છત્તીસગઢના આદિવાસીઓ દેવતાઓને પણ આપે છે "રાઇટ ટુ રિકોલ" ની સજા!
છત્તીસગઢના આદિવાસીઓ દેવતાઓને પણ આપે છે "રાઇટ ટુ રિકોલ" ની સજા!
Published on: 09th September, 2026

ભાદરવાના મેળામાં છત્તીસગઢના આદિવાસીઓ કામ ન કરતા દેવતાઓને સજા આપવા માટે એક અનોખી અદાલત ભરે છે. તેઓ કામ ન કરનારા દેવતાને મંદિર બહાર મૂકી દે છે અને બીજા દેવતાની પસંદગી કરી પૂજાપાઠ શરૂ કરે છે. જાણે આદિવાસીઓનો "રાઈટ ઓફ રિકોલ"! લોકશાહીમાં રાજકારણીઓ માટે ચર્ચાતો આ અધિકાર, અહીં દેવતાઓ સામે અજમાવાય છે. બસ્તરના 240 ગામોના આદિવાસીઓ કુદરત સાથે જોડાયેલા દેવોની પૂજા કરે છે. જો તેમની મન્નત પૂરી ન થાય, તો દેવતાઓને દોષિત ઠેરવી, ભાંગારામ દેવી મંદિરે "દેવતાઓનો દરબાર" ભરી, સજા આપવામાં આવે છે.