ફ્રાન્સમાં ભીષણ ગરમી બની 'સાઈલન્ટ કિલર'
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
મહારાષ્ટ્રમાં વિદ્યાર્થીઓના આંદોલન વચ્ચે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ 26 જુલાઈએ મુંબઈમાં સંયુક્ત મોરચો કાઢવાની જાહેરાત કરી છે. તેમનું કહેવું છે કે આ મોરચા દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓનો રોષ સરકાર સુધી પહોંચાડવામાં આવશે. બંને નેતાઓએ સરકાર પર વિદ્યાર્થીઓની અવગણના કરવાનો આરોપ લગાવ્યો અને શાંતિપૂર્ણ પ્રદર્શનમાં વિક્ષેપ કરનારાઓ સામે કડક ચેતવણી આપી. તેમણે મોટી સંખ્યામાં જોડાવા અપીલ કરી. બીજી તરફ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પેપર લીકના કેસોમાં દોષિતોને ઝડપી સજા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત કરી છે.
પેપર લીક મામલે રાજકારણ ગરમાયું: 26 જુલાઈએ મુંબઈમાં રસ્તા પર ઊતરશે ઠાકરે બંધુઓ
નવસારીમાં આકાશમાંથી આફત!
છેલ્લા 4-5 દિવસથી દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના કારણે નવસારી અને વલસાડ જિલ્લામાં અનેક વિસ્તારો જળમગ્ન થયાં છે. 23 જુલાઈએ નવસારીના ખેરગામમાં 16 ઇંચથી વધુ વરસાદ નોંધાયો, જ્યારે ગણદેવી અને ચીખલીમાં 2 કલાકમાં 8-8 ઇંચ વરસાદ પડ્યો. અવિરત વરસાદથી નવસારી બેટમાં ફેરવાયું છે અને નદીઓ બે કાંઠે વહી રહી છે. ચીખલીમાં કાવેરી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું, જેમાં તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ડૂબી ગયું. મુસળધાર વરસાદથી વાહનવ્યવહાર ઠપ્પ થયો અને જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત બન્યું છે.
નવસારીમાં આકાશમાંથી આફત!
ડઘાયેલી સરકારે દિલ્હીમાં વધુ CRPF અને RAF ખડકી
દિલ્હીમાં ચાલી રહેલા વિરોધ પ્રદર્શનોને કારણે કેન્દ્ર સરકાર ચિંતિત છે. પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે, ગૃહ મંત્રાલયે દિલ્હી પોલીસનું સંખ્યાબળ વધારવા CRPFની 9 કંપનીઓ છત્તીસગઢથી, 3 ઝારખંડથી, 5 મધ્યપ્રદેશથી અને 1 ઓડિસાથી બોલાવી છે અને RAF ની વધારાની કંપનીઓ તૈનાત કરી છે. આ પગલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય મહત્વપૂર્ણ સ્થળોની સુરક્ષા વધારવાના હેતુથી લેવામાં આવ્યા છે. વિરોધ પ્રદર્શનકારીઓની સંખ્યા અને તેમની ઉગ્રતાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.
ડઘાયેલી સરકારે દિલ્હીમાં વધુ CRPF અને RAF ખડકી
વિદ્યાર્થીઓ માટે બહાર આવ્યું બોલિવૂડ!
લાંબા સમયના મૌન પછી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી જંતર-મંતર ખાતે વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસા વિરુદ્ધ અવાજ ઉઠાવનાર સલમાન ખાન પહેલા સુપરસ્ટાર બની ગયો છે. તેણે માત્ર વિદ્યાર્થીઓ સાથે થયેલી હિંસાની સખત નિંદા જ નથી કરી, પરંતુ તેના વિરોધ પ્રદર્શનને યોગ્ય ઠેરવ્યું. સલમાન ખાન પછી આલિયા ભટ્ટે પણ સ્ટુડન્ટ પ્રોટેસ્ટ પર પોસ્ટ શેર કરી છે. એકટર અનુપમ ખેરે વિદ્યાર્થીઓના વિરોધ પ્રદર્શનને સૌથી નિષ્પક્ષ અને પ્રામાણિક ગણાવ્યું, સાથે જ તેમને બાહ્ય રાજકીય પક્ષોના એજન્ડાથી સાવચેત રહેવાની સલાહ આપી.
