જન્માષ્ટમીએ 56 ભોગ ધરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
જન્માષ્ટમીએ 56 ભોગ ધરાવતી વખતે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
Published on: 30th August, 2026

જન્માષ્ટમીના પવિત્ર તહેવાર પર ભગવાન કાન્હાને 56 ભોગ અર્પણ કરતી વખતે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. પ્રસાદ શુદ્ધ ઘીમાં બનેલો અને સાત્વિક હોવો જોઈએ, જેમાં ડુંગળી-લસણનો ઉપયોગ ટાળવો. ભગવાન શ્રીકૃષ્ણને તુલસી વિના પ્રસાદ સ્વીકારતા નથી, તેથી તેમાં તુલસીના પાન અવશ્ય ઉમેરવા. પ્રસાદ ધરાવવા માટે સોના-ચાંદી, તાંબા, પિત્તળ, લાકડા કે માટીના વાસણો શ્રેષ્ઠ છે; સ્ટીલ-પ્લાસ્ટિક ટાળવા. જળપાત્ર સાથે રાખવું જોઈએ અને પ્રસાદ લાંબા સમય સુધી નહિ, પણ 5-10 મિનિટમાં વહેંચી દેવો જોઈએ.