ભારતમાં SIM કાર્ડ વગર WhatsApp નહીં ચાલે
ભારતમાં SIM કાર્ડ વગર WhatsApp નહીં ચાલે
Published on: 25th February, 2026

ભારતમાં હવે SIM કાર્ડ વગર WhatsApp નહીં ચાલે, કારણકે સીમ બાઈન્ડિંગ નિયમ લાગુ થશે. આ નિયમથી ડિસકનેક્ટ થયેલા નંબરનો દુરુપયોગ રોકી શકાશે અને સાયબર સ્કેમર્સ પર લગામ આવશે. ટેલિકોમ વિભાગે WhatsApp, Telegram અને Signal જેવી મેસેજિંગ એપ્સ માટે આ નિયમ લાગુ કર્યો છે. આ નિયમો માર્ચથી અમલમાં આવશે. કેન્દ્રએ આપેલી ડેડલાઈન ફેબ્રુઆરીમાં પૂરી થશે.