વિદ્યાર્થીઓ માટે બહાર આવ્યું બોલિવૂડ!
CJPએ આવતીકાલે દેશવ્યાપી આંદોલન જાહેર કર્યુ, મોટા પ્રમાણમાં લોકોને જોડાવવા અપીલ
કોકરોચ જનતા પાર્ટી (CJP)એ 24 જુલાઈએ દેશવ્યાપી વિરોધ પ્રદર્શન યોજવાની જાહેરાત કરી છે. પાર્ટીએ ખાસ કરીને વિદ્યાર્થીઓ અને યુવાનોને મોટી સંખ્યામાં આંદોલનમાં જોડાવા અપીલ કરી છે. CJPએ સોશિયલ મીડિયા પર ડિજિટલ પેમ્ફલેટ શેર કરીને લોકોને શાંતિપૂર્ણ રીતે વિરોધ નોંધાવવા અનુરોધ કર્યો છે. પેમ્ફલેટમાં "Every District. One Day. One Demand."નો સંદેશ આપીને દેશભરમાં એકસાથે આંદોલન કરવાની હાકલ કરવામાં આવી છે.
CJPએ આવતીકાલે દેશવ્યાપી આંદોલન જાહેર કર્યુ, મોટા પ્રમાણમાં લોકોને જોડાવવા અપીલ
CJP: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો"
NEET પેપર લીક મુદ્દે કોકરોચ જનતા પાર્ટી (CJP) અને કેન્દ્ર સરકાર વચ્ચે વાતચીતને લઈને મતભેદ યથાવત છે. CJPએ સ્પષ્ટ કર્યું છે કે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે.પી. નડ્ડાના ઘર કે મંત્રાલયમાં કોઈ બેઠક નહીં થાય. તેઓએ જણાવ્યું કે બેઠક કાં તો જંતર-મંતર પર અથવા કોઈ તટસ્થ સ્થળે જ યોજાવી જોઈએ, જેમાં સરકાર CJPની માંગણીઓ પર ઠોસ વાતચીત કરે અને માંગો પૂરી કરવા માટે ચોક્કસ સમયમર્યાદા આપે. આ પહેલાં સરકારે ચર્ચા માટે 4 પ્રસ્તાવો મોકલ્યા હતા, પરંતુ CJP શરતો પર અડગ છે.
CJP: "વાત કરવી હોય તો જંતર-મંતર આવો"
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે પછી જ વાત!
નીટ પેપર લીક મુદ્દે સંસદમાં રાજકીય ઘમાસાણ તેજ બન્યું છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષે માંગ કરી છે કે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પહેલા રાજીનામું આપે, ત્યારબાદ જ આ મુદ્દે સંસદમાં ચર્ચા કરવામાં આવે. બીજી તરફ સરકારે ચર્ચા માટે પોતાની તૈયારી દર્શાવતા આરોપ લગાવ્યો છે કે વિપક્ષ ચર્ચાથી બચવાનો પ્રયાસ કરી રહ્યો છે. આ દરમિયાન દેશના વિવિધ ભાગોમાં વિદ્યાર્થીઓનો વિરોધ પણ સતત ઉગ્ર બની રહ્યો છે.
ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે પછી જ વાત!
જૂનાગઢમાં રૂ. 2.11 લાખના ગાંજા સાથે બેની ધરપકડ,
જૂનાગઢ એસ.ઓ.જી. ટીમે ઓડીશાથી પોસ્ટ મારફતે મંગાવેલ રૂ. 2,11,950 ની કિંમતનો 4.239 કિલોગ્રામ ગાંજાનો જથ્થો મળી કુલ રૂ.2,51,950 ના મુદ્દામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય પાંચ ઈસમોને પકડવા માટે પોલીસ દ્વારા સઘન શોધખોળ હાથ ધરાઈ છે. નશીલા પદાર્થોની હેરાફેરી અને યુવાનોમાં તેના વધતા જતા ઉપયોગને રોકવા માટે ખાસ ડ્રાઈવ દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી.
