વડોદરામાં ભાગવત કથાના 8મા દિવસે સ્વાહાકાર પુણ્ય અને ભક્તિમય ભજન સંધ્યાની ઉજવણી.
વડોદરામાં ભાગવત કથાના 8મા દિવસે સ્વાહાકાર પુણ્ય અને ભક્તિમય ભજન સંધ્યાની ઉજવણી.
Published on: 28th May, 2026

પાદરા ખાતે રંગ પરિવાર દ્વારા આયોજિત શ્રીમદ્ ભાગવત પારાયણના આઠમા દિવસે મંગલ પૂજન, આરતી અને વડોદરાના પંડિતો દ્વારા યજ્ઞનારાયણ પૂજન કરાયું. દશમ સ્કંધના સ્વાહાકાર પુણ્યનો મહિમા ઉજવાયો. શાસ્ત્રી કિરીટભાઈ દ્વારા શ્રીકૃષ્ણના ગૃહસ્થ જીવન પર પ્રવચન અપાયું. સાંજે નારેશ્વરના સુરેશભાઈ દેસાઈની ભાવસભર ભજન સંધ્યા યોજાઈ, જેમાં હરી બોલના નાદથી પંડાલ ગુંજી ઉઠ્યો. મોડી સાંજે મહાઆરતીમાં ઘણા મહાનુભાવો અને ભક્તોએ ભાગ લીધો.