ગણેશ ચતુર્થી નિમિત્તે સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે
ગણેશ ચતુર્થી નિમિત્તે સોમવારે શેરબજારમાં ટ્રેડિંગ બંધ રહેશે
Published on: 12th September, 2026

ભારતીય શેરબજારમાં 14 સપ્ટેમ્બરે ગણેશ ચતુર્થીના કારણે ટ્રેડિંગ બંધ રહેશે. આ દિવસે ઇક્વિટી, ઇક્વિટી ડેરેવેટિવ્ઝ, કરન્સી ડેરેવેટિવ્ઝ, NDS-RST અને ટ્રાઇ-પાર્ટી રેપો સેગમેન્ટમાં ટ્રેડિંગ થશે નહીં. કોમોડિટી ડેરેવેટિવ્ઝ અને EGR સેગમેન્ટમાં પ્રથમ હાફમાં ટ્રેડિંગ બંધ રહેશે અને સાંજે 5:00 વાગ્યાથી ફરી શરૂ થશે. ગણેશ ચતુર્થી 2026 સોમવારે ઉજવાશે. વર્ષ 2026માં શેરબજારની અન્ય મુખ્ય રજાઓમાં મહાત્મા ગાંધી જયંતી, દશેરા, દિવાળી-બલિપ્રતિપદા, પ્રકાશ ગુરુપર્વ શ્રી ગુરુ નાનક દેવ અને ક્રિસમસનો સમાવેશ થાય છે.