Menu
શ્રમજીવી બાળકો માટે સરકારી શિક્ષકોનું અનોખું ઉત્તરદાયક અભિયાન
શ્રમજીવી બાળકો માટે સરકારી શિક્ષકોનું અનોખું ઉત્તરદાયક અભિયાન
Published on: 10th June, 2025

સુરતના શ્રમજીવી પરિવારના બાળકોને સાક્ષર અને આત્મનિર્ભર બનાવવા માટે સરકારી શાળાના શિક્ષકો આજુબાજુના વિસ્તારોમાં જઈને માઈક અને પેમ્ફલેટ વડે જાગૃતિ ફેલાવી રહ્યા છે. શહેરમાં 55 મરાઠી શાળાઓ છે જ્યાં મફતમાં શિક્ષણ, યુનિફોર્મ, પુસ્તકો, મધ્યાહન ભોજન અને અન્ય સુવિધાઓ આપવામાં આવે છે. આ કામગીરી અંતર્ગત શિક્ષકો દરવાજે-દરવાજે જઈ મરાઠી ભાષામાં વાલીઓને શાળામાં બાળકો દાખલ કરવાની ભલામણ કરે છે, જેથી બાળકો માતૃભાષામાં શિક્ષણ મેળવી શકે અને ભવિષ્ય માટે તૈયાર થઈ શકે.