વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
IIT ગાંધીનગરના વિદ્યાર્થીઓએ SSNNL માટે ડિજિટલ પ્લેટફોર્મ બનાવ્યું, જેનાથી પાણી અને વીજળીની માહિતી લાઈવ જોઈ શકાશે. 53 હાઇડ્રો પાવર સ્ટેશન, સોલર પેનલ્સ અને પમ્પિંગ સ્ટેશનનો ડેટા એક જગ્યાએ મળશે. ડેટા સીધો અપલોડ થવાથી ભૂલો ઘટશે અને અધિકારીઓ લાઈવ માહિતી જોઈ શકશે. આથી હવે નર્મદા પ્રોજેક્ટનું મેનેજમેન્ટ આધુનિક બનશે.
વિદ્યાર્થીઓએ પાણી અને વીજળીના મેનેજમેન્ટ માટે બનાવેલ ડિજિટલ પ્લેટફોર્મથી કામ સેકન્ડોમાં થશે.
અમદાવાદમાં ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા?
મતદાન બાદ હવે EVMની સુરક્ષા અને હેરફેરને લઈના આક્ષેપોને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. અમદાવાદ જિલ્લાની હડાળા બેઠક હેઠળના વખતપર ગામમાં મતદાન પૂર્ણ થયા બાદ EVMની હેરફેરના દાવા સાથે એક ગંભીર વિવાદ સામે આવ્યો છે, જેમાં કોંગ્રેસ દ્વારા પ્રશાસન અને પ્રિસાઇડિંગ ઓફિસરની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. અમદાવાદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રાજેશભાઈ ગોહિલ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વખતપર ગામમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પ્રિસાઇડિંગ ઓફિસર નિયમ વિરુદ્ધ જઈને સરકારી વાહનને બદલે પોતાની ખાનગી ગાડીમાં EVM લઈને નીકળ્યા હતા.
અમદાવાદમાં ભાજપ ઉમેદવારના ભાઈ જ ગાડીમાં EVM લઈ નીકળ્યા?
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં 59.32 ટકા જેટલું મતદાન થયું છે. આ ચૂંટણીમાં ભાજપ જીતશે તેવો આશાવાદ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે, પરંતુ પક્ષની મજબૂતી પાછળ આંતરિક જૂથબંધીના કારણે ખોખલાપણાની ચર્ચાઓએ જોર પકડ્યું છે. બહારથી શક્તિશાળી દેખાતો ભાજપ પક્ષ ખાસ કરીને સુરતમાં અંદરખાને અસંતોષના વમળમાં ફસાયેલો જોવા મળે છે. ચૂંટણીમાં મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ એવી વિગતો બહાર આવી છે કે ભાજપના જ કેટલાક નારાજ નેતાઓ પક્ષના નબળા દેખાવની ઇચ્છા રાખી રહ્યા છે.
અસંતોષના વમળમાં ફસાયું સુરત શહેર ભાજપ
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ભરૂચની મેટ્રોપોલિટન એક્ઝીકેમ કંપનીમાં થયેલા પ્રચંડ વિસ્ફોટ અને આગમાં બે કામદારોના મોત તથા ૧૬ લોકો દાઝ્યાની દુર્ઘટના બાદ ભારે હોબાળો મચ્યો હતો. દેડિયાપાડાના 'આપ' ધારાસભ્ય ચૈતર વસાવા જ્યારે કંપનીની મુલાકાતે પહોંચ્યા ત્યારે મૃતક રાકેશ વસાવાના પરિવારજનોએ તેમનો ઉગ્ર વિરોધ કર્યો હતો. આ દરમિયાન ધારાસભ્ય અને મૃતકના સંબંધી રોશન વસાવા વચ્ચે પોલીસની હાજરીમાં જ બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. વિવાદ વકરતા ધારાસભ્યએ યુવકને લાફો ઝીંક્યો હતો, જેની સામે યુવકે પણ વળતો પ્રહાર કરતા સ્થિતિ તંગ બની ગઈ હતી.
ભરૂચની GIDCમાં કામદારોના મોતનો મામલો: ચૈતર વસાવા અને મૃતકના સગા વચ્ચે ઝપાઝપી
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'
ગુજરાતમાં હાલ અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી બે દિવસ સુધી રાજ્યમાં ગરમીનું જોર યથાવત્ રહેશે અને અનેક જિલ્લાઓમાં હીટવેવની સ્થિતિ સર્જાશે. અમદાવાદ સહિત રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રીને પાર પહોંચી જતાં જનજીવન પ્રભાવિત થયું છે. અમદાવાદમાં 44.8 ડિગ્રી અને ગાંધીનગરમાં 44.2 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું છે. આ ઉપરાંત કંડલા એરપોર્ટ પર પણ 44.2 ડિગ્રી સાથે સૌથી વધુ ગરમીનો અહેસાસ થયો હતો. આજે (27મી એપ્રિલ) પણ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન ૪૪ ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે.
ગુજરાતમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ: રાજકોટ સહિતના જિલ્લાઓમાં 'યલો ઍલર્ટ'
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
વડોદરાના કુંભારવાડા તલાવડી વિસ્તારમાં રહેતા શ્રમજીવી દંપતી અમિત અને મંજુ વચ્ચે આજે વહેલી સવારે કોઈ બાબતે બોલાચાલી થઈ હતી. દંપતી વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાનું પાડોશીઓ દ્વારા જાણવા મળ્યું છે. બોલાચાલી દરમિયાન મામલો બિચકતા બંને વચ્ચે હાથાપાઈ થઈ હતી. ઝઘડામાં ભાન ભૂલેલી પત્ની મંજુએ આવેશમાં આવીને ત્રિકમનો જોરદાર ફટકો અમિતને મારી દીધો હતો. જેના બાદ લોહીલુહાણ હાલતમાં અમિત પત્નીની નજરો સામે જ મૃત્યુ પામી ગયો હતો.
વડોદરામાં પતિ-પત્ની વચ્ચેના ઝઘડાનો લોહિયાળ અંત, પત્નીએ ત્રિકમનો ઘા ઝીંકી પતિની હત્યા કરી
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતના વરાછા વિસ્તારમાં પોલીસના ગાલ પર તમાચો મારતી ઘટના સામે આવી છે. આજે સોમવારે ધોળાદિવસે સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની શાખામાં મોટી લૂંટની ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. ચાર હથિયારધારી લૂંટારુઓએ ઘૂસીને બેંકમાં હાજર કર્મચારીઓને બંદૂકની અણીએ બંધક બનાવ્યા હતા, અને અંદાજે 50 લાખની મત્તાની ચોરી કરી ત્યાંથી ભાગી છૂટયા હતા. બપોરના સમયે ચાર અજાણ્યા બુકાનીધારી શખ્સો હથિયાર સાથે બેન્કમાં ઘૂસી ગયા હતા. જ્યાં તેમણે ફિલ્મી ઢબે બંદૂકની અણીએ કર્મચારીઓને ધાક ધમકી આપી બેંકના સ્ટ્રોંગ રૂમ કે કેશ કાઉન્ટરમાંથી આશરે 50 લાખ રૂપિયાની રોકડ રકમ ઉઠાવી હતી.
સુરતના વરાછામાં SBI બેન્કમાં લૂંટ
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા એક શખસે પોતાની પત્નીની હત્યા કરી પુરાવાનો નાશ કરવા માટે મૃતદેહને લાકડાની પેટીમાં ભરી ઉપર સિમેન્ટનું સ્તર લગાવી પેક કરી દીધી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આરોપી પતિએ હત્યા કર્યા બાદ પોતે જ પુત્રના મોબાઈલથી ચિઠ્ઠી મોકલાવી ગુનાની કબૂલાત કરતા પોલીસ અને પરિવાર સ્તબ્ધ થઈ ગયા છે.
સુરતમાં ભયાનક ઘટના: પતિએ પત્નીની હત્યા કરી, મૃતદેહ લાકડાની પેટીમાં પૂરી સિમેન્ટથી પેક કર્યો
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
સુરતના વેસુ વિસ્તારમાં આવેલી આશીર્વાદ કોમ્પ્લેક્સમાં ટેકનિકલ ખામીના કારણે અચાનક લિફ્ટ બંધ થઈ જતાં તેમાં સવાર મહિલાઓ અને બાળકો સહિત 11 વ્યક્તિઓ ફસાઈ ગયા હતા. અંધારપટ અને ગભરાટ વચ્ચે લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી, જોકે ફાયર વિભાગની ટીમે સમયસર પહોંચીને તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. મળતી માહિતી અનુસાર, આશીર્વાદ કોમ્પ્લેક્સમાં જ્યારે 11 લોકો લિફ્ટમાં જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાવર ફેલ્યોર અથવા કોઈ યાંત્રિક ખામી સર્જાઈ હતી. લિફ્ટની અંદર 2 બાળકો પણ હોવાથી પરિવારજનોમાં ભારે ચિંતા પ્રસરી ગઈ હતી.
સુરતના વેસુમાં લિફ્ટમાં 11 લોકો ફસાયા, ઓવરવેટને કારણે અધવચ્ચે લોક થયાનો દાવો
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો જંગ હવે તેના અંતિમ પડાવ પર પહોંચ્યો છે. છોટા ઉદેપુર જિલ્લાની બેઠકો માટે મતદાન પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે સૌની નજર મંગળવારે (28મી એપ્રિલ) થનારી મતગણતરી પર છે. જો કે, પરિણામો પહેલા જ રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ખાસ કરીને નસવાડી ખાતે કોંગ્રેસના કાર્યકરોએ EVMની સુરક્ષાને લઈને મોરચો સંભાળ્યો છે. કોંગ્રેસના અગ્રણી કાર્યકરોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું છે કે, 'અમને ભાજપ પર જરા પણ વિશ્વાસ નથી. ભાજપના લોકો સત્તાનો દુરુપયોગ કરીને અધિકારીઓને ડરાવી-ધમકાવી શકે છે અને ગમે ત્યારે કંઈ પણ કરી શકે છે.'
'ભાજપના કાર્યકરો આવીને કંઈ પણ કરી શકે...' છોટા ઉદેપુરમાં સ્ટ્રોંગ રૂમની બહાર કોંગ્રેસ કાર્યકરોનો લોખંડી પહેરો
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પૂરજોશમાં આગળ વધી રહ્યો છે. ખાસ કરીને અમદાવાદમાં સાબરમતી નદી પર બની રહેલો બુલેટ ટ્રેનનો પુલ એન્જિનિયરિંગ કૌશલ્યનો ઉત્તમ નમૂનો સાબિત થઈ રહ્યો છે. સાબરમતી નદી પર બની રહેલા આ પુલની ઊંચાઈ 36 મીટર (આશરે 118 ફૂટ) છે. જો તેની સરખામણી સામાન્ય રહેણાંક મકાન સાથે કરવામાં આવે તો તે આશરે 12 માળની ઇમારત જેટલી ઊંચાઈ ધરાવે છે. 480 મીટર લાંબો આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનની વચ્ચે આવેલો છે. પુલ માટે કુલ 8 વર્તુળાકાર પિયર્સ બનાવવામાં આવ્યા છે, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે.
અમદાવાદમાં બુલેટ ટ્રેન દોડાવવા સાબરમતી નદી પર 12 માળની બિલ્ડિંગ જેટલો ઊંચો પુલ તૈયાર
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે AAPને વધુ એક જોરદાર ઝટકો લાગ્યો છે. પાર્ટીના વરિષ્ઠ નેતા અને પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીએ પક્ષના તમામ હોદ્દાઓમાંથી મુક્ત થવાની જાહેરા કરી છે. થોડા સમય પહેલા જ રાજુ કરપડાએ પાર્ટી છોડ્યા બાદ, હવે સાગર રબારીના વિદાયથી ગુજરાતમાં AAPના સંગઠનમાં ગાબડું પડ્યું છે. સાગર રબારીએ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લખ્યું કે, 'હું મારી AAP સાથેની યાત્રા આજે અહીં પૂરી કરું છું. પાર્ટીના સભ્યપદ, હોદ્દા અને જવાબદારીમાંથી મારી જાતને મુક્ત કરું છું. અત્યાર સુધીના સહયોગ બદલ તમામ સાથીઓનો હૃદયપૂર્વક આભાર માનું છું.'
ગુજરાતમાં AAPને મોટો ઝટકો, પ્રદેશ ઉપાધ્યક્ષ સાગર રબારીનું રાજીનામું
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
અમદાવાદના શ્યામલ વિસ્તારમાં આવેલી શાંગરિલા-2 બિલ્ડિંગમાં આજે અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે બિલ્ડિંગના મોટા હિસ્સાને લપેટમાં લઈ લીધો હતો. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની 8 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા. આગ લાગવાની આ ઘટના સમયે બિલ્ડિંગમાં આવેલા જિમમાં અનેક લોકો કસરત કરી રહ્યા હતા. આગના ધુમાડાના ગોટેગોટા ઉપર સુધી પહોંચતા જિમમાં હાજર લોકોના શ્વાસ રૂંધાવા લાગ્યા હતા અને તેઓ ત્યાં ફસાઈ ગયા હતા.
અમદાવાદમાં શ્યામલ ચાર રસ્તા નજીક કોમ્પલેક્ષમાં ભીષણ આગ
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
લાલપુર જિલ્લા પંચાયત સીટમાં ભાજપ અને આપ વચ્ચે ખૂબ જ રસાકસી જોવા મળશે હાર જીતનું અંતર પણ ખૂબ ઓછું હશે. વિવિધ તારણો મુજબ જિલ્લા પંચાયત માં ભાજપની જીત થવાની શક્યતા છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 1 માં પણ ખૂબ જ રસાકસી ભરેલો માહોલ છે જેમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે કાંટા ની ટક્કર મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 2 માં ભાજપની જીત નિશ્ચિત મનાઈ રહી છે. તાલુકા પંચાયત વોર્ડ નંબર 3 માં AAP અને ભાજપ વચ્ચે ટક્કર છે જેમાં AAP બાજી મારશે એવી શક્યતા. તાલુકા પંચાયત વોર્ડ નંબર 4 માં AAP બાજી મારશે એવી શક્યતા છે.
વિવિધ રાજકીય વિશ્લેષકો દ્વારા કાઢેલા તારણ મુજબ જામનગરના લાલપુર જિલ્લા પંચાયત નું પરિણામ
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
જૂનાગઢમાં ગેરકાયદે સિંહ દર્શનનો વિવાદ વકર્યો, તોરણીયા ગામના સરપંચે રેકેટ પકડ્યું જેમાં વન વિભાગના કર્મચારીનો ભાઈ સામેલ છે. સરપંચે સ્થળ પર જઈ વીડિયો ઉતારી રેકેટનો પર્દાફાશ કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો, જેનાથી વન વિભાગમાં દોડધામ મચી ગઈ છે. આ ઘટનાથી વન્યજીવ પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળ્યો છે. આ રેકેટમાં વન વિભાગની મિલીભગત હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
જૂનાગઢમાં સરપંચે ગેરકાયદે સિંહ દર્શનનું રેકેટ પકડ્યું.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
અમદાવાદના કુબેરનગર વોર્ડમાં AMC ઇલેક્શન દરમિયાન ભાજપ અને કોંગ્રેસના કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. V.V. તોમર સ્કૂલ ખાતે બોગસ મતદાનને લઈને વિવાદ થયો હતો. પોલીસે તાત્કાલિક બંદોબસ્ત ગોઠવી કોંગ્રેસના ઉમેદવાર નિકુલસિંહ તોમર સહિત 4 સામે FIR દાખલ કરી. ભાજપે નિકુલસિંહ પર બોગસ વોટિંગનો આરોપ લગાવ્યો હતો.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં મારામારી થતા કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 લોકો સામે ફરિયાદ નોંધાઇ.
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
જામનગરના પંચવટી સોસાયટીના જાસોલિયા એપાર્ટમેન્ટમાં વહેલી સવારે આગ લાગતા 55 વર્ષીય ગોવર્ધનભાઈનું દાઝી જવાથી મૃત્યુ થયું. જામનગર ફાયર બ્રિગેડે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી, પણ તેઓને બચાવી શકાયા ન હતા. ઇલેક્ટ્રીક શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન, પોલીસે વધુ તપાસ હાથ ધરી. ફાયર બ્રિગેડની સમયસરની કાર્યવાહીથી અન્ય ફ્લેટમાં આગ ફેલાતી અટકી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યો અને તપાસ શરૂ કરી.
જામનગરમાં ફ્લેટમાં આગ લાગવાથી 55 વર્ષીય વ્યક્તિનું દુઃખદ મૃત્યુ
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
સુરતમાં અલથાણા છેડતી કેસમાં AAPનું સ્ક્રિપ્ટેડ ષડયંત્ર અને BJP, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને બદનામ કરવાનું આયોજન હતું. ઓડિયો ક્લિપ વાયરલ થતા, AAPના મેહુલ ઉર્ફે રાવણની સંડોવણી બહાર આવી છે. પોલીસ તપાસમાં આ વાત સામે આવી. આ ઘટનામાં મુસ્લિમ સમાજને ભડકાવવાનો ખેલ થયો હોવાનું સ્પષ્ટ થઇ રહ્યું છે. હાલમાં પોલીસ મેહુલની તપાસ કરી રહી છે.
સુરત અલથાણા છેડતી કેસમાં AAPનું ષડયંત્ર?
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
કલગી ચાર રસ્તા પાસે Jeep દ્વારા Eco કારને ટક્કર મારતા કાર પલ્ટી ખાઈ ગઈ, જેમાં સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થઈ. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, Jeep ખૂબ જ ઝડપે આવી રહી હતી અને ચાલકે કાબૂ ગુમાવતા Eco કાર સાથે અથડાઈ. લોકોએ આક્ષેપ કર્યો છે કે Jeepમાં સવાર યુવાનો નશામાં હતા. ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
અમદાવાદમાં Jeepની ટક્કરથી ઇકો કાર પલ્ટી, એક મહિલા અને પુરુષ લોહીલુહાણ થયા.
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
મોરબી શહેરમાં 181 અભયમ ટીમે ભૂલા પડેલા વૃદ્ધાને શોધીને પરિવાર સાથે મિલન કરાવ્યું. વૃદ્ધા યાદશક્તિ ગુમાવતા ઘરેથી નીકળી ગયા હતા. જાગૃત નાગરિકે અભયમ હેલ્પલાઇન પર જાણ કરતા કાઉન્સેલર સેજલબેન પટેલની ટીમે કાઉન્સિલિંગ કર્યું. ટીમે પરિવારનો સંપર્ક કરી વૃદ્ધાને સોંપ્યા. પરિવારે સવારથી જ શોધખોળ કરી રહ્યા હોવાનું જણાવ્યું.
અભયમ ટીમ દ્વારા મોરબીમાં ભૂલા પડેલા વૃદ્ધાનું પરિવાર સાથે મિલન.
ગરમી 44 ડિગ્રી થતા રાજ્યમાં વીજળીની માંગ વધી
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
પેટલાદના સાંસેદ ગામે બુથ નં. 1 પર ફરજ બજાવતા સેવક અમિત સોલંકીનું અસહ્ય ગરમીના કારણે heart attack આવતા મોત થયું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં તેઓ બુથ પર ફરજ બજાવી રહ્યા હતા. બપોરે 12 વાગ્યા આસપાસ ગરમીથી ઢળી પડતા 108 દ્વારા તારાપુર દવાખાને ખસેડાયા, જ્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા.
સાંસેદમાં ફરજ પરના સેવકનું હાર્ટ એટેકથી મોત, અસહ્ય ગરમી જવાબદાર.
જામનગર પેટ્રોલ પંપ પાસે કાર-બાઈક અકસ્માતમાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ.
જામનગર એસ.ટી. વર્કશોપ નજીકના પેટ્રોલ પંપ પાસે કારે બાઈકને ટક્કર મારતા પિતા-પુત્રી રોડ પર પટકાયા. CCTV ફૂટેજમાં અકસ્માત કેદ થયો. મળતી માહિતી મુજબ કાર ચાલકે બાઈકને અડફેટે લેતા પિતા-પુત્રી હવામાં ફંગોળાયા. ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં ખસેડાયા, હાલત ગંભીર. પોલીસે CCTV તપાસ હાથ ધરી ફરાર કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી.
જામનગર પેટ્રોલ પંપ પાસે કાર-બાઈક અકસ્માતમાં પિતા-પુત્રી ગંભીર રીતે ઘાયલ.
તીવ્ર ગરમી અને સનસ્ટ્રોકથી બચાવ: બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
સુરેન્દ્રનગરમાં ગરમી વધી રહી છે, જેથી બાળકો, સગર્ભા, વૃદ્ધો અને બીમાર લોકોએ ખાસ ધ્યાન રાખવું. બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો, વાસી ખોરાક ન ખાઓ, અને ચા-કોફીનું સેવન ટાળો. માથાનો દુખાવો થાય તો તરત જ ડોક્ટરનો સંપર્ક કરો અને ORS લો. તાજા ફળનો રસ લો, સ્કાર્ફ પહેરો અને ડાયાબિટીસના દર્દીઓનું ધ્યાન રાખો. વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરો અને બંધ કારમાં કોઈને ન છોડો. લક્ષણો દેખાય તો તાત્કાલિક સારવાર લો.
તીવ્ર ગરમી અને સનસ્ટ્રોકથી બચાવ: બપોરે 12થી 4 દરમિયાન બહાર જવાનું ટાળો
વઢવાણના 70% વિસ્તારમાં CITY BUS દુર્લભ.
સુરેન્દ્રનગર મહાપાલિકાએ શરૂ કરેલી CITY BUS વઢવાણના અડધા ભાગમાં દુર્લભ છે. 50,000 શહેરીજનો બે વર્ષ પછી પણ CITY BUSની સુવિધા માંગી રહ્યા છે. ખાનગી વાહનો તરફ વળવા લોકો મજબૂર બન્યા છે. સમયપત્રકનું આયોજન ન હોવાથી મુસાફરોને ભારે હાલાકી ભોગવવી પડે છે. ખાંડીપોળ, લાખુપોળ જેવા વિસ્તારોમાં CITY BUS આવતી જ નથી.
વઢવાણના 70% વિસ્તારમાં CITY BUS દુર્લભ.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
તેજગઢના વરધી ગામે શાળાના ઓરડાના અભાવે ચૂંટણીમાં મતદાન બહિષ્કાર કરાયો. 'પહેલાં શાળાના ચાર ઓરડા બનાવો, પછી મત આપીશું' એવો ગ્રામજનોનો અડગ નિર્ણય હતો. તંત્રએ લેખિત બાંહેધરી આપ્યા બાદ મતદાન શરૂ થયું. છેલ્લાં ચાર વર્ષથી ક્લાસરૂમનું નિર્માણ મંજૂર હોવા છતાં કામ થયું નહોતું, જેના કારણે શિક્ષણને અસર થઈ રહી હતી.
છોટાઉદેપુરના વરધીમાં વિરોધ: 'પહેલાં શાળાના ઓરડા, પછી વોટ'ના નારા સાથે મતદાન બહિષ્કાર!
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
દાહોદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં, ભવ્યાબેન અને વનિતાબેને લગ્ન વિધિઓ વચ્ચે મતદાન કર્યું. ભવ્યાબેને સોળ શણગાર સજીને મતદાન મથકે જઈ ફરજ બજાવી. ડોલરીયામાં વનિતાબેને મંગળ ફેરા પહેલા મતદાન કર્યું, જે લોકશાહી પ્રત્યેની નિષ્ઠા દર્શાવે છે. આ બંને કિસ્સાઓ પ્રેરણાદાયક છે અને નાગરિક તરીકેની ફરજનું મહત્વ સમજાવે છે, જે democracy માટે ઉત્તમ ઉદાહરણ છે.
નવવધૂઓએ લગ્ન પહેલાં મતદાન કર્યું: ભવ્યાબેન અને વનિતાબેને લોકશાહી ફરજ બજાવી.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી શાંતિપૂર્ણ રહી. SIR કામગીરીમાં મતદારો ઘટ્યા છતાં, પંચમહાલમાં ૬% અને દાહોદમાં ૩.૫૬% મતદાન વધ્યું. દાહોદમાં ૨.૭૦ લાખ મતદારો ઘટ્યા છતાં મતદાન વધ્યું. ગોધરામાં 43°C તાપમાનમાં પણ મતદાન ઉત્સાહથી થયું. દાહોદ નગરપાલિકામાં 42.2°C 'heatwave' હોવા છતાં 7.04% મતદાન વધ્યું, જે ઉત્સાહ દર્શાવે છે.
SIRની અસર: મતદારો ઘટ્યા છતાં મતદાન ટકાવારી વધી.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
ભરૂચના જામણીયા ગામે પ્રાથમિક સુવિધાઓના અભાવે ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો. 'વિકાસ નહીં તો મત નહીં'નો નારો આપ્યો. ગામને જોડતા રસ્તાઓ બિસ્માર હોવાથી ચોમાસામાં હાલાકી પડે છે. પીવાનું પાણી, આરોગ્ય, વીજળી જેવી સુવિધાઓ પણ નથી. વર્ષોથી રસ્તાની મરામત થઈ નથી. આથી, ગ્રામજનોએ મતદાનથી દૂર રહેવાનો નિર્ણય કર્યો, જેના કારણે 26 એપ્રિલે જામણીયામાં મતદાન થયું નહીં.
જામણીયામાં સુવિધાના અભાવે ગ્રામજનોનો ચૂંટણી બહિષ્કાર.
તાપીના વ્યારાના કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન
વ્યારાના કાનપુરા ગ્રામ પંચાયત વિસ્તારમાં Flower City નજીક કચરાના ઢગલાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. નિયમિત કચરો ઉપાડવાની વ્યવસ્થા ન હોવાથી રસ્તા કિનારે ગંદકીના ઢગલા જામી ગયા છે. કચરાના કારણે માખી-મચ્છરનો ઉપદ્રવ વધતા આરોગ્ય સંબંધિત ચિંતાઓ વધી છે. કાનપુરા ગ્રામ પંચાયતમાં અનેક રજુઆતો છતાં પગલાં લેવાતા નથી.
તાપીના વ્યારાના કાનપુરા વિસ્તારમાં કચરાના ઢગલાથી સ્થાનિકો પરેશાન
વાલિયાના કેસરગામના 350થી વધુ મતદારોએ માંગ સંતોષાતા મતદાન બહિષ્કારનો નિર્ણય મોકૂફ રાખ્યો, જે 2021થી ચાલતો હતો.
ભરૂચના કેસર ગામના લોકોએ 2021થી માંગણીઓ માટે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો, કારણ કે કેસર ગામથી ઇટકલાને જોડતો પુલ નહોતો. વર્ષ 2026 માં પુલનું કામ શરૂ થતાં, ગામલોકોએ વર્ષો બાદ મતદાન કર્યું, કારણ કે તેઓ રોજિંદી જરૂરિયાત માટે ઈટકલા પર નિર્ભર છે. આ પુલથી 400 મીટરનું અંતર 20 km થતું હતું તે ઘટશે.