મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: મુખ્યમંત્રીએ કટોકટીને નૈસર્ગિક આપત્તિ ગણાવી
મહારાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી અતિવૃષ્ટિને કારણે જનજીવન સંપૂર્ણપણે ખોરવાઈ ગયું છે. મુંબઈ સહિત રાજ્યભરમાં થયેલા અસંખ્ય અકસ્માતોમાં છેલ્લા ચાર દિવસમાં 13 લોકોનાં મોત થયાં છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે આ પરિસ્થિતિને માનવ નિયંત્રણ બહારની નૈસર્ગિક આપત્તિ ગણાવી છે અને તમામ અધિકારીઓને 24x7 સતર્ક રહેવાનો આદેશ આપ્યો છે. ભારે વરસાદને કારણે માર્ગ, રેલ અને હવાઈ સેવાઓ પણ પ્રભાવિત થઈ છે, જેમાં અનેક ટ્રેનો રદ અથવા ડાયવર્ટ કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં અતિવૃષ્ટિ: મુખ્યમંત્રીએ કટોકટીને નૈસર્ગિક આપત્તિ ગણાવી
મુંબઈના માનખુર્દ ઈમારત દુર્ઘટના: પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો
માનખુર્દમાં થયેલી ઇમારત દુર્ઘટના જેમાં છ લોકોના મોત થયા હતા, તેના સંદર્ભમાં પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો છે. આ ચાર માળની ઇમારત અનધિકૃત રીતે બનાવવામાં આવી હતી અને તેમાં સુરક્ષાના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. રવિવારે રાત્રે બનેલી આ દુર્ઘટનામાં ઇમારત પડતાં બાજુની ઝૂંપડપટ્ટીઓમાં રહેતા લોકોના મોત થયા હતા. આ કેસમાં ઇમારતના માલિક, કોન્ટ્રાક્ટર અને અન્ય સંબંધિત વ્યક્તિઓ સામે ગુનો નોંધાયો છે.
મુંબઈના માનખુર્દ ઈમારત દુર્ઘટના: પોલીસે સદોષ મનુષ્યવધનો ગુનો દાખલ કર્યો
ભારે વરસાદે મુંબઈ એરપોર્ટની કામગીરી ખોરવી
મુંબઈમાં અવિરત ભારે વરસાદને કારણે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) પર ફ્લાઇટ કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. સવારે 11:30 સુધીમાં લગભગ 17 ફ્લાઇટ્સ રદ થઈ, જ્યારે 217 ફ્લાઇટ્સમાં વિલંબ નોંધાયો. IMD દ્વારા રેડ એલર્ટ જાહેર કરાયું છે. ઓછી દૃશ્યતા અને પવનોને કારણે એર ટ્રાફિક મેનેજમેન્ટ મુશ્કેલ બન્યું છે. અનેક એરલાઇન્સે ટ્રાવેલ એડવાઇઝરી જાહેર કરી, મુસાફરોને ફ્લાઇટ સ્ટેટસ તપાસવા અને વધારાનો સમય રાખવાની સલાહ આપી છે.
ભારે વરસાદે મુંબઈ એરપોર્ટની કામગીરી ખોરવી
ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ પ્રભાવિત
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદ અને સ્ટેશનો પર પાણી ભરાવાને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. અનેક લોકલ અને લાંબા અંતરની ટ્રેનો રદ કરાઈ છે અથવા શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. વિરાર-બોરીવલી વચ્ચેની સેવા રદ કરાઈ છે અને કેટલીક ટ્રેનોના સ્ટેશન બદલવામાં આવ્યા છે. સયાજી નગરી એક્સપ્રેસને અંકલેશ્વર ખાતે શોર્ટ ટર્મિનેટ કરાઈ છે. મુસાફરોને મુસાફરી પહેલાં ટ્રેનની સ્થિતિ તપાસવાની અપીલ કરાઈ છે. ભાયંદર બ્રિજ પર એક સ્પાનની રેલિંગ તૂટી પડી હતી, જેનું સમારકામ કરાયું છે.
