આસામમાં ભયાનક પૂર: 24 કલાકમાં 21ના મોત
આસામમાં ભયાનક પૂર: 24 કલાકમાં 21ના મોત
Published on: 22nd July, 2026

આસામમાં પૂરની સ્થિતિ અત્યંત ગંભીર બની રહી છે, છેલ્લા 24 કલાકમાં 21 લોકોના મોત થયા છે, જેમાં શિવસાગર જિલ્લામાં સૌથી વધુ 13 લોકોના મોત થયા છે. રાજ્યના 16 જિલ્લાઓમાં 5.64 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે અને 872 ગામો સંપૂર્ણપણે ડૂબી ગયા છે. હજારો પરિવારોને રાહત શિબિરોમાં આશ્રય લેવો પડ્યો છે. NDRF અને SDRF ટીમો રાહત અને બચાવ કાર્યમાં દિવસ-રાત કાર્યરત છે. બ્રહ્મપુત્ર સહિત અનેક નદીઓ ભયજનક સ્તરે વહી રહી છે, જેના કારણે સ્થિતિ વધુ વણસી રહી છે.