વરસાદ ખેંચાતા પ્રાંતિજમાં ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ
વરસાદ ખેંચાતા પ્રાંતિજમાં ઢુંઢીયા બાવજીની મૂર્તિ બનાવી મેઘરાજાને રીઝવવાનો પ્રયાસ
Published on: 02nd July, 2026

ઉત્તર ગુજરાત અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદના અભાવે ખેડૂતો, પશુપાલકો અને નગરજનો ચિંતિત છે. આ સ્થિતિમાં, પ્રાંતિજના નાનીભાગોળ વિસ્તારમાં મહિલાઓએ મેઘરાજાને રીઝવવા માટે પરંપરાગત રીતે ઢુંઢીયા બાવજીની માટીની મૂર્તિ બનાવી અનોખી પ્રાર્થના યોજી હતી. મહિલાઓ અને બાળકીઓએ ઢોલ-નગારાના તાલે મૂર્તિનો વરઘોડો કાઢી, માર્કડેશ્વર મહાદેવ મંદિરમાં જળાભિષેક કર્યો અને સારા વરસાદ માટે પ્રાર્થના કરી. મૂર્તિને પાણીથી નવડાવી બોખમાં વિધિવત્ પધરાવાઈ. આ ધાર્મિક કાર્યક્રમ આકર્ષણનું કેન્દ્ર બન્યો.