ભારે વરસાદને કારણે પશ્ચિમ રેલવેની ટ્રેન સેવાઓ પ્રભાવિત
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભૂસ્ખલન
મુંબઈ-પુણે એક્સપ્રેસવેનો મહત્ત્વનો ભાગ મિસિંગ લિંક શરૂ થયાના બે જ મહિનામાં ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે નુકસાન થતાં બંધ કરાયો છે. મહારાષ્ટ્રમાં સતત વરસી રહેલા વરસાદને કારણે સોમવારે વહેલી સવારે ભૂસ્ખલનની ઘટના સર્જાતાં વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. મિસિંગ લિંક ટનલ નંબર-2ના એક્ઝિટ નજીક થયેલા ભૂસ્ખલનને કારણે પુણેથી મુંબઈ જતાં કેરેજવે પર ટ્રાફિકને તાત્કાલિક અસરથી વૈકલ્પિક માર્ગે ડાઈવર્ટ કરાયો હતો. આ ડાઈવર્ઝનના કારણે સેંકડો વાહનચાલકો કલાકો સુધી રસ્તામાં અટવાઈ ગયા હતા, જેના પરિણામે વાહનોની અવરજવરમાં મોટો વિક્ષેપ સર્જાયો હતો.
મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર ભૂસ્ખલન
ભારે વરસાદે 19 ટ્રેનો રદ કરી, વંદે ભારત-તેજસ અધવચ્ચે રોકાઈ
મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં અતિ ભારે વરસાદને કારણે રેલવે સેવાઓ ખોરવાઈ ગઈ છે. પાલઘર અને વસઈ-વિરારમાં 300 મીમી વરસાદથી ટ્રેક પાણીમાં ડૂબી ગયા, જેના લીધે મુંબઈ તરફ જતી લાંબા અંતરની ટ્રેનો ઠપ થઈ ગઈ. મુંબઈ-પુણે ઘાટ સેક્શનમાં ભૂસ્ખલનને કારણે પણ સેન્ટ્રલ રેલવેની સેવાઓ પ્રભાવિત થઈ. આશરે એક લાખ મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડ્યો, જેમાં સુરત રેલવે સ્ટેશન પર 30 હજાર મુસાફરોનો સમાવેશ થાય છે. વંદે ભારત એક્સપ્રેસ, તેજસ એક્સપ્રેસ અને અન્ય ઘણી ટ્રેનોને અધવચ્ચે રોકી દેવાઈ. 8 ફ્લાઇટ્સ પણ વિઝિબિલિટીના અભાવે મોડી પડી.
ભારે વરસાદે 19 ટ્રેનો રદ કરી, વંદે ભારત-તેજસ અધવચ્ચે રોકાઈ
ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ રોડ: 13 લેન માટે સર્વિસ લાઈન્સ હટાવવાનું કાર્ય શરૂ.
મરીનડ્રાઈવ ખાતે જવાહર બાલભવન ભાગમાં ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ રોડ માટે રસ્તાનું વિસ્તરણ કાર્ય શરૂ થયું છે. આ માર્ગ બંને દિશામાં વાહનવ્યવહાર માટે 13 લેનનો બનશે. મહારાષ્ટ્ર સાગરી કિનારા ક્ષેત્ર વ્યવસ્થાપન પ્રાધિકરણે મંજૂરી આપ્યા બાદ, મુંબઈ મહાનગર પ્રદેશ વિકાસ પ્રાધિકરણે સર્વિસ લાઈન્સ હટાવવાનું કામ શરૂ કર્યું છે. આ વિસ્તરણ કાર્ય માટે હાલના પ્રોમોનેડના ભાગનો ઉપયોગ કરીને, રસ્તાની નવી 13 લેન બનાવવામાં આવશે.
ઓરેન્જ ગેટથી મરીનડ્રાઈવ અંડરગ્રાઉન્ડ રોડ: 13 લેન માટે સર્વિસ લાઈન્સ હટાવવાનું કાર્ય શરૂ.