જૂનાગઢમાં રૂ. 2.11 લાખના ગાંજા સાથે બેની ધરપકડ,
રાજકોટના મહિલા તબીબ ડિજિટલ ફ્રોડનો ભોગ બન્યા
મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના નામે ડિજિટલ અરેસ્ટ કરી રાજકોટના એક મહિલા તબીબ પાસેથી તેમના નામે સીમકાર્ડ અને બેંક એકાઉન્ટ ખોલાવી મની લોન્ડરીંગ કરવામાં આવ્યું છે એમ કહી, વેરિફિકેશનના બહાને ₹12.90 લાખ પડાવી લેવાયા. દર કલાકે વીડિયો કોલ કરવાનું કહી, તબીબ પાસેથી બેંક બેલેન્સ, મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટ રોકાણ સંબંધિત માહિતી પણ મેળવી. તબીબના ભાઈને આ બાબતે જાણ થતાં છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો અને સાયબર ક્રાઈમ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
રાજકોટના મહિલા તબીબ ડિજિટલ ફ્રોડનો ભોગ બન્યા
મુંબઈ પોલીસની નવી ચાલ: વિદ્યાર્થી આંદોલન રોકવા ડિજિટલ ટ્રેકિંગ
NEET પેપર લીક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે મુંબઈ પોલીસે અનોખો અભિગમ અપનાવ્યો છે. શિવાજી પાર્ક, ચેમ્બૂર, આઝાદ મેદાન જેવા વિસ્તારોમાં પ્રદર્શનો અટકાવવા, પોલીસે ડિજિટલ ટ્રેકિંગ અને ઘરે-ઘરે જઈ તપાસ શરૂ કરી છે. જે વિદ્યાર્થીઓ સામે પહેલા FIR નોંધાયેલી છે, તેમને WhatsApp પર લાઈવ લોકેશન મોકલવા આદેશ અપાયો છે. BNSS કલમ 35(3) હેઠળ ડિજિટલ નોટિસ મોકલી જૂના પ્રદર્શનો અંગે પૂછપરછ માટે થાણે હાજર થવા નિર્દેશ અપાયો છે. પોલીસ વિદ્યાર્થીઓના પરિવારજનોને મળીને ભવિષ્યમાં પ્રદર્શનોમાં ભાગ ન લેવા સલાહ આપી રહી છે. આ કાર્યવાહીનો હેતુ યુવાનોની ભવિષ્યની કારકિર્દી બચાવવાનો હોવાનો પોલીસનો દાવો છે.
મુંબઈ પોલીસની નવી ચાલ: વિદ્યાર્થી આંદોલન રોકવા ડિજિટલ ટ્રેકિંગ
વઢવાણ સરકારી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન પોલીસ જપ્તામાંથી ચોરીનો આરોપી નાસી છૂટ્યો
વઢવાણ સરકારી હોસ્પિટલમાં હેલ્થ ચેકઅપ માટે લાવવામાં આવેલા વીજ ટ્રાન્સફોર્મરમાંથી કોપર વાયર ચોરીના આરોપી વિરૂભાઈ કાંજીયાએ શૌચાલયની બારીમાંથી ભાગી છૂટ્યો. આરોપી શૌચ ક્રિયાનું બહાનું કાઢી પોલીસને થાપ આપી ફરાર થયો. પોલીસે અલગ અલગ ટીમો બનાવી આસપાસના સીસીટીવી ફૂટેજની મદદથી આરોપીને ઝડપી પાડવા સઘન તપાસ હાથ ધરી છે. પોલીસ જાપ્તામાંથી આરોપી નાસી છૂટતા પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામી છે.
વઢવાણ સરકારી હોસ્પિટલમાં ચેકઅપ દરમિયાન પોલીસ જપ્તામાંથી ચોરીનો આરોપી નાસી છૂટ્યો
હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
જામનગરની જી.જી. હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. સારવાર હેઠળ રહેલા દેવભૂમિ દ્વારકાના બે બાળકોના મૃત્યુ થતાં આરોગ્ય તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. અત્યાર સુધીમાં કુલ છ શંકાસ્પદ બાળ દર્દી દાખલ થયા હતા, જેમાં ત્રણના મોત થયા છે. જામનગર જિલ્લાના બાળકોના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે દેવભૂમિ દ્વારકાના સેમ્પલ તપાસ હેઠળ છે. લોકોને સતર્ક રહેવા અને બાળકોને મચ્છર-માખીથી બચાવવા, તેમજ ગંભીર લક્ષણો જણાય તો તાત્કાલિક સારવાર લેવાની અપીલ કરાઈ છે.
