Menu
મોડાસામાં મહેશ નવમીની ધામધૂમથી ઉજવણી: માહેશ્વરી સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક આયોજન
મોડાસામાં મહેશ નવમીની ધામધૂમથી ઉજવણી: માહેશ્વરી સમાજ દ્વારા ભક્તિભાવપૂર્વક આયોજન
Published on: 09th June, 2025

મોડાસા શહેરમાં માહેશ્વરી સમાજે મહેશ નવમીનો પવિત્ર તહેવાર ઉત્સાહ અને ભક્તિભાવથી ઉજવ્યો. મહેશ નવમી માહેશ્વરી સમાજ માટે ખૂબ જ મહત્વનો છે, કારણ કે એ દિવસે લોકો ભગવાન મહેશની પૂજા-અર્ચના કરે છે. આ તહેવાર ધર્મિક વિધિઓ અને સામાજિક એકતાના સંદેશ સાથે ઉજવવામાં આવ્યો. કાર્યક્રમમાં સમુદાયના મોટાભાગના સભ્યો ભાગ લઈ ધર્મ પરંપરાનું પાલન કર્યું અને સામાજિક ભજન-કીર્તન દ્વારા ઉત્સવની શોભા વધારી. સમસ્ત માહેશ્વરી સમાજે એકતા અને ભક્તિનું પ્રતીક બની આ તહેવાર સફળતાપૂર્વક મનાવ્યો.