કેતનની હત્યા કરવા સિયાએ રાજા રઘુવંશી કેસનો અભ્યાસ કર્યો
પુણેના લોહગઢ કિલ્લા પર કેતન વિશાલ અગ્રવાલની હત્યા કેસમાં નવા ખુલાસા થયા છે. મુખ્ય આરોપી સિયા ગોયલે હત્યા પહેલાં ઈન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસ અને પોલીસ કસ્ટડીમાં મહિલાઓ વિશે ઇન્ટરનેટ પર શોધ કરી હતી. સિયાના મોબાઇલ ફોનની સર્ચ હિસ્ટ્રીમાંથી આ માહિતી મળી છે. પોલીસે સિયાના બેડરૂમમાંથી બીજો મોબાઇલ પણ જપ્ત કર્યો છે. 18 જૂને સિયા અને તેના બોયફ્રેન્ડ ચેતન ચૌધરીએ કેતનને 400 ફીટ ઊંડી ખીણમાં ધકેલીને મારી નાખ્યો હતો. સિયાએ 31 મેથી જ હત્યાનું આયોજન શરૂ કર્યું હતું અને 14 જૂને પહેલો પ્રયાસ નિષ્ફળ ગયો હતો.
કેતનની હત્યા કરવા સિયાએ રાજા રઘુવંશી કેસનો અભ્યાસ કર્યો
રામમંદિર દાન ચોરી: CCTVમાં 70 શંકાસ્પદ ઘટનાઓ, SIT રિપોર્ટમાં ગંભીર આરોપો
અયોધ્યાના રામમંદિરના દાનમાં થયેલી ચોરી મામલે SITના પ્રાથમિક રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસા થયા છે. 27 એપ્રિલથી 5 જૂન વચ્ચે CCTV ફૂટેજમાં લગભગ 70 શંકાસ્પદ ઘટનાઓ કેદ થઈ છે. 8 આરોપીઓ ખિસ્સા અને બૂટમાં નોટો છુપાવતા જોવા મળ્યા. SITએ ડૉ. અનિલ મિશ્રા પર પણ ગંભીર આરોપો લગાવ્યા છે, જેમાં સુરક્ષા વ્યવસ્થામાં રહેલી ખામીઓ માટે તેમને જવાબદાર ઠેરવ્યા છે. ચંપત રાયનો ડ્રાઈવર ટિન્નુ લેખિત આદેશ વિના ચાવીઓ રાખતો હતો અને તેણે પોતાના ભત્રીજાને દાન ગણતરીમાં લગાવ્યો હતો. SITએ 6 આરોપીઓ સામે ચોરી, વિશ્વાસઘાત સહિતની કલમો હેઠળ કેસ દાખલ કરવાની ભલામણ કરી છે.
રામમંદિર દાન ચોરી: CCTVમાં 70 શંકાસ્પદ ઘટનાઓ, SIT રિપોર્ટમાં ગંભીર આરોપો
રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર
રાપર તાલુકામાં સાંજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી, જ્યાં એકથી બે ઇંચ વરસાદ વરસ્યો. ભારે પવન અને ગાજવીજ સાથે અસહ્ય ઉકળાટ બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી. ભુજ તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ ઝાપટા પડ્યાં. ગાંધીધામ, અંજાર અને ભચાઉમાં પણ મેહુલિયાની હાજરી નોંધાઈ. ખેડૂતોમાં વાવણીલાયક વરસાદથી ખુશીની લહેર જોવા મળી. હવામાન વિભાગે આગામી દિવસોમાં કચ્છમાં હળવા વરસાદની આગાહી કરી છે.
રાપર સહિત કચ્છના અનેક વિસ્તારોમાં મેઘરાજાની મહેર
ઓપરેશન સિંદૂર બાદ કચ્છ બોર્ડરનું વધ્યું મહત્વ, પાકિસ્તાન નેવીનો ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ
‘ઓપરેશન સિંદૂર’ બાદ કચ્છ બોર્ડરનું વ્યૂહાત્મક મહત્વ વધ્યું છે. ભારતની સુરક્ષા તૈયારીઓથી પાકિસ્તાન ચિંતિત છે. ભારતીય નેતાઓ દ્વારા કચ્છની મુલાકાતો અને સિરક્રીક વિસ્તારમાં અપાયેલી ચેતવણીઓ બાદ, પાકિસ્તાન નેવીએ સિરક્રીક પાસે ‘અબાબીલ’ નામનો યુદ્ધાભ્યાસ કર્યો છે. આ અભ્યાસમાં સુરક્ષા ડ્રોન અને કોસ્ટલ મિસાઈલ ફોર્સનું પરીક્ષણ કરાયું છે, જે પાકિસ્તાનની વધતી દરિયાઈ ક્ષમતા દર્શાવે છે. ભારત આ ગતિવિધિઓ પર સતત નજર રાખી રહ્યું છે.