હાલારમાં ચાંદીપુરા વાયરસનો કહેર!
મોબાઈલમાં ગુંજ્યો 'Extremely Severe Alert''
સુરતમાં ભારે વરસાદ અને પાણી ભરાવાની સ્થિતિ વચ્ચે મોબાઈલમાં અચાનક 'Extremely Severe Alert' ગુંજતા લોકો ચિંતિત બન્યા હતા. આ ઈમરજન્સી એલર્ટ અને ખાસ ટોને સૌને ક્ષણભર માટે ગભરાવી દીધા. SDMA દ્વારા આગામી 24 કલાક માટે અતિભારે વરસાદની ચેતવણી જાહેર થતાં, આ એલર્ટ ચર્ચાનો વિષય બન્યો. સોશિયલ મીડિયા પર સ્ક્રીનશોટ વાયરલ થયા. આ એલર્ટ ખાસ કરીને સુરત સહિત ગુજરાતના 11 જિલ્લાઓમાં પહોંચ્યું હતું.
મોબાઈલમાં ગુંજ્યો 'Extremely Severe Alert''
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
બિહારના લહેરિયાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેન્દ્રીય શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે વિદ્યાર્થીઓનું આંદોલન હિંસક બન્યું. પ્રદર્શનકારીઓ દ્વારા પથરાવ થતાં સિટી SP અશોક કુમાર અને એક કોન્સ્ટેબલ ઘાયલ થયા. પરિસ્થિતિને કાબૂમાં લેવા પોલીસે લાઠીચાર્જ કર્યો અને 7 રાઉન્ડ ટીયર ગેસના શેલ છોડ્યા. 2,000થી વધુ વિદ્યાર્થીઓ એકઠા થયા હતા. CCTV ફુટેજના આધારે પથરાવ કરનારાઓની ઓળખ શરૂ કરાઈ છે.
શિક્ષણમંત્રીના રાજીનામાની માંગ સાથે બિહારમાં વિદ્યાર્થીઓનું ઉગ્ર આંદોલન
જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
'અલ નીનો'ની અસરને કારણે સૌરાષ્ટ્રના જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે અછત સર્જાઈ છે. તાજેતરના આંકડા મુજબ, દેવભૂમિ દ્વારકામાં 96% અને જામનગર જિલ્લામાં 80% વરસાદની ઘટ નોંધાઈ છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જુલાઈ માસના અંત સુધીમાં ખૂબ જ ઓછો વરસાદ પડ્યો છે. આ સ્થિતિને કારણે ખેડૂતોમાં પાક નિષ્ફળ જવાનો અને પીવાના પાણીની તંગીનો ભય વ્યાપ્યો છે. હાલ સૌ ખેડૂતો ઓગસ્ટમાં બંગાળની ખાડીમાં સર્જાનારી સિસ્ટમ પર આશા રાખી રહ્યા છે.
જામનગર અને દ્વારકા જિલ્લામાં વરસાદની ભારે ઘટ
Gen-Z આંદોલન: સરકારની વાતચીતની ઓફર
NEET પેપર લીક મુદ્દે ચાલી રહેલા Gen-Z આંદોલન વચ્ચે, કેન્દ્ર સરકારે પ્રદર્શનકારીઓ સાથે વાતચીત કરવા માટે ફરી એકવાર હાથ લંબાવ્યો છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે સ્પષ્ટ કર્યું છે કે સરકાર તેમની અનુકૂળતા મુજબ કોઈપણ સમયે અને કોઈપણ સ્થળે ચર્ચા કરવા તૈયાર છે. સરકારે ગઈકાલ બપોરથી અત્યાર સુધીમાં વાતચીત માટે 4 સત્તાવાર પ્રસ્તાવો મોકલ્યા છે. આ બેઠકમાં આરોગ્ય મંત્રી અને ભાજપ પ્રમુખ જેપી નડ્ડા પણ હાજર રહેશે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે તેઓ કોઈ અહમ પર નથી અને યુવાનોના હિતમાં ચર્ચા કરવા માંગે છે. PM મોદીએ ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાત બાદ આ પ્રયાસો કરવામાં આવ્યા છે.