શ્રીલંકન બોલર સાથે ઝઘડા પર યશસ્વી જયસ્વાલનો જવાબ, 'કોઈ હદ વટાવશે તો...'
શ્રીલંકન બોલર સાથે ઝઘડા પર યશસ્વી જયસ્વાલનો જવાબ, 'કોઈ હદ વટાવશે તો...'
Published on: 24th August, 2026

ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટેસ્ટ દરમિયાન ભારતીય યુવા ઓપનર યશસ્વી જયસ્વાલ અને શ્રીલંકાના ફાસ્ટ બોલર અસિથા ફર્નાન્ડો વચ્ચે મેદાન પર થયેલી ઉગ્ર બોલાચાલીનો મામલો હવે જોર પકડી રહ્યો છે. ક્રિકેટ કોમેન્ટેટર હર્ષા ભોગલે દ્વારા કરવામાં આવેલી ટીકા બાદ યશસ્વી જયસ્વાલે સોશિયલ મીડિયા પર ખુલાસો કર્યો છે. જયસ્વાલે જણાવ્યું છે કે, "જો તમને ખબર ન હોય કે તેણે (ફર્નાન્ડોએ) શું કહ્યું હતું, તો કૃપા કરીને પોતાનો નિર્ણય ન સંભળાવો. જો કોઈ હદ પાર કરશે, તો આપણે તેને જણાવવું પડશે. આ ભારત છે, અમે લડીશું અને જવાબ આપીશું."