શેરબજારમાં વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ તેલના ભાવની ચિંતા
શેરબજારમાં વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ તેલના ભાવની ચિંતા
Published on: 15th August, 2026

ગત સપ્તાહે ભારતીય શેરબજારમાં વૈશ્વિક અસ્થિરતા અને ક્રૂડ તેલના ભાવમાં વધારાના કારણે નકારાત્મક વલણ જોવા મળ્યું. પશ્ચિમ એશિયાની ભૂરાજકીય અનિશ્ચિતતા, લાર્જકેપ શેરોમાં વેચવાલી અને વિદેશી રોકાણકારોની સાવચેતીને કારણે બજાર પર દબાણ વધ્યું. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીએ નીચલા સ્તરે થોડો ટેકો આપ્યો, પરંતુ કાચા તેલના ભાવ 87 ડોલર સુધી પહોંચતાં ઊર્જા પુરવઠા અંગેની ચિંતા વધી. આ પરિબળોને કારણે બજાર બે સપ્તાહની તેજીની શ્રેણી તોડવાની દિશામાં આગળ વધતું જોવા મળ્યું.