ઓપરેશન સિંદૂર બાદ કચ્છ બોર્ડરનું વધ્યું મહત્વ, પાકિસ્તાન નેવીનો ‘અબાબીલ’ યુદ્ધાભ્યાસ
મહારાષ્ટ્રના વરસાદી કહેરથી કચ્છ-મુંબઈ રેલવે વ્યવહાર પ્રભાવિત
મહારાષ્ટ્રમાં થયેલા ભારે વરસાદને કારણે પાલઘર, સફાલા, કેલવે રોડ, વસઈ રોડ અને નાલાસોપારા વચ્ચે રેલવે ટ્રેક પર પાણી ભરાતા પશ્ચિમ રેલવેનો ટ્રેન વ્યવહાર ખોરવાયો હતો. કચ્છથી મુંબઈ જતી કચ્છ એક્સપ્રેસ (22956) ભીલાડ સ્ટેશન પર કલાકો સુધી અટકી પડી હતી. મુસાફરોને બોરીવલી અને વાપી પહોંચાડવા માટે એસટી બસોની વ્યવસ્થા કરાઈ હતી, પરંતુ ભાડું વસૂલાતાં નારાજગી જોવા મળી. અનેક ટ્રેનોને શોર્ટ ટર્મિનેટ કરાઈ અથવા રૂટ બદલાયા, જેના કારણે પ્રવાસીઓએ અસુવિધા ભોગવી.
મહારાષ્ટ્રના વરસાદી કહેરથી કચ્છ-મુંબઈ રેલવે વ્યવહાર પ્રભાવિત
હિંમતનગરના વિજયનગરમાં 4 ઈંચ વરસાદ પડતાં પુણ્યશિલા નદી બે કાંઠે
વિજયનગર તાલુકામાં રવિવારે 24 કલાકમાં 114 મિલીમીટર (લગભગ સાડા ચાર ઇંચ) વરસાદ પડતાં વિજયનગરમાંથી પસાર થતી પુણ્યશિલા નદી બે કાંઠે વહેતી થઈ હતી નદીમાં પાણીની ભરપૂર આવક થતાં આસપાસના ગ્રામ્યજનો નદીને જોવા ઉમટી પડયા હતા. ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો, કારણ કે આ વરસાદ ખેતી માટે ફાયદાકારક છે. સીઝનમાં વિજયનગર તાલુકામાં અત્યાર સુધીમાં સિઝનનો 128 મિલીમીટર વરસાદ નોંધાયો છે, જે સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ છે.
હિંમતનગરના વિજયનગરમાં 4 ઈંચ વરસાદ પડતાં પુણ્યશિલા નદી બે કાંઠે
હિંમતનગર: પોશીના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખુશીનો માહોલ
પોશીના પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થતાં સ્થાનિકોને અસહ્ય ઉકળાટ અને બફારામાંથી મોટી રાહત મળી છે. પોશીના મુખ્ય મથક સહિત લાંબડીયા, કોટડા અને દેલવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મુખ્ય બજારમાં નદી જેવી સ્થિતિ સર્જાઈ હતી અને રસ્તાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ધરતીપુત્રોમાં વાવણી લાયક વરસાદથી ભારે હરખ અને આનંદ જોવા મળી રહ્યો છે, જેના કારણે ખુશીની લહેર દોડી ગઈ છે.
હિંમતનગર: પોશીના વિસ્તારમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, ખુશીનો માહોલ
હિંમતનગર અને પોશીનામાં મેઘરાજાની કૃપા, આગોતર વાવેતરમાં રાહત
સાબરકાંઠા જિલ્લામાં મોડેથી શરૂ થયેલા વરસાદથી આગોતર વાવેતર કરાયેલ મગફળી, કપાસને ખૂબ ફાયદો થયો છે. પોશીના તાલુકામાં દોઢ ઇંચથી વધુ વરસાદ પડતાં ખેડૂતોને વાવણી માટે અનુકૂળતા રહેશે. હિંમતનગર, વડાલી, તલોદ અને પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં પણ ઝાપટાં પડ્યા હતા, જોકે બાફ અને ઉકળાટમાં ખાસ ઘટાડો થયો નથી. તલોદમાં 1 ઇંચથી વધુ અને પ્રાંતિજમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. જિલ્લામાં વધુ વરસાદની શક્યતા નકારી શકાતી નથી.
હિંમતનગર અને પોશીનામાં મેઘરાજાની કૃપા, આગોતર વાવેતરમાં રાહત
ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: 5 જિલ્લામાં રેડ, 3માં ઓરેન્જ એલર્ટ
ગુજરાત પર એકસાથે પાંચ હવામાન સિસ્ટમ સક્રિય થવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે આજે પાંચ જિલ્લામાં અત્યંત ભાર અને ત્રણ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. 7 જુલાઈ સુધીમાં રાજ્યના 268માંથી 8 તાલુકા હજુ પણ કોરાધાકોડ છે, જેમાં 6 કચ્છના છે. સુરત, વલસાડ જેવા શહેરોમાં ધોધમાર વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર પણ પ્રભાવિત થયો છે.
ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય: 5 જિલ્લામાં રેડ, 3માં ઓરેન્જ એલર્ટ
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
અયોધ્યા રામ મંદિર દાન ચોરી મામલે SITના રિપોર્ટમાં મોટો ખુલાસો થયો છે. CCTV ફૂટેજમાં કર્મચારીઓ ગણતરી દરમિયાન નોટો કપડાં, ખિસ્સાં અને બૂટમાં છુપાવતા દેખાયા છે. આશરે 70 શંકાસ્પદ ઘટનાઓ નોંધાઈ છે, જેમાં 6 કર્મચારીઓની મિલીભગત હોવાની શંકા છે. લગભગ 78.94 લાખ રૂપિયા રિકવર કરાયા છે. ટ્રસ્ટની નબળી સુરક્ષા વ્યવસ્થા અને નિયમોના ઉલ્લંઘન પર પણ સવાલો ઉઠાવાયા છે. ડો. અનિલ મિશ્રા પર પણ ગંભીર આક્ષેપો થયા છે.
રામ મંદિર દાન ચોરી: SIT રિપોર્ટમાં કર્મચારીઓ કપડાં, બૂટમાં નોટો છુપાવતા કેદ
મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો ઘાતકી હુમલો
મણિપુરમાં ઉખરુલ જિલ્લામાં 40 Assam Riflesના કાફલા પર શંકાસ્પદ ઉગ્રવાદીઓએ હુમલો કર્યો, જેમાં 2 જવાનો શહીદ થયા. વારન્ટ ઓફિસર Balwant Singh અને Rifleman CM Singh ના શહીદ થયા છે. આ હુમલામાં IED બોમ્બ બ્લાસ્ટ અને આડેધડ ગોળીબારનો ઉપયોગ થયો હતો. ઘટનાસ્થળે સુરક્ષા દળો દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન શરૂ કરાયું છે. આ હુમલાની રાજ્યના નેતાઓ દ્વારા નિંદા કરવામાં આવી છે.
મણિપુરમાં સેનાના કાફલા પર ઉગ્રવાદીઓનો ઘાતકી હુમલો
અમદાવાદમાં સાંજે 6 વાગ્યા પછી ભારે વરસાદ
અમદાવાદ શહેરમાં સાંજે 6 વાગ્યા પછી અચાનક ભારે વરસાદ શરૂ થયો, જેના કારણે આશ્રમ રોડ, ચાંદખેડા, મેમનગર અને ગુજરાત યુનિવર્સિટી સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાયા. બોડકદેવમાં ટાઇટેનિયમ વર્લ્ડ ટાવર પાસે રોડ બેસી ગયો, જ્યાં મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સમારકામ શરૂ કરાયું છે. નીચાણવાળા વિસ્તારો અને ચાર રસ્તાઓ પર પાણી ભરાતા વાહનચાલકોને મુશ્કેલી પડી. બાકરોલ ખાતે સૌથી વધુ વરસાદ નોંધાયો.
અમદાવાદમાં સાંજે 6 વાગ્યા પછી ભારે વરસાદ
ચોમાસા પહેલાં વરસાદી પાણીનો ભરાવો રોકવા ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાઈ
વડોદરામાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની સમસ્યા નિવારવા મ્યુનિ. કોર્પોરેશને ૭૪ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન (APS) અને ૧૪ સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (STP) માટે ખાસ વ્યવસ્થા કરી છે. ભારે વરસાદમાં ડ્રેનેજ લાઈનો પરનું ભારણ ઘટાડવા ૧૨ સ્થળોએ બાયપાસ વાલ્વ સિસ્ટમ લગાવવામાં આવી છે, જેથી વધારાનું પાણી સીધું નદી કે કાંસમાં છોડી શકાય. ૧૬ મુખ્ય પમ્પિંગ સ્ટેશનો પર વધારાના બાયપાસ પંપ અને વિવિધ ઝોનમાં હાઈ-કેપેસિટી પંપ ગોઠવાયા છે. ૩૭ પમ્પિંગ સ્ટેશનો પર ડીજી સેટ અને ૨૧ મોબાઇલ ડીજી સેટ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યા છે, જેથી વીજ પુરવઠો ખોરવાવા છતાં સિસ્ટમ કાર્યરત રહે.
ચોમાસા પહેલાં વરસાદી પાણીનો ભરાવો રોકવા ડ્રેનેજ સિસ્ટમ અપગ્રેડ કરાઈ
નાસિકમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલ-કોલેજો બંધ
મહારાષ્ટ્રના નાસિકમાં વાદળ ફાટવા જેવો અતિભારે વરસાદ થવાની આશંકા છે. હવામાન વિભાગ (IMD) એ 7 જુલાઈએ ત્ર્યંબકેશ્વર, ઇગતપુરી અને નાસિકના પશ્ચિમ વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને, સાવચેતીના ભાગરૂપે જિલ્લા પ્રશાસને મંગળવારે તમામ શાળાઓ અને કોલેજો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. ભગવાન ત્ર્યંબકેશ્વર મંદિર અને માતા સપ્તશૃંગી મંદિર પણ ભક્તોની ભીડને કારણે બંધ રહેશે. પ્રવાસી સ્થળો પર સખત નજર રાખવામાં આવશે અને આરોગ્ય વિભાગના તમામ કર્મચારીઓની રજાઓ રદ કરવામાં આવી છે.
નાસિકમાં ભારે વરસાદનું એલર્ટ, સ્કૂલ-કોલેજો બંધ
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર: સંજુ સેમસન બહાર, 3 નવા ચહેરાઓને તક
ઝિમ્બાબ્વે સામેની T20I સિરિઝ માટે ભારતીય ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. શ્રેયસ અય્યર કેપ્ટન રહેશે અને તિલક વર્મા વાઇસ કેપ્ટન બનશે. વિકેટકીપર-બેટ્સમેન સંજુ સેમસનને ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. આઈપીએલના ધુરંધર ખેલાડીઓ અને રિન્કુ સિંહની ટીમમાં વાપસી થઈ છે. પ્રભસિમરન સિંહ, અશોક શર્મા અને યશ ઠાકુર જેવા 3 યુવા ખેલાડીઓને પહેલીવાર ભારતીય ટીમમાં સ્થાન મળ્યું છે. મયંક યાદવની પણ લાંબા સમય બાદ વાપસી થઈ છે.
ઝિમ્બાબ્વે પ્રવાસ માટે ટીમ ઈન્ડિયા જાહેર: સંજુ સેમસન બહાર, 3 નવા ચહેરાઓને તક
અલિ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિ મંડળ જોડાતાં ઇરાને આભાર માન્યો
આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનેઈના રાજકીય સન્માન સાથે યોજાયેલા અંતિમ સંસ્કારમાં 100થી વધુ દેશોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. ભારત તરફથી બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ આતા હસનૈન, વિદેશ રાજ્યમંત્રી પબિત્રા માર્ગેરિટા, મહેબૂબા મુફ્તિ અને સલમાન ખુર્શીદ સહિતનું પ્રતિનિધિમંડળ ઉપસ્થિત રહ્યું. વિવિધ ધર્મોના ભારતીય પ્રતિનિધિઓએ પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી. ઇરાનના નવી દિલ્હી સ્થિત દૂતાવાસે ભારત સરકાર અને ભારતીય જનતાનો આભાર વ્યક્ત કરતાં બંને દેશોની મિત્રતાને મહત્વપૂર્ણ ગણાવી હતી.
અલિ ખામેનેઈના અંતિમ સંસ્કારમાં ભારતનું પ્રતિનિધિ મંડળ જોડાતાં ઇરાને આભાર માન્યો
PM મોદીના પ્લેનની સુરક્ષા માટે ઈન્ડોનેશિયાના આકાશમાં ઉતર્યા ફાઇટર જેટ્સ
PM નરેન્દ્ર મોદી ઈન્ડોનેશિયા પહોંચ્યા, જ્યાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. પ્રવાસના પ્રથમ તબક્કામાં, વડાપ્રધાનના વિમાનના ઈન્ડોનેશિયન એર સ્પેસમાં પ્રવેશતા જ ઇન્ડોનેશિયન વાયુસેનાના ફાઇટર જેટ્સ દ્વારા સુરક્ષા એસ્કોર્ટ આપવામાં આવ્યું. PM મોદી 6 થી 8 જુલાઈ સુધી ઈન્ડોનેશિયામાં રહેશે, જ્યાં તેઓ બંને દેશો વચ્ચે ભાગીદારી ગાઢ બનાવવા પર ભાર મૂકશે. આ મુલાકાતનો હેતુ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત કરવાનો છે. UPI-QRIS લિંકિંગ દ્વારા ક્રોસ-બોર્ડર પેમેન્ટ સરળ બનશે, જે પ્રવાસન, વેપાર અને ડિજિટલ કોમર્સને પ્રોત્સાહન આપશે.
PM મોદીના પ્લેનની સુરક્ષા માટે ઈન્ડોનેશિયાના આકાશમાં ઉતર્યા ફાઇટર જેટ્સ
સુરતમાં ૨ કલાકમાં ૪.૪૧ ઇંચ વરસાદ, શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા
સુરત શહેરમાં સોમવારે બપોર બાદ થયેલા અતિભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થયું હતું. માત્ર બે કલાકમાં ૪.૪૧ ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારોમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા. મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામ સર્જાયો હતો અને ઘણા વાહનો પાણીમાં ફસાઈ ગયા હતા. અડાજણ, સલાબતપુરા, કતારગામ, વરાછા, પાલનપુર અને ઉધના જેવા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી હતી, જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
સુરતમાં ૨ કલાકમાં ૪.૪૧ ઇંચ વરસાદ, શહેરમાં ઘૂંટણસમાં પાણી ભરાયા
રામ મંદિર દાન ચોરી: બજરંગ બાગડા નવા જનરલ સેક્રેટરી
અયોધ્યા રામ મંદિરમાં દાનની ચોરીના વિવાદ વચ્ચે શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટની બેઠકમાં જનરલ સેક્રેટરી ચંપત રાય અને ટ્રસ્ટી અનિલ મિશ્રાના રાજીનામા મંજૂર કરાયા. વિશ્વ હિન્દુ પરિષદ (VHP) ના આંતરરાષ્ટ્રીય મહામંત્રી બજરંગ લાલ બાગડાને સર્વાનુમતે નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ નિર્ણય બદનામી અને ભક્તોની આસ્થાને ઠેસ પહોંચ્યા બાદ લેવાયો છે. બજરંગ લાલ બાગડા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે અને તેમનો વહીવટી અનુભવ ઉત્તમ છે.
રામ મંદિર દાન ચોરી: બજરંગ બાગડા નવા જનરલ સેક્રેટરી
રામ મંદિર દાન ચોરી: અખિલેશ યાદવનો ભાજપ પર 'પાવર' સંગ્રામનો આરોપ
સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે રામ મંદિરના દાન ચોરી મામલે ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે આરોપ લગાવ્યો કે, આ કેસની તપાસ CBI જેવી કેન્દ્રીય એજન્સીઓને બદલે SIT ને સોંપાઈ છે, કારણ કે પક્ષમાં 'આંતરિક સત્તા સંઘર્ષ' ચાલી રહ્યો છે. તેમણે સંકેત આપ્યો કે, ભાજપમાં સત્તાના બે કેન્દ્રો, લખનૌ અને દિલ્હી, વચ્ચેના સંઘર્ષને કારણે તપાસ પ્રભાવિત થઈ રહી છે. યાદવે કહ્યું કે, જનતાના ગુસ્સાથી ડરતા નેતાઓ ઘરોમાં છુપાયેલા છે.
રામ મંદિર દાન ચોરી: અખિલેશ યાદવનો ભાજપ પર 'પાવર' સંગ્રામનો આરોપ
અમરેલીમાં અનરાધાર વરસાદ: નાવલી નદી ગાંડીતૂર, ખેડૂત શેત્રુજી નદીમાં તણાયા
અમરેલી જિલ્લામાં મેઘમહેર યથાવત છે, જેના કારણે ઠેર-ઠેર જળબંબાકાર જોવા મળી રહ્યો છે. દામનગર અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી નીચાણવાળા વિસ્તારો અને ખેતરો પાણીથી ભરાઈ ગયા છે. સાવરકુંડલામાં નાવલી નદીમાં ઘોડાપૂર આવતા પુલ પર પાણી ફરી વળ્યા હતા અને સુકનેરા ડેમ ઓવરફ્લો થયો હતો. લાઠી, લિલીયા અને કુકાવાવ પંથકમાં પણ સારો વરસાદ નોંધાયો છે. જાફરાબાદ પંથકમાં પૂર જેવી સ્થિતિમાં પોલીસે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. ધારીમાં ખોડીયાર ડેમના દરવાજા ખોલતાં શેત્રુજી નદીમાં એક ખેડૂત તણાઈ ગયા હતા, જેમનો મૃતદેહ મળતાં શોક છવાયો હતો.
અમરેલીમાં અનરાધાર વરસાદ: નાવલી નદી ગાંડીતૂર, ખેડૂત શેત્રુજી નદીમાં તણાયા
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ BJP-RSS પર લગાવ્યા ગંભીર આરોપો
અયોધ્યાના રામ મંદિરમાં દાનની ચોરીનો મુદ્દો ગરમાયો છે. કોંગ્રેસ નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો છે કે ધાર્મિક સ્થળો પર ચોરીની એક ખાસ પેટર્ન બની ગઈ છે, જેનો ઉપયોગ BJP અને RSS રાજકીય સત્તા અને પોતાના લાભ માટે કરી રહ્યા છે. તેમણે RSS પર જવાબદારી ટાળવાનો અને પોતાના એકાઉન્ટ બુક્સ જાહેર ન કરવાનો પણ આરોપ મૂક્યો. આ ઘટનાઓ રામ મંદિર ટ્રસ્ટની મહત્વની બેઠક પહેલાં ચર્ચામાં આવી છે.
રામ મંદિર દાન ચોરી: પવન ખેડાએ BJP-RSS પર લગાવ્યા ગંભીર આરોપો
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ!
શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના અધ્યક્ષ મહંત નૃત્ય ગોપાલ દાસે રામ મંદિરમાં થયેલી દાન ચોરીની ઘટના પર ઊંડું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર ભરોસો વ્યક્ત કરતાં કહ્યું કે ગુનેગારોને સખત સજા મળશે. આ ઘટનાને લઈને થઈ રહેલી રાજનીતિ પર પણ તેમણે નારાજગી વ્યક્ત કરી છે અને અંગત લાભ માટે રાજનીતિ ન કરવાની અપીલ કરી છે. આ મહત્વની બેઠકમાં ટ્રસ્ટની પ્રતિષ્ઠાને થયેલા નુકસાન અંગે પણ ચર્ચા થશે.
રામ મંદિર ટ્રસ્ટની બેઠક પહેલા અધ્યક્ષ નૃત્ય ગોપાલ દાસના પત્રથી ખળભળાટ!
રામ મંદિર દાન ચોરી: VHP ચંપત રાય અને દોષિતો પર શું બોલી?
રામ મંદિર દાન ચોરીમાં ભક્તોની ભાવનાઓને ઠેસ પહોંચાડનાર દાન ચોરીના મામલે VHPના આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ આલોક કુમારે કડક પ્રતિક્રિયા આપી છે. તેમણે આ ઘટનાને દુઃખદ ગણાવી અને ભક્તોની લાગણીઓને મહત્વ આપ્યું. VHP, RSS કે મોદી સરકાર સાથે આ વિવાદને જોડવાના પ્રયાસોને તેમણે ફગાવી દીધા. ચંપત રાયની ભૂમિકા અંગે તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ VHPનું પ્રતિનિધિત્વ કરતા નથી. આ મામલે તપાસ અને દોષિતોને 4-5 મહિનામાં જેલ ભેગા કરવાની માંગ કરી છે.