ભીલાડમાં પર્યુષણ પર્વ નિમિત્તે નીકળી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા
ભીલાડમાં પર્યુષણ પર્વ નિમિત્તે નીકળી તપસ્વીઓની ભવ્ય શોભાયાત્રા
Published on: 17th September, 2026

વલસાડના ભીલાડમાં પર્યુષણ પર્વની ઉજવણી અત્યંત ધાર્મિક અને ભક્તિમય વાતાવરણમાં થઈ. વહેલી સવારે પ્રભુજીના દ્વાર ખોલવાનો લાભ કિતાવત પરિવારે લીધો. ત્યારબાદ તપસ્વીઓ સાથે ભગવાનની પાલખીયાત્રા અને તેમની શોભાયાત્રા નીકળી, જેમાં જૈન સમાજના મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓ જોડાયા. ગુરુમહારાજના આશીર્વાદથી વાતાવરણ ભક્તિમય બન્યું. યાત્રા દરમિયાન ગુંજેલા જયઘોષ અને શ્રદ્ધાળુઓની ઉત્સાહપૂર્ણ ભાગીદારીએ પ્રસંગને યાદગાર બનાવ્યો. તપસ્વીઓની તપસ્યાની અનુમોદના પણ કરાઈ.