Menu
વડોદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્જળા એકાદશીની ભવ્ય ઉજવણી
વડોદરાના સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્જળા એકાદશીની ભવ્ય ઉજવણી
Published on: 09th June, 2025

વડોદરાના વાડી વિસ્તારમાં સ્થિત વડતાલ તાબાના શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે નિર્જળા એકાદશીની વિશેષ ઉજવણી યોજાઈ હતી. મંદિરમાં વિરાજમાન દેવોને ચંદનના વાઘા કરવામાં આવ્યા અને હરિભક્તો માટે શૈક્ષિક અને ગ્રીષ્મ ઋતુને ધ્યાનમાં રાખી ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી. સવારે 7 થી રાત્રે 9 સુધી 5500થી વધુ હરિભક્તોએ શેઠડીના રસનો પ્રસાદ પ્રાપ્ત કર્યો જે 60 મણ શેરડીનો હતો. શયન આરતી બાદ ભજન-કીર્તન કાર્યક્રમ વડોદરાની શ્રી લક્ષ્મીનારાયણ યુવક મંડળ દ્વારા આયોજિત થયો જેમાં દરશનાર્થીઓ ભક્તિમાં મગ્ન થયા અને દિવ્ય વાતાવરણ સર્જાયું હતું.