Menu
વટ સાવિત્રી વ્રત: હિંમતનગરમાં મહિલાઓએ વડની પૂજા-અર્ચના કરી
વટ સાવિત્રી વ્રત: હિંમતનગરમાં મહિલાઓએ વડની પૂજા-અર્ચના કરી
Published on: 10th June, 2025

હિંમતનગરમાં વટ સાવિત્રી વ્રતને કારણે મહિલાઓએ શહેરના વિવિધ વિસ્તારોમાં શણગાર સજી વડની પૂજા-અર્ચના કરી હતી. મહાવીરનગર ચાર રસ્તા અને પ્રતાપગઢ પેટ્રોલ પમ્પ પાસે મોટા પ્રમાણમાં મહિલાઓ એકત્રીત થઈ મંત્રોચ્ચાર સાથે વડને પાણી, દૂધ અને પંચામૃતથી અભિષેક કર્યો. કેટલાક સ્ત્રીઓએ આજરોજ પૂજા કરવાનું પસંદ કરી, જ્યારે અન્ય આવતીકાલે પૂનમના દિવસે પૂજા કરશે. આ વ્રત પતિના દીર્ઘાયુષ્ય અને સુખ માટે કરાય છે.