રૈનાએ કર્યો ખુલાસો, નિવૃત્તિ પર ધોનીનું રિએક્શન 'આ તેં શું કર્યું?'
રૈનાએ કર્યો ખુલાસો, નિવૃત્તિ પર ધોનીનું રિએક્શન 'આ તેં શું કર્યું?'
Published on: 05th September, 2026

૧૫ ઓગસ્ટે મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ એકસાથે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી સૌને ચોંકાવી દીધા હતા. વર્ષો બાદ રૈનાએ તે ઐતિહાસિક દિવસનો કિસ્સો શેર કર્યો છે. તેમણે જણાવ્યું કે જ્યારે તેમણે પોતાના નિવૃત્તિના નિર્ણય વિશે ધોનીને જણાવ્યું ત્યારે 'કેપ્ટન કૂલ' પણ દંગ રહી ગયા હતા. ડ્રેસિંગ રૂમમાં રૈનાએ કહ્યું, 'થઈ ગયું..', જેના પર ધોનીએ પૂછ્યું, 'આ તેં શું કર્યું?' રૈનાએ ધોની સાથેના સંબંધો અને મેદાન પરની તકો અંગે પણ વાત